લેખકનું નામ: Utpal Mehta

Utpal Mehta is a basically a Producer of Hindi Film & Television Programs. He has worked as a Producer, Associate Director, Director, Concept Writer, Story Writer, Script Writer, He is Host of a YouTube Programme, named: #UtpalMehtaShow, Number of categories falls under his credit. He is a voracious Reader, Gujarati Community have its foot print in more then 123 Countries, which inspired him to establish a single platform to unite this Globally Spread Community. So he Founded "Gujarati World Association" - GWA, (A Digital Platform), Thru which he wish to create a bridge between worldwide Gujarati Community. This Magazine is also one of the aspect of that mission.

Poems

માં તું તો મમતા નું રૂપ દેખાય છે

Poem Written By – Kavi Kushal N. Vyas – Vadodara 1st June, 2026 માં માં તું તો મમતા નું રૂપ દેખાય છે ચંદ્રમાં ની ચાંદની માં તારી શીતળતા દેખાય છે તારા આંચળ ની છાવ માં મારો થાક ઉતરી જાય છે ખુદ ભૂખી રહી ને મને કોળિયો ધરી જાય છે જીવન જીવવાની મને કળા શીખવી જાય છે તકલીફ પડે જો મને તો તું ઢાલ બની જાય છે માં તારા ચરણો માં મને સ્વર્ગ દેખાય છે કેમે કરી ને ચૂકવું હું રૂણ તારૂં (૨) સાત જન્મ પણ ઓછા પડી જાય છે કરૂં સમર્પિત આ દેહ તુજ મમતા ને પણ પાછું ના લેવાના તારામાં ગુણ દેખાય છે માં તું તો મમતા નું રૂપ દેખાય છે © –  કવિ – કુશલ એન. વ્યાસ

Achievers, Cover Story

સુરતને મળેલ પ્રસંશનીય, નિષ્ઠાવાન યુવા નેતૃત્વ. શહેરને તેની ઓરિજીનલ ઓળખ “સુરત સોનાની મુરત” પરત અપાવવા તેઓ ઉત્સુક છે. Surat got an Ethical Young Committed Leader

‘Kigali’ – Rwanda, ‘રવાન્ડા’ના પાટનગર ‘કિગાલી’ની યશગાથા – તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે આવું નિષ્ઠાવાન નેતૃત્વ ધારે તો શું કરી શકે ? ‘Author : Utpal Mehta (ઉત્પલ મહેતા) Producer 31st May, 2026 સ્વચ્છતા, નિષ્ઠા અને રાષ્ટ્રપ્રેમ : શું આ ઇશ્વરની સાચી ભક્તિ નથી? આપણે ભવ્ય મંદિરોનું નિર્માણ કરીએ છીએ, વિશાળ ધાર્મિક સમારંભો યોજીએ છીએ, યાત્રાધામોની મુલાકાત લઈએ છીએ, પરંતુ શું માત્ર આટલાથી જ ઇશ્વરની સાચી કૃપા પ્રાપ્ત થઈ શકે? આ પ્રશ્ન દરેક જાગૃત અને જવાબદાર ભારતીયના મનમાં અવશ્ય ઉદ્ભવવો જોઈએ. વાસ્તવમાં ઇશ્વરની સાચી ભક્તિ આપણા દૈનિક જીવનમાં રહેલી સ્વચ્છતા, શિસ્ત, પ્રામાણિકતા, નિષ્ઠા અને નાગરિક તરીકેની સામાજિક જવાબદારીઓના પાલનમાં વસે છે. જો આપણે પોતાના ઘર, માર્ગો, વિસ્તાર, ગામ, શહેર અને સમગ્ર સમાજને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવાની પ્રામાણિકતા દાખવીએ, તો તે પણ ઇશ્વરની સર્વોચ્ચ ઉપાસના સમાન જ ગણાય. કોરોના મહામારીના સમયગાળા દરમિયાન યુરોપે સાવચેતીપૂર્વક નિર્ણય લેતા, ચોક્કસ શરતોને આધિન માત્ર ગણતરીના દેશોને જ યુરોપિયન યુનિયનમાં પ્રવેશ આપવા નક્કી કર્યું હતું, આશ્ચર્યની વાત એ હતી કે તેમાં આફ્રિકાનો એક નાનકડો દેશ પણ સમાવિષ્ટ હતો. ગુજરાતીમાં એક કહેવત છે – “મન હોય તો માળવે જવાય.” આ કહેવત અહીં એટલા માટે યાદ આવે છે કે વિશ્વનો એ નાનકડો દેશ મધ્ય આફ્રિકાનો ‘રવાન્ડા’. માત્ર બે દાયકા પહેલાં જ, ત્યાંની બે મુખ્ય પ્રજાઓ હુતુ અને તુત્સુ – વચ્ચેના ભયાનક સંઘર્ષમાંથી પસાર થયેલો આ દેશ, એક સમયે ગરીબી અને અસ્વચ્છતા માટે ઓળખાતો. પરંતુ એક યુવાન નેતૃત્વની પ્રેરણા, દૃઢ સંકલ્પ અને તેમાંથી જાગેલ રાષ્ટ્રીય ચેતનાએ સમગ્ર દેશની ઓળખ બદલી નાંખી. તેની રાજધાની ‘કિગાલી’ આજે વિશ્વના સૌથી સ્વચ્છ અને સુવ્યવસ્થિત શહેરોમાં સ્થાન ધરાવે છે. આ પરિવર્તન પાછળ એક યુવા નેતાની પ્રેરણા, પ્રજાની નિષ્ઠા, શિસ્ત અને સહભાગિતા હતી. ત્યાંના નાગરિકોને અઠવાડિયાના માત્ર બે કલાક પોતાના ગામ, શહેર અને સમાજની સેવા માટે સમર્પિત કરવાના નિર્ણય માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. પરિણામે મૂળભૂત સુવિધાઓ, સામાજિક એકતા અને નાગરિક જવાબદારીના ક્ષેત્રોમાં પણ અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું. યુવા નેતાની પ્રેરણાને કારણે પ્રજાએ દરેક બાબતમાં સરકારને દોષ આપવાને બદલે પોતાની જવાબદારી સ્વીકારી, સરકાર સાથે ખભેખભો મિલાવી કાર્ય કર્યું. પરિણામે રવાન્ડાએ સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું અને આજે તે આફ્રિકાના સૌથી સ્વચ્છ અને વ્યવસ્થિત દેશોમાં ગણાય છે. સ્વચ્છતાના આ અભિયાનથી માત્ર શહેરની છબી જ બદલાઈ નહીં, પરંતુ આરોગ્ય, પ્રવાસન, રોજગાર, વિદેશી રોકાણ અને આર્થિક વિકાસ જેવા અનેક ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી. આવી જ એક પ્રેરણાદાયક ગાથા સિંગાપોરની છે. 1960ના દાયકામાં ભ્રષ્ટાચાર, ગરીબી અને અવ્યવસ્થાથી પીડાતું સિંગાપોર એક યુવા નેતાની નિષ્ઠાને કારણે આજે વિશ્વના સૌથી વિકસિત અને સુવ્યવસ્થિત દેશોમાં સ્થાન પામ્યું છે. ‘માનવ વિકાસ સૂચકાંક’માં તેનું સ્થાન વિશ્વના અગ્રણી દેશોમાં છે. આ સફળતા પાછળનું રહસ્ય માત્ર સારા શાસન પુરતું નહોતું; પ્રજાએ પણ પોતાની જવાબદારી સમજી, યોગ્ય નેતૃત્વને ઓળખ્યું અને તેને નિષ્ઠાપૂર્વક સહકાર આપ્યો. આજે ભારતને આઝાદી મળ્યાના દાયકાઓ વીતી ગયા હોવા છતાં, દેશની અસ્વચ્છ છબી માટે શું માત્ર સરકાર જ જવાબદાર છે? શું પ્રજાની કોઈ જવાબદારી નથી? જ્યાં સુધી પ્રજામાં માતૃભૂમિ પ્રત્યે ભક્તિ, ગૌરવ, જાગૃતિ અને જવાબદારીની ભાવના જાગૃત નહીં થાય, ત્યાં સુધી શ્રેષ્ઠ ઇરાદા ધરાવતી કોઈપણ સરકાર કે નેતા મર્યાદિત જ પરિણામ આપી શકે. આજે પ્રશ્ન એ નથી કે સરકારે દેશ માટે શું કર્યું ? પ્રશ્ન એ છે કે “મેં મારા દેશ, મારા શહેર અને મારા ગામ માટે શું કર્યું?” પ્રાંતવાદ નહીં, રાષ્ટ્રવાદ. કારણ કે રાષ્ટ્રના સર્વાંગી વિકાસ સાથે જ સમાજ અને વ્યક્તિનું કલ્યાણ શક્ય બને છે. જો આપણે આ પ્રકારની નિષ્ઠા અને જવાબદારી કેળવીએ, તો વિશ્વમાં કોઈપણ વ્યક્તિ આપણા દેશ કે પ્રજાને અપમાનજનક વિશેષણોથી સંબોધિત કરતાં પહેલાં વિચારવા મજબુર થશે. જરૂર છે માત્ર આત્મગૌરવ, નિષ્ઠા અને જાગૃતિની. આપણા ઘરે કોઈ મહેમાન આવે અને ઘર ગંદું હોવાની ખરાબ છાપ લઈને જાય, તો શું આપણને ગમશે? જો નહીં, તો પછી આપણા દેશ, શહેર કે ગામ વિશે આપણે આ જ ભાવના કેમ નથી રાખતા? વિદેશમાં જઈ વસવાટ કરતા ભારતીયો, ત્યાંના કાયદાઓ અને સ્વચ્છતાના ધોરણોનું ચુસ્તપણે પાલન કરે છે, તો પોતાની માતૃભૂમિમાં જ આ બાબતો પ્રત્યે આપણાં લોકોમાં ઉદાસીનતા શા માટે? વિશ્વમાં કદાચ ભારત જ એવો દેશ છે જેને “દેવભૂમિ” કહેવામાં આવે છે, જેને “ભારત માતા” તરીકે સંબોધવામાં આવે છે. પરંતુ દુઃખની વાત એ છે કે આ જ માતૃભૂમિ પર માણસ પાન-મસાલા ખાઈને ગમે ત્યાં થૂંકે, કચરો ફેંકે કે ગંદકી ફેલાવતા જરા પણ ખચકાતો નથી કે વિચારતો નથી કે જેને હું માતા કહું છું, તેના પર જ હું વારંવાર ગંદકી કરું છું? જો આપણે ખરેખર ભારતને વિકસિત દેશોની હરોળમાં જોવાનું સ્વપ્ન જોતા હોઈએ, તો આપણે સૌએ પોતાના ઇષ્ટદેવને સાક્ષી રાખીને એક સંકલ્પ કરવો જોઈએ કે— “હું ક્યાંય પણ ગંદકી નહીં કરું, અને જ્યાં ગંદકી થતી જોઈશ ત્યાં તેને અટકાવવા માટે મારી શક્તિ મુજબનો દરેક પ્રયાસ કરીશ.” જાહેરમાં દરેક બાબતમાં શિસ્તનું પાલન કરીશ. ત્યારે જ આપણે આગામી પેઢીને સ્વચ્છ, સુઘડ અને ગૌરવશાળી રાષ્ટ્રની અમૂલ્ય ભેટ આપી શકીએ. શું જ્યાં ગંદકી હોય, અથવા જ્યાં ગંદકીને આપણે નજરઅંદાજ કરતાં હોઈએ, ત્યાં ઇશ્વરની કૃપા પ્રાપ્ત થઈ શકે? મારા મતે તેનો જવાબ સ્પષ્ટ છે — “ના.” દરેક ભારતીયે આ પ્રશ્ન પર નિષ્ઠાપૂર્વક વિચારવું જોઈએ. જ્યારે દરેક વ્યક્તિ એવો સંકલ્પ કરશે કે “મારા કારણે સમાજને કોઈ તકલીફ ન પડે,” ત્યારે જ સાચા અર્થમાં સંસ્કારી, જવાબદાર અને પ્રગતિશીલ ભારતનું નિર્માણ શક્ય બનશે. સ્વચ્છતા માત્ર શરીર કે આસપાસના વાતાવરણ પૂરતી મર્યાદિત નથી. વિચારોની શુદ્ધતા, કાર્ય પ્રત્યેની નિષ્ઠા, વ્યવહારમાં પ્રામાણિકતા અને સમાજ પ્રત્યેની જવાબદારી પણ એટલી જ આવશ્યક છે. નિષ્ઠાપૂર્વક કરેલું કાર્ય, ભલે તે ગમે તેટલું નાનું કેમ ના હોય, ઇશ્વરને સર્વાધિક પ્રિય છે. એક સફાઈ કર્મચારી પોતાની ફરજ ઈમાનદારીથી બજાવે, એક શિક્ષક સચ્ચાઈપૂર્વક જ્ઞાન આપે, એક ડૉક્ટર કરુણાભાવથી દર્દીની સેવા કરે, એક સામાન્ય નાગરિક નિયમોનું પાલન કરે—આ બધું જ ભક્તિના જીવંત સ્વરૂપો છે. અહીં શ્રીમદ્ ભગવદ્ ગીતાનું અમર સૂત્ર યાદ આવે છે— “યોગઃ કર્મસુ કૌશલમ્” અર્થાત્, કર્મમાં શ્રેષ્ઠતા જ યોગ છે. આ સમગ્ર લેખનો સાર આ એક જ વાક્યમાં સમાઈ જાય છે. દેશની સમસ્યાઓ માટે આપણે ઘણી વખત સરકારને જવાબદાર ઠેરવીએ છીએ, પરંતુ દેશની છબી ઘડવામાં સામાન્ય નાગરિકની ભૂમિકા સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે. જો દરેક વ્યક્તિ પોતાના વિસ્તારની સ્વચ્છતા માટે પ્રતિબદ્ધ બને, તો શહેરો અને ગામડાંઓનો કાયાકલ્પ નિ:શંક છે. ઇશ્વર માત્ર મંદિરોમાં જ નથી; પરમાત્મા સર્વત્ર છે. માટે સ્વચ્છતા સર્વત્ર જરુરી છે. આપણે નવી પેઢીને માત્ર સંપત્તિ નહીં, પરંતુ સંસ્કાર, શિસ્ત, સ્વચ્છતા અને સામાજિક જવાબદારીનો વારસો પણ આપીએ. કારણ કે સ્વચ્છ અને સંસ્કારી સમાજ જ સમૃદ્ધ અને સુખી રાષ્ટ્રનો પાયો બની શકે. અંતમાં એટલું જ કે જો આપણે ખરેખર ઇશ્વરની કૃપાને પાત્ર બનવા માંગતા હોઈએ, તો માત્ર બાહ્ય દેખાવને બદલે પોતાના વર્તન, સ્વયં શિસ્ત, સ્વચ્છતા અને નિષ્ઠા ઉપર ધ્યાન આપવું પડશે. કારણ કે — “શિસ્ત, સ્વચ્છતા

Health, Cover Story

હળદર : ભારતીય રસોડાનું સુવર્ણ ઔષધ – Turmeric – Extra Ordinary Ingredient for Health

Written By : Utpal Mehta (ઉત્પલ મહેતા) – Produce 20th May, 2026 આયુર્વેદ, ચરક સંહિતા અને પ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરામાં વર્ણવાયેલ આરોગ્યદાયક અમૃત ભારતીય સંસ્કૃતિમાં ખોરાકને માત્ર પેટ ભરવાનું સાધન માનવામાં આવ્યું નથી, પરંતુ “આહાર એ જ ઔષધ” એવી દિવ્ય દૃષ્ટિ સાથે જોવામાં આવ્યો છે. આપણા ઋષિમુનિઓએ હજારો વર્ષોની તપશ્ચર્યા, પ્રકૃતિના અધ્યયન અને માનવ શરીરના ઊંડા નિરીક્ષણ બાદ જે જીવનપદ્ધતિ રચી, તેમાં ખોરાકને શરીર, મન અને આત્માના સંતુલનનું મુખ્ય સાધન માનવામાં આવ્યું. પરમાત્માની માનવજાત ઉપર એટલી અનંત કૃપા છે કે જો તેની ગણતરી કરવા જઈએ તો જીવનનું દરેક તત્વ ઇશ્વરકૃપા સમાન જણાય. વિશ્વના વિવિધ પ્રદેશોમાં ત્યાંના હવામાન, પ્રકૃતિ અને જીવનશૈલી પ્રમાણે જુદી જુદી ખોરાક પ્રણાલીઓ વિકસિત થઈ. પરંતુ જો આપણે માત્ર ભારતની જ વાત કરીએ, તો સ્વીકારવું પડે કે આપણી પરંપરાગત થાળી માત્ર ભોજન નથી — તે ઋષિઓએ માનવ આરોગ્યને ધ્યાનમાં રાખીને રચેલું જીવંત ઔષધશાસ્ત્ર છે. આજે આધુનિક જીવનશૈલીમાં આપણે તે જ્ઞાનથી દૂર જતા રહ્યા છીએ. પરિણામે, જે રોગો કદાચ પહેલાં દુર્લભ હતા, તે હવે સામાન્ય બનવા લાગ્યા છે. દુઃખની વાત એ છે કે દવાનો ભંડાર આપણા રસોડામાં હોવા છતાં આપણે તેની શોધ બહાર કરીએ છીએ. આવા જ દિવ્ય અને આશીર્વાદરૂપ ખાદ્ય પદાર્થોમાં એક અત્યંત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે — હળદર. હળદર : ભારતીય રસોડાનું ઔષધીય રત્ન ભારતીય રસોડામાં હળદર માત્ર રંગ અને સ્વાદ માટે ઉમેરાતી વસ્તુ નથી. આયુર્વેદમાં તેને “હરિદ્રા” તરીકે ઓળખવામાં આવે છે અને તેને શક્તિશાળી ઔષધિ માનવામાં આવી છે. પ્રાચીન ગ્રંથો જેમ કે:- – ચરક સંહિતા – સુશ્રુત સંહિતા – ધન્વંતરી નિઘંટુ – ભાવપ્રકાશ નિઘંટુ માં હળદરના ગુણોનું વિસ્તૃત વર્ણન જોવા મળે છે. આયુર્વેદ અનુસાર હળદર :- – કફ અને વાયુનો નાશ કરે છે – રક્ત શુદ્ધિકરણમાં મદદરૂપ છે – ચામડીના રોગોમાં લાભદાયક છે – સોજા અને દુખાવામાં રાહત આપે છે – ઘા ભરવામાં સહાયક છે – શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે ચરક સંહિતામાં હળદરને “વર્ણ્ય” એટલે કે કાંતિ વધારનાર અને “કુષ્ઠઘ્ન” એટલે કે ચામડીના રોગોને દૂર કરનાર ઔષધિ તરીકે ગણાવવામાં આવી છે. હળદર અને કરક્યુમિન : આરોગ્યનું વૈજ્ઞાનિક રહસ્ય હળદરનું મુખ્ય સક્રિય તત્વ છે — કરક્યુમિન (Curcumin). આ તત્વ જ હળદરને તેનું ઔષધીય મહત્ત્વ આપે છે. જ્યારે હું વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલ ‘અરહમ ઓર્ગેનિક સ્ટોર’ ના શ્રી ધીરેનભાઈને મળ્યો ત્યારે મને પ્રથમ વખત સમજાયું કે હળદરની પણ અનેક જાતો હોય છે અને દરેક પ્રદેશની હળદરના ગુણધર્મો અલગ હોઈ શકે. ધીરેનભાઈ આયુર્વેદ અને ઓર્ગેનિક ક્ષેત્ર સાથે ઊંડો સંબંધ ધરાવતા સંશોધનપ્રવૃત્તિ ધરાવતા વ્યક્તિ છે. વંશપરંપરાગત આયુર્વેદિક જ્ઞાન સાથે જોડાયેલા નિષ્ણાતો સાથે ચર્ચા-વિમર્શ કર્યા બાદ જ તેઓ કોઈ બાબતને સ્વીકારી અમલમાં મૂકે છે. તેમની સૌથી સારી બાબત એ લાગી કે —તેમનો શુદ્ધતા અને ઓરિજિનાલિટી પ્રત્યેનો આગ્રહ. તેમના જણાવ્યા પ્રમાણે સામાન્ય હળદરમાં આશરે ૨% થી ૪% સુધી કરક્યુમિન હોય છે, જ્યારે કેટલાક વિશિષ્ટ પ્રદેશોમાં ઉત્પન્ન થતી ઉચ્ચ ગુણવત્તાની હળદરમાં ૭% થી ૧૦% સુધી કરક્યુમિન જોવા મળે છે, જે અત્યંત ઉચ્ચ કક્ષાની ગુણવત્તા ગણાય. તેમના શબ્દોમાં સમજીએ તો આરોગ્ય માટે સૌથી અગત્યની બાબત છે — શુદ્ધતા. જે પ્રદેશ કોઈ વિશિષ્ટ પાક માટે જાણીતો હોય, ત્યાંની શુદ્ધ અને ઓર્ગેનિક પેદાશોનો ઉપયોગ કરવામાં આવે તો તેના સકારાત્મક આરોગ્યલાભ વધુ પ્રમાણમાં જોવા મળે છે. હળદરના અદભુત ઔષધીય ગુણો ૧. કુદરતી એન્ટીસેપ્ટિક હળદરને પ્રાચીન સમયથી જ કુદરતી એન્ટીસેપ્ટિક તરીકે ઉપયોગમાં લેવાઈ છે. જે શરીરની અંદર ના કે બહાર ના ઘા ઉપર ખુબજ ફાયદાકારક માનવામાં આવે છે. નાના ઘા, કપાઈ જવું, ચામડીના ચેપ અથવા ઇન્ફેક્શન જેવી પરિસ્થિતિમાં હળદર લાભદાયક માનવામાં આવે છે. ભારતમાં હજુ પણ ઘણા ગામડાઓમાં ઘા ઉપર હળદર લગાવવાની પરંપરા જીવંત છે. ૨. શક્તિશાળી એન્ટી-ઇન્ફ્લેમેટરી શરીરમાં અનેક રોગોના મૂળમાં સોજો રહેલો હોય છે. હળદરની એન્ટી-ઇન્ફ્લેમેટરી ક્ષમતા સાંધાના દુખાવા, આર્થરાઇટિસ, માસપેશીઓના સોજા જેવી પરિસ્થિતિમાં ઉપયોગી માનવામાં આવે છે. આધુનિક સંશોધનો પણ કરક્યુમિનને કુદરતી સોજો ઘટાડનાર તત્વ તરીકે સ્વીકારવા લાગ્યા છે. ૩. રક્ત શુદ્ધિકરણમાં મદદરૂપ આયુર્વેદ અનુસાર હળદર “રક્તશોધક” છે. તે શરીરમાં રહેલા કેટલાક ઝેરી તત્વોને બહાર કાઢવામાં અને રક્ત શુદ્ધ રાખવામાં મદદરૂપ માનવામાં આવે છે. ચામડી ઉપર કાંતિ અને સ્વચ્છતા જાળવવામાં પણ તેનો ફાળો માનવામાં આવે છે. ૪. યકૃત (લિવર) માટે લાભદાયક હળદર લિવરની કાર્યક્ષમતાને સહાય કરે છે એવી માન્યતા આયુર્વેદમાં પ્રાચીન સમયથી છે. તે પાચનક્રિયા સુધારવામાં અને શરીરમાંથી અનિચ્છનીય તત્વોને દૂર કરવામાં સહાયક બની શકે છે. ૫. વૃદ્ધાવસ્થાની પ્રક્રિયા ધીમી કરવામાં સહાયક:- શરીરમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસ અને સોજો વૃદ્ધત્વને ઝડપથી આગળ ધપાવે છે. હળદરના એન્ટીઓક્સિડન્ટ ગુણો કોષોને સુરક્ષા આપીને શરીરને લાંબા સમય સુધી સ્ફૂર્તિમય રાખવામાં મદદરૂપ બની શકે છે. આ કારણસર હળદરને “પ્રાકૃતિક એન્ટી-એજિંગ તત્વ” તરીકે પણ જોવામાં આવે છે. ૬. રોગપ્રતિકારક શક્તિમાં વધારો દૂધમાં હળદર ઉમેરી પીવાની ભારતીય પરંપરા માત્ર ઘરગથ્થુ ઉપચાર નથી. હળદરવાળું દૂધ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ માનવામાં આવે છે. સર્દી, ઉધરસ, થાક અને ઋતુપરિવર્તન દરમિયાન તેનો ઉપયોગ અનેક ઘરોમાં આજેય થાય છે. હળદર ગરમ તાસીર ધરાવે છે — પરંતુ કુદરતે તેનો પણ ઉપાય આપ્યો છે હળદર તાસીરથી ગરમ માનવામાં આવે છે. તેથી દરેક વ્યક્તિએ પોતાની પ્રકૃતિ અનુસાર તેનો ઉપયોગ સમજદારીથી અને  વિશેષજ્ઞની દેખરેખ હેથળ કરવો જોઈએ. ધીરેનભાઈના જણાવ્યા પ્રમાણે કુદરતે દરેક તત્વ સાથે તેનું સંતુલન પણ આપ્યું છે. યોગ્ય પ્રમાણ, યોગ્ય સંયોજન અને યોગ્ય પ્રકૃતિ અનુસાર જો હળદરનો ઉપયોગ થાય, તો તે ખરેખર ઇશ્વરના આશીર્વાદ સમાન બની શકે છે. આયુર્વેદ પણ કહે છે કે દરેક મનુષ્યની પ્રકૃતિ અલગ હોય છે — કોઈને એક વસ્તુ અત્યંત લાભદાયક હોય તો બીજી વ્યક્તિ માટે તેની માત્રા અથવા રીત બદલવાની જરૂર પડી શકે. તેથી પોતાના શરીરને સમજવું અને અનુકૂળ આહાર અપનાવવો અત્યંત જરૂરી છે. ભારતીય રસોડું : ભૂલાયેલ ઔષધાલય:- આજે જ્યારે વિશ્વ કુદરતી ઉપચાર તરફ પાછું વળી રહ્યું છે, ત્યારે અમેરિકા સહિત અનેક પશ્ચિમી દેશો પણ હળદરના ગુણોને વૈજ્ઞાનિક રીતે સ્વીકારી રહ્યા છે. કરક્યુમિન આધારિત અનેક પ્રોડક્ટ્સ, સપ્લિમેન્ટ્સ અને હેલ્થ ફોર્મ્યુલેશન્સ હવે વૈશ્વિક સ્તરે લોકપ્રિય બની રહ્યા છે. પરંતુ સત્ય એ છે કે જે ખજાનો દુનિયા આજે શોધી રહી છે, તે તો ભારતના રસોડામાં હજારો વર્ષોથી હાજર હતો અને છે, પણ આપણે તે સમજવા માં ઉણા ઉતર્યા. હળદર માત્ર મસાલો નથી. તે ભારતીય સંસ્કૃતિનું આરોગ્યવિજ્ઞાન છે. તે પ્રકૃતિ અને આયુર્વેદનું સંગમ છે. અને કદાચ તે માનવજાતને મળેલા પરમાત્માના અમૂલ્ય આશીર્વાદોમાંનું એક છે. જેઓ ઇચ્છે તેઓ શ્રી ધિરેનભાઈ મહેતાનો સીધો સંપર્ક કરી શકે : 97 12 69 95 40. #UtpalMehtaProducer

Health, Motivational

પુરુષ માટે રડવું કોઈ શરમજનક બાબત નથી, રડવું એ માનવ શરીર અને મનની કુદરતી, વૈજ્ઞાનિક અને ઈશ્વરદત્ત પ્રક્રિયા છે. To Cry for a Man is Not a Shameful Matter.

Written By : Utpal Mehta (ઉત્પલ મહેતા) – Producer 18th May, 2026 ભારતીય સમાજના માનસમાં એક માન્યતા સદીઓથી ખુબજ ઉડે સુધી ઉતરી ગઈ છે કે — “પુરુષ કદી રડે નહી.” રડવું એટલે નબળાઈ, લાગણીશીલતા એટલે કમજોરી, અને આંખોમાં આંસુ આવી જાય તો જાણે પુરુષત્વ ઉપર પ્રશ્નચિહ્ન લાગી જાય — આવી માનસિકતા આજે પણ અનેક ઘરોમાં જીવંત છે. પરંતુ આધુનિક મનોવિજ્ઞાન, ન્યુરોસાયન્સ અને હૃદયરોગવિજ્ઞાનના વૈશ્વિક સંશોધનો એકદમ વિપરીત દિશામાં ઇશારો કરે છે. રડવું કોઈ શરમજનક બાબત નથી, રડવું એ માનવ શરીર અને મનની કુદરતી, વૈજ્ઞાનિક અને ઈશ્વરદત્ત પ્રક્રિયા છે. ભાવનાત્મક બનવું કે તેને સાચવી રાખવી તે જ આપણી સાચી પ્રાકૃતિક ઓળખ છે. કદાચ કોઈ તમને મુર્ખ ગણે તો ભલે ઘણે, દરેક ને જીવનના કોઈ તબકકે સાચી ભાવનાત્મકતાની ખોટ સાલે છે, પણ ત્યારે ખુબ મોડું થઈ ચુકયું હોય છે. કદાચ કોઈ અત્યંત સંવેદનશીલ પરિસ્થિતિ માં તમને રડવું આવી જતું હોય અને તમે પુરુષ હો તો પણ તે તમારી નબળાઈ નથી, સમાજે એક એવી રોગિષ્ટ માનસિકતા ફેલાવી છે કે પુરુષ કદી રડે નહીં, સ્ત્રી માટે રડવું એ સમાજે સ્વિકારેલ વાસ્તવિકતા છે, પણ આ એક ગંભીર ભૂલ છે, તમારા સંતાનને કયારેય એવું ના શિખવાડશો કે પુરુષ માટે તે કાયરતા છે, કારણ સમાજ જેને કાયરતા માને છે તે એક અત્યંત કુદરતી બાબત છે અને ખુલ્લા દિલનું એક રુદન તે પુરુષને કેટલાય રોગમાંથી બચાવી શકે છે. લાગણીશીલ,  સંવેદનશીલ કે ભાવનાશીલ હોવું તે કુદરતે મનુષ્ય ને આપેલ એક અમુલ્ય બક્ષિસ છે જે કોઈ ના સમજી શકે તે તેમની સંકુચિત કે સિમીત માનસિકતા છે એ તમારો પ્રશ્ન કે નબળાઈ નથી, માટે સરળ બનવું એ માનસિક અને શારીરિક સ્વાસ્થ્યના હિતમાં છે, શકય છે કે કદાચ એવી સરળતા કોઈ વ્યક્તિને આરોગ્યલક્ષી ભયંકર પરિસ્થિતિમાં થી ઉગારી ફરી પુનઃસ્થાપિત કરી શકે. જેમ વરસાદ પછી વાતાવરણ હળવું બને છે, તેમ હૃદયમાં વર્ષોથી દબાયેલી પીડા, તણાવ, ભય અને લાગણીઓ આંસુઓ દ્વારા બહાર આવે ત્યારે મન અને મગજ બંનેને રાહત મળે છે. મનુષ્ય જ્યારે દિલથી રડે છે ત્યારે માત્ર ભાવનાઓ જ વ્યક્ત નથી થતી, પરંતુ શરીરમાં જમા થયેલા તણાવના રસાયણો પણ ધીમે ધીમે બહાર નીકળવા લાગે છે. વિશ્વભરના મનોવિજ્ઞાનીઓનું કહેવું છે કે લાંબા સમય સુધી લાગણીઓને દબાવી રાખનાર વ્યક્તિઓમાં ડિપ્રેશન, ઊંચું બ્લડ પ્રેશર, હૃદયરોગ, ચિંતાજનક માનસિક સ્થિતિ અને અનિદ્રા જેવી સમસ્યાઓ વધુ જોવા મળે છે. ખાસ કરીને પુરુષો સમાજના દબાણને કારણે “હું મજબૂત છું” એવો દેખાવ કરતા હોય, પરંતુ અંદરથી એકલતા, ભય, નિરાશા અને માનસિક થાક અનુભવતા હોઇ શકે. રડવું એ મનની સફાઈ છે. જેમ આંખમાં પડેલો કણ આંસુ દ્વારા બહાર નીકળી જાય છે, તેમ મનમાં ધરબાયેલું દુઃખ પણ આંસુઓ સાથે ધીમે ધીમે ઓસરવા લાગે છે. અમેરિકન બાયોકેમિસ્ટ ડૉ. વિલિયમ ફ્રેના સંશોધનો અનુસાર ભાવનાત્મક આંસુઓમાં તણાવ વધારતા કેટલાક હોર્મોન્સ અને ઝેરી રસાયણોના અંશ જોવા મળે છે. એટલે ભાવુક બનીને રડી લેવાથી શરીર અને મગજ ઉપરનું દબાણ ઓછું થવામાં મદદ મળે છે. રડ્યા પછી ઘણા લોકોને “હળવાશ” અનુભવાય છે — આ માત્ર લાગણી નથી, પણ વૈજ્ઞાનિક રીતે પણ સાચી બાબત છે. આધુનિક ન્યુરોસાયન્સ એવું પણ કહે છે કે રડતી વખતે શરીરમાં ‘ઓક્સિટોસિન’ અને ‘એન્ડોર્ફિન’ જેવા “ફીલ-ગુડ” રસાયણો સક્રિય થાય છે, જે માનસિક શાંતિ, આંતરિક રાહત અને ભાવનાત્મક સંતુલન જાળવવામાં મદદરૂપ બને છે. એટલે ક્યારેક દિલ ખોલીને રડી લેવું એ દવા જેટલું અસરકારક બની શકે છે. સમાજમાં “પુરુષ રડે નહીં” જેવી માન્યતા કારણે અસંખ્ય પુરુષો પોતાના દુઃખને અંદર જ દફનાવી દે છે. પરંતુ દબાયેલું દુઃખ ક્યારેય નાશ પામતું નથી; તે ચિંતા, ગુસ્સો, નિરાશા અથવા શારીરિક બીમારીઓના રૂપમાં બહાર આવે છે. ઘણા માનસિક આરોગ્ય નિષ્ણાતો એવું માને છે કે પુરુષોમાં વધતા ડિપ્રેશન અને આત્મહત્યાના કેટલાક કારણોમાં લાગણીઓને દબાવી રાખવાની સામાજિક પ્રથા પણ જવાબદાર હોઇ શકે છે. અલબત એ સાચું છે કે પુરુષ માટે રડવું અઘરું હોય છે. વિશ્વપ્રસિદ્ધ નર્તકી અને અભિનેત્રી Isadora Duncan વિશે એક પ્રસંગ જાણિતો છે, એક પત્રકારે પૂછ્યું કે “તમને જીવનસાથી તરીકે કેવા પુરુષ ગમે?” ત્યારે તેમણે એવો અર્થસભર જવાબ આપ્યો હતો કે — “જે પુરુષ સરળતાથી રડી શકે, કારણ તે વધુ માનવીય, સંવેદનશીલ, મજબુત, સમર્થ અને માનસિકરીતે વાસ્તવમાં શક્તિશાળી  હોય એટલે જ તે સમાજની પરવા વગર રડી શકે, સામાજના દંભી આવરણ નીચે દબાયેલો કે – માન્યતાથી ડરતો પુરુષ ક્યારેય રડી શકે નહીં” આ કથનની ઐતિહાસિક પુષ્ટિ સર્વત્ર ઉપલબ્ધ નથી, છતાં તેની પાછળનો ભાવ અત્યંત ઊંડો છે — લાગણીઓ વ્યક્ત કરી શકનાર વ્યક્તિ અંદરથી વધુ જીવંત, સમર્થ, પ્રામાણિક અને સંવેદનશીલ હોય છે. અહીં એક મહત્વની બાબત સમજવાની છે કે રડવું એટલે નબળાઈ નહીં. પોતાની લાગણીઓને સ્વીકારી શકવું એ આંતરિક શક્તિનું લક્ષણ છે. જે પુરુષ પોતાના દુઃખને ઓળખી શકે, જરૂર પડે ત્યારે આંસુ વહાવી શકે, અને ફરીથી ઊભો રહી શકે — તે માનસિક રીતે વધુ સ્વસ્થ અને પરિપક્વ કહેવાય. ભારતીય સંસ્કૃતિએ કરુણા, ભાવુકતા અને હૃદયની નરમાઈને કદી નકારી નથી. ભગવાન શ્રીરામથી લઈને શ્રીકૃષ્ણ સુધી, મહાભારતના વીરોથી લઈને આધુનિક યુગના અનેક મહાન પુરુષો સુધી — તેઓ દ્વારા લાગણીઓ વ્યક્ત કરવી તેને માનવત્વનો ભાગ માનવામાં આવી છે. આજે સમયનો તકાજો છે કે આપણે બાળકોને ખાસ કરીને દીકરાઓને એવું ના શીખવીએ કે “છોકરાઓ કદી રડે નહીં.” તેના બદલે તેમને શીખવવું જોઈએ કે — “લાગણીઓ વ્યક્ત કરવી સ્વાભાવિક છે.” “દુઃખ થાય ત્યારે વાત કરવી અને રડી લેવું સ્વસ્થ માનસિક જીવનનો ભાગ છે.” કારણ કે અંતે આંસુઓ માનવતાની ભાષા છે. રડવાથી માણસ નાનો નથી બનતો; ઘણી વાર તે વધુ હળવો, વધુ સ્વસ્થ અને વધુ માનવીય બની જાય છે અ‍ત્રે એક બાબત ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે જે પુરુષ રડી શકે તે વાસ્ત્વમાં અંદર થી વધુ મજબુત, સમર્થ હોય છે, કારણ લગુતાગ્રંથીથી પિડાતો પુરુષ રડી શકતો નથી, જે આંતરિક નબળાઇની નિશાની છે. એ સામર્થય કે સાચા પૌરુશ્ત્વની નિશાની નથી માટે જેમ દિલ થી હસવું અનિવાર્ય છે, તેટલું જ જરુર પડે ત્યારે દિલ થી રડી શકવું પણ અ‍નિવાર્ય છે. માટે સંકોચ અને ગેરમાન્યતાનો ત્યાગ જરુરી છે. #UtpalMehtaProducer

Poems

સાવજ ગરજે ! – ચારણ-કન્યા

Written By : Zaverchand Meghani (National Poet) 14th May 2026         (1928 ગીરમાં તુલસીશ્યામની નજીક ચારણોનો એક નેસ છે. ત્યાંની હીરબાઇનામની એક ચૌદ વર્ષની ચારણ-કન્યાએ એકલીએ પોતાની વાછડીને મારનાર વિકરાળ સિંહને વાછડીનું માંસ ચાખવા ન દેતાં લાકડી વતી હાંકી મૂક્યો હતો. “તુલસીશ્યામથી બે ગાઉ ઝવેરચંદ મેઘાણી, દુલા કાગ વિગેરે … ખજૂરીને નેસડે હતા,ત્યાં રાડ થઇ. સાવજ ડણક્યો. હાકોટા થવા માંડ્યા. સાંજવેળા થઇ હતી. ખાડું-ધણ ઝૂંપડે આવતાં હતાં. તેમાંથી હીરબાઇ કરી એક ચારણ બાઇની વોછરડીને સાવજે પાદરમાં જ પાડી. બધાદોડ્યા.વીસેક જણ હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઇ ક્યારનીયે ત્યાં પહોંચી ગઇ હતી. મરેલી વાછરડી પર એ ચારણ-કન્યા ચડીને સાવજ સામે સોટો વીંઝતી હતી. સાવજ બે પગે સામો થઇ હોંકારા કરતો હતો. બાઇ સાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણી બાઇએ સાવજને ખાવા ન દીધી….એ વખતે ‘ચારણ-કન્યા’ ગીત મેઘાણી સાહેબ કાગળ-કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઊઠ્યું. આંખો લાલ ઘ્રમેલ ત્રાંબા જેવી થઇ ગઇ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડમાંડ પકડી રાખેલા.” – દુલા કાગ) સાવજ ગરજે !વનરાવનનો રાજા ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજેઐરાવતકુળનો અરિ ગરજેકડ્યપાતળિયો જોધ્ધો ગરજેમોં ફાડી માતેલો ગરજેજાણે કો જોગંદર ગરજેનાનો એવો સમદર ગરજે ! ક્યાં ક્યાં ગરજે?બાવળના જાળામાં ગરજેડુંગરના ગાળામાં ગરજેકણબીના ખેતરમાં ગરજેગામ તણા પાદરમાં ગરજેનદીઓની ભેખડમાં ગરજેગિરિઓની ગોહરમાં ગરજેઊગમણો આથમણો ગરજેઓરો ને આઘેરો ગરજે થર થર કાંપે !વાડામાં વાછડલાં કાંપેકૂબામાં બાળકડાં કાંપે મધરાતે પંખીડાં કાંપેઝાડતણાં પાંદડલાં કાંપેસૂતાં ને જાગંતાં કાંપેજડ ને ચેતન સૌ એ કાંપેઆંખ ઝબૂકે ! કેવી એની આંખ ઝબૂકે !વાદળમાંથી વીજ ઝબૂકેજોટે ઊગી બીજ ઝબૂકે જાણે બે અંગાર ઝબૂકેહીરાના શણગાર ઝબૂકે જોગંદરની ઝાળ ઝબૂકેવીર તણી ઝંઝાળ ઝબૂકે ટમટમતી બે જ્યોત ઝબૂકેસામે ઊભું મોત ઝબૂકે જડબાં ફાડે! ડુંગર જાણે ડાચા ફાડે!જોગી જાણે ગુફા ઉઘાડે!જમરાજાનું દ્વાર ઉઘાડે!પૃથ્વીનું પાતાળ ઉઘાડે!બરછી સરખા દાંત બતાવેલસ! લસ! કરતી જીભ ઝુલાવે. બહાદર ઊઠે! બડકંદાર બિરાદર ઊઠેફરસી લેતો ચારણ ઊઠેખડગ ખેંચતો આહીર ઊઠે બરછી ભાલે કાઠી ઊઠેઘરઘરમાંથી માટી ઊઠે ગોબો હાથ રબારી ઊઠેસોટો લઇ ઘરનારી ઊઠે ગાય તણા રખવાળો ઊઠેદૂધમલા ગોવાળો ઊઠેમૂછે વળ દેનારા ઊઠેખોંખારો ખાનારા ઊઠે માનું દૂધ પીનારા ઊઠેજાણે આભ મિનારા ઊઠે ઊભો રે’જે !ત્રાડ પડી કે ઊભો રે’જે!ગીરના કુત્તા ઊભો રે’જે!કાયર દુત્તા ઊભો રે’જે!પેટભરા ! તું ઊભો રે’જે!ભૂખમરા ! તું ઊભો રે’જે! ચોર-લૂંટારા ઊભો રે’જે!ગા-ગોઝારા ઊભો રે’જે! ચારણ—કન્યા !ચૌદ વરસની ચારણ કન્યાચૂંદડિયાળી ચારણ કન્યાશ્વેતસુંવાળી ચારણ-કન્યાબાળી ભોળી ચારણ-કન્યાલાલ હીંગોળી ચારણ-કન્યાઝાડ ચડંતી ચારણ-કન્યાપહાડ ઘુમંતી ચારણ—કન્યાજોબનવંતી ચારણ-કન્યાઆગ-ઝરંતી ચારણ-કન્યાનેસ-નિવાસી ચારણ-કન્યાજગદંબા-શી ચારણ-કન્યાડાંગ ઉઠાવે ચારણ-કન્યાત્રાડ ગજાવે ચારણ-કન્યાહાથ હિલોળી ચારણ-કન્યાપાછળ દોડી ચારણ-કન્યા ભયથી ભાગ્યો;સિંહણ, તારો ભડવીર ભાગ્યોરણ મેલીને કાયર ભાગ્યોડુંગરનો રમનારો ભાગ્યોહાથીનો હણનારો ભાગ્યોજોગીનાથ જટાળો ભાગ્યોમોટો વીર મૂછાળો ભાગ્યોનર થઇ તું નારીથી ભાગ્યોનાનકડી છોડીથી ભાગ્યો! રાષ્ટ્રીય શાયરઝવેરચંદ મેઘાણી.માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશ માટે ગૌરવરુપ અદ્ભુત સર્જન, આવા વાસ્ત્વમાં, જેને દેવી પુત્ર કહેવા જ પડે, તેવા સમર્થ સર્જકને શત શત પ્રણામ. #UtpalMehtaProducer

Photo Story, Motivational, Spiritual

મનુષ્ય કન્યાની સંવેદનશીલતાને અચરજભરી નજરે જોઇ રહેલ મુક શ્વાન માતા

મૂક પ્રાણીની આંખોમાં છલકાતી કૃતજ્ઞતા માનવતાની એવી તસ્વીર, જે પાષાણ હૃદયને પણ ભીની કરી દે… કળિયુગના આ ઝડપી અને સંવેદનહીન બની રહેલા સમયમાં, જ્યાં માણસ માણસની પીડા સમજવાનું કે અનુભવવાનું પણ જાણે કે ભુલી ગયો છે, ત્યાં કોઈ એક સંવેદનશીલ આત્મા જ્યારે મૂક પ્રાણીની વેદનાને પોતાની વેદના સમજી આગળ આવે, ત્યારે માનવતા હજુ જીવંત છે તેવો વિશ્વાસ ફરી જન્મે છે.  આવી જ એક હૃદયસ્પર્શી અને શબ્દાતીત ઘટના વડોદરાની ધરતી પર સર્જાઈ ગઈ. આ એક એવી તસ્વીર કથા છે, જે લાખો શબ્દો કરતાં પણ ઘણું કહી જાય છે,  હૃદયમાં ઉંડે ઉતરી જાય છે. ન્યુ વી.આઈ.પી. રોડ, વડોદરા ખાતે રહેતી કોમ્પ્યુટર એન્જિનિયર કુમારી દેવર્ષી ગાંધી માટે તે માત્ર એક ગલુડિયું નહોતું… તે કોઇ એક પીડાતું રિબાતુ જીવન હતું.  રસ્તા પર ઢસડાઈને ચાલતું, પાછળના બંને પગ કચડાઈ જતા અસહ્ય પીડા સહન કરતું તે નિર્દોષ ગલુડિયું, કદાચ પોતાની વેદના વ્યક્ત પણ કરી શકતું નહોતું. પરંતુ વેદનાની ભાષા માત્ર શબ્દોમાં નથી હોતી… તે આંખોમાં, હલનચલનમાં અને નિઃશબ્દ ચીસોમાં વસતી હોય છે, અને હદયથી જીવનાર આત્મા તે સમજી શકે છે, તે આ ઘટના જોતા લાગે કે નિ:શંક છે. દેવર્ષીનું હૃદય આ દ્રશ્ય જોઈ હચમચી ઉઠ્યું. સતત એક જ વિચાર તેને અંદરથી કચડી રહ્યો હતો — “આ નિર્દોષ જીવને થોડી રાહત કેવી રીતે આપી શકાય?” આ વિચાર માત્ર ક્ષણિક દયા નહોતો, પરંતુ એક જીવંત સંવેદનાનો ઉદય હતો. અંતે, તેની કરુણાભીની લાગણીએ એક અનોખો માર્ગ શોધી કાઢ્યો. દેવર્ષીએ પોતાની મહેનત અને સર્જનાત્મકતાથી “વેસ્ટમાંથી બેસ્ટ”ના સિદ્ધાંત પર એક નાનકડી ચાલણગાડી તૈયાર કરી. અત્યંત કાળજીપૂર્વક પટ્ટાઓ વડે તે ગલુડિયાની કમર સાથે જોડવામાં આવી. જે ગલુડિયું સતત ઢસડાઈને ચાલતું હતું, તે હવે ફરી હલનચલન કરી શકતું બન્યું. તેને પીડામાંથી છુટકારો મળ્યો. કદાચ તેને માટે આ માત્ર ચાલણગાડી નહોતી… એ તો ફરી જીવવાના આશીર્વાદ હતા. પણ આ સમગ્ર દ્રશ્યમાં સૌથી વધારે હૃદય ચીરનાર ક્ષણ હતી — ગલુડિયાની માતાની આંખો… બાજુમાં અડીખમ ઉભેલી શ્વાન માતા, પોતાના સંતાનને મળેલી આ અનોખી રાહતને અચરજ, કરુણા, લાગણી અને અતી ઋણ સ્વીકારના ભાવ સાથે નિહાળી રહી હતી.  તેને જાણે કે કંઈક કહેવું હતું, પણ વાચા નહોતી, એટલે વગર શબ્દો એ પણ આંખોની ભાષા દ્વારા લાખો લાગણીઓ જાણે કે વ્યકત થઈ રહી હતી. માનવી ઘણીવાર લાગણીઓને શબ્દોથી વ્યક્ત કરવા છતાં, જે અભિવ્યક્ત નથી કરી શક્તો, તે પ્રાણીઓ માત્ર આંખો અને હાવભાવ દ્વારા વ્યકત કરી, સીધા આત્મા સુધી પહોંચાડી શકે છે. તેનો આ બોલતો પુરાવો છે. જો કોઈ વાંચક ખરેખર તે ભાષા સમજવા ઇચ્છે કે મૂક પ્રાણી પણ પ્રેમ, વેદના, ધિક્કાર, કરુણા અને આભાર સમજી શકે છે, કે કેવી રીતે વ્યક્ત કરી શકે છે, તો તે સમજવા આ શ્વાન માતાની આંખોમાં ઝાંખી કરી લેવી પૂરતી છે. ફોટો ઝૂમ કરીને જોતા જ તેની આંખોમાં છલકાતી લાચારી, આશ્ચર્ય અને નિઃશબ્દ કૃતજ્ઞતા હૃદયને અંદર સુધી હચમચાવી મૂકે તેવી સ્પષ્ટ લાગણી અનુભવાય છે, જાણે કે તે માતા નિઃશબ્દ કહી રહી હોય — “માણસોમાં હજુ ઈશ્વર જીવંત છે…” દેવર્ષી ગાંધીનું આ કાર્ય સાચા અર્થમાં ઈશ્વર આરાધના સમાન છે. પૂજાથી પણ મહાન આ સેવા છે, જેમાં કોઈ નિઃસહાય જીવની પીડા ઓછી થાય છે. ત્યારે ઈશ્વરને ત્યાં તેની વાસ્તવમાં નોંધ લેવાય છે.  કારણ કે ઈશ્વર કદાચ શબ્દોમાં નહીં, પરંતુ આવી સંવેદનાસભર હદય અને કરુણાભીની ક્ષણોમાં વસે છે. સમાજ આજે ભલે સંવેદનશૂન્ય બનતો જાય, પરંતુ દેવર્ષી જેવા લોકો માનવતાની છેલ્લી દીવાદાંડી સમાન છે — જે હજુ પણ દુનિયાને પ્રકાશ આપે છે. શત શત પ્રણામ દેવર્શી ગાંધી જેવી સંવેદનશીલ આત્માઓને… નમન એ મૂક આંખોના સામર્થ્યને, જે શબ્દો વિના પણ હૃદય સુધી પહોંચી શકે છે… સેલ્યુટ એવા કલાધરને જે… આવી અદભૂત ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરી શકયા છે, અને તે ક્ષણને અમર બનાવનાર એ ફોટોગ્રાફ્રર પણ એટલા જ અભિનંદનને પાત્ર છે, કારણ કે ઘણીવાર એક તસ્વીર, આખા સમાજને એ સંદેશ આપી જાય છે, જે હજારો ભાષણો પણ નથી આપી શકતા. આ માત્ર એક ફોટોગ્રાફ નથી… આ માનવતા અને સંવેદનાની જીવંત વ્યાખ્યા છે. આ તસ્વિર વાસ્તવમાં વર્લ્ડ ફોટોગ્રાફી એવોર્ડને પાત્ર છે #UtpalMehtaProducer

Health, Achievers, Bio Graphy, Cover Story

વડોદરા સ્થિત મુઠી ઉંચેરો માનવી એટલે“અરહમ ઓર્ગેનિક સ્ટોર” ના સ્થાપક શ્રી ધિરેનભાઇ મહેતા

Written By : Utpal Mehta (ઉત્પલ મહેતા) 10th May, 2026 ભારતની ધરતીને “બહુ રત્ના વસુંધરા” કહેવાય છે. આ વાક્ય માત્ર એક અલંકારિક અભિવ્યક્તિ નથી, પરંતુ એ આપણા સમાજમાં વસતા એવા અણમોલ માનવો માટે વપરાતું સચોટ વર્ણન છે, જેઓ પોતાના કાર્ય, વિચાર અને માનવતાથી સમાજમાં આશાનો દીવો પ્રગટાવતા રહે છે. આજના સમયમાં, જ્યાં મોટાભાગના લોકો જીવનને માત્ર સ્વહિત અને આર્થિક લાભના દૃષ્ટિકોણથી જોતા થયા છે, ત્યાં પણ કેટલીક વ્યક્તિઓ એવી હોય છે જેઓ પોતાના હૃદયની વિશાળતા, સેવા ભાવના અને સંવેદનશીલતાથી માનવતાને જીવંત રાખે છે. આવી જ એક પ્રેરણાદાયી વ્યક્તિ છે વડોદરા સ્થિત “અરહમ ઓર્ગેનિક સ્ટોર”ના સ્થાપક શ્રી ધિરેનભાઈ મહેતા. શ્રી ધિરેનભાઈ મહેતા મૂળ કચ્છ-ભુજના વતની છે. જીવનના સંઘર્ષોને પાર કરીને તેઓ વર્ષોથી વડોદરામાં સ્થાયી થયા અને પોતાની મહેનત, અનુભવ તથા સંશોધનાત્મક દૃષ્ટિથી સફળતાનો માર્ગ બનાવ્યો. તેઓ માત્ર વ્યવસાયી નથી, પરંતુ જીવનને ઊંડાણપૂર્વક સમજતા, માનવ સ્વભાવનું અધ્યયન કરનાર અને સમાજની જરૂરિયાતોને અનુભવનાર વ્યક્તિત્વ છે. તેમનો વ્યવસાયિક અને વૈજ્ઞાનિક અનુભવ અત્યંત વૈવિધ્યસભર રહ્યો છે. તેઓ એરોસ્પેસ, ઇલેક્ટ્રોનિક્સ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તથા આરોગ્યલક્ષી ક્ષેત્ર સાથે સંકળાયેલા રહ્યા છે. પરંતુ તેમની સૌથી વિશેષ અને પ્રેરણાદાયી બાબત એ છે કે તેઓ કોઈપણ વ્યક્તિની ખામીઓ કરતાં તેની સકારાત્મકતાઓને વધુ મહત્વ આપે છે. કોઈની ટીકા કરવાની જગ્યાએ તે વ્યક્તિ માં રહેલી સારી બાબતોને ગ્રહણ કરવાની તેમની આદત, તેમના વ્યક્તિત્વને વધુ ઉન્નત બનાવે છે. તેમની પાસે કોઈ વ્યક્તિ પોતાની સમસ્યા લઈને જાય અને તેઓ તેને મદદ કરવાનો પ્રયત્ન ન કરે, એવું ભાગ્યે જ બને. તેમના માટે માણસ પહેલા અને વ્યવસાય પછી આવે છે. તેમની અંદર રહેલી આ માનવતાની ભાવના જ તેમને સામાન્ય વ્યવસાયીઓથી અલગ બનાવે છે. કોરોના મહામારીના અતિ કઠિન સમયમાં, જ્યારે સમગ્ર માનવજાત ભય અને અનિશ્ચિતતામાં જીવતી હતી, ત્યારે શ્રી ધિરેનભાઈએ સેવા અને કરુણાનો માર્ગ પસંદ કર્યો. ખાસ કરીને જૈન સાધુ-સાધ્વીજીઓ માટે યોગ્ય ખાદ્ય પદાર્થો અને કુદરતી ઔષધીય સામગ્રી પહોંચાડવાની જરૂરિયાત અનુભવી. આ સેવા કાર્ય દરમિયાન તેમને એક મહત્વપૂર્ણ સત્ય સમજાયું — કે રસાયણિક ખાતરોથી ઉગાડવામાં આવતા ખાદ્ય પદાર્થોની તુલનામાં સજીવ ખેતી દ્વારા ઉત્પાદિત અનાજ, મસાલા અને ખોરાક શરીરને વધુ આરોગ્યપ્રદ અને સુરક્ષિત બનાવે છે. આ વિચાર માત્ર વિચાર બની રહ્યો નહીં; પણ તેમણે તેને જીવનમાં ઉતારવાનો નિશ્ચય કર્યો. ત્યારબાદ શરૂ થયો એક ઊંડો સંશોધનપ્રવાસ. કયા પ્રદેશમાં કઈ વસ્તુ શ્રેષ્ઠ ગુણવત્તાની મળે છે? કઈ જમીન અને વાતાવરણમાં ઉત્પાદિત સામગ્રી સૌથી વધુ પ્રાકૃતિક ગુણધર્મો ધરાવે છે? આવા અનેક પ્રશ્નોના જવાબ શોધવામાં તેમણે પોતાને સમર્પિત કર્યા. તેમનું માનવું છે કે કોઈપણ ખાદ્ય સામગ્રી તેની મૂળ ભૂમિમાંથી મેળવવામાં આવે તો તેની ગુણવત્તા અને ઔષધીય તત્ત્વો વધુ સારી રીતે જળવાઈ રહે છે. કોરોના કાળ દરમિયાન તેમણે આ ક્ષેત્રે ખૂબ જ ઊંડાણપૂર્વક કાર્ય કર્યું અને પછી વિચાર કર્યો કે આ જ્ઞાન માત્ર પોતાની પાસે જ શા માટે રાખવું? સમાજના આરોગ્ય માટે તેનો વ્યાપક ઉપયોગ કેમ ન કરવો? આ વિચારમાંથી જ જન્મ થયો વડોદરા, અકોટા ખાતે સયાજી હોલની બાજુમાં આવેલ “અરહમ ઓર્ગેનિક સ્ટોર”નો. આજે આ સ્ટોર માત્ર એક દુકાન નથી, પરંતુ આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ દોરી જતું એક વિશ્વાસપાત્ર કેન્દ્ર બની ગયું છે. અહીં દેશના વિવિધ પ્રદેશોમાંથી લાવવામાં આવેલી લગભગ હજારેકથી વધુ ઓરિજિનલ અને ગુણવત્તાસભર ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ છે. શ્રી ધિરેનભાઈ આરોગ્ય અને આયુર્વેદ વિષયક અનેક રસપ્રદ તથ્યો રજૂ કરે છે. ઉદાહરણ તરીકે તેઓ જણાવે છે કે સામાન્ય હળદરમાં ૨ થી ૪ ટકા સુધી કર્ક્યુમિન હોય છે, જ્યારે વિશેષ પ્રદેશોમાંથી મેળવવામાં આવેલી ઉચ્ચ ગુણવત્તાની હળદરમાં ૭ થી ૧૦ ટકા સુધી કર્ક્યુમિન મળી શકે છે. આ તત્ત્વ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને વિવિધ રોગોમાં નોંધપાત્ર સ્તરે ઉપયોગી સાબિત થઈ શકે છે. તેઓ કહે છે કે જ્યારે ઉત્તમ ગુણવત્તાની હળદરને દેશી ગાયના શુદ્ધ ઘી સાથે યોગ્ય રીતે ઇન્ફ્યુઝ કરવામાં આવે, ત્યારે તેના વધુ સારા પરિણામો જોવા મળે છે. જોકે તેઓ આ બાબતમાં ગેરસમજ  ફેલાવતા નથી. તેઓ સ્પષ્ટપણે માનતા હોવાને કારણે ઈમાનદારીપુર્વક કહે છે કે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ હોય છે, માટે ઔષધિની અસર પણ દરેક વ્યક્તિ એ અલગ અલગ હોઇ શકે, આરોગ્ય અને ઔષધિની અસરમાં શરીરની આંતરિક સ્થિતિ કે પ્રક્રતિ પણ એટલી જ અગત્યની છે. છતાં, આપણા ઋષિ-મુનિઓએ આપેલું આયુર્વેદિક જ્ઞાન અત્યંત મૂલ્યવાન છે અને તેને અવગણવું યોગ્ય નથી. તેમનું માનવું છે કે જો સમાજ રસાયણમુક્ત ખોરાક તરફ વળે, તો લોકોના આરોગ્યમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે, બાળકોમાં સારો શારીરિક વિકાસ થાય અને માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ સકારાત્મક અસર પડે. ખરેખર, “જેટલો શુદ્ધ ખોરાક, એટલું વધુ તંદુરસ્ત શરીર” — આ વિચારને તેમણે માત્ર શબ્દોમાં જ નહીં, પરંતુ પોતાના કાર્ય દ્વારા પણ જીવંત બનાવ્યો છે. તેઓએ વિવિધ ગંભીર રોગોમાં ઓર્ગેનિક પદાર્થોના ઉપયોગથી સકારાત્મક પરિણામો મેળવવાના પ્રયાસો કર્યા છે અને મેળવ્યા છે, આ ક્ષેત્રે તેમનું સંશોધન આજે પણ સતત ચાલુ છે. દેશના વિવિધ પ્રદેશોમાંથી મૂળ અને ગુણવત્તાસભર પ્રોડક્ટ્સ શોધી, તેને લોકો સુધી પહોંચાડવાની તેમની ભાવના માત્ર વ્યવસાયિક નથી, પરંતુ એક પ્રકારની સામાજિક સેવા છે. તેઓ લોકોના આરોગ્ય માટે કાર્ય કરી રહ્યા છે અને કદાચ આ જ કારણ છે કે તેઓ માત્ર નફો નહીં, પરંતુ લોકોના આશીર્વાદ પણ કમાઈ રહ્યા છે. આજે જ્યારે આરોગ્ય સંદર્ભ સમસ્યાઓ દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે સમાજે માત્ર દવાઓ પાછળ ખર્ચ વધારવાને બદલે ખોરાકની શુદ્ધતા અને જીવનશૈલીની ગુણવત્તા અંગે વધુ જાગૃત થવાની જરૂર છે. શ્રી ધિરેનભાઈ મહેતા જેવા લોકો સમાજ માટે પ્રેરણાસ્ત્રોત છે. તેઓ આપણને યાદ અપાવે છે કે સાચી સફળતા માત્ર સંપત્તિમાં નથી, પરંતુ સમાજને આપેલી સકારાત્મક દિશામાં છે. અંતે એટલું જ કહી શકાય કે, જો સમાજ આરોગ્યપ્રદ અને રસાયણમુક્ત જીવન તરફ આગળ વધવા ઇચ્છે, તો આવા પ્રયાસોને સમજવા, અપનાવવા અને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. કારણ કે સારા આરોગ્યથી મોટું કોઈ ધન નથી. જેઓ ઇચ્છે તેઓ શ્રી ધિરેનભાઈ મહેતાનો સીધો સંપર્ક કરી શકે : 97 12 69 95 40. #UtpalMehtaProducer

Poems

“દિકરી વ્હાલનો દરિયો, દિકરી તલુસીનો ક્યારો.”

Author : Dr. T. C. Chauhan, South Jersey, USA દિકરી એટલે……….દિકરી વ્હાલનો દરિયો, દિકરી તલુસીનો ક્યારો. દિકરી સંસારનો કંસાર, દિકરી કંસારની મિઠાશ,દિકરી સાગરનો ઘુઘવાટ, દિકરી દુનિયાનો કિનારો;દિકરી સાગરનો પમરાટ, દિકરી હાસ્યનો ગલગોટો,દિકરી મહેકતો મોગરો, દિકરી સહ્યાબો ગુલાબ; દિકરી વ્હાલનો દરિયો, દિકરી તલુસીનો ક્યારો. દિકરી પંખીનું ઊડાણ, દિકરી હંસની નજાકત,દિકરી કળાયેલ મોરલો, દિકરી કોયલનો ટહુકો;દિકરી શિયાળોનું તાપણું, દિકરી ભર તડકાનો છાંયડો,દિકરી વર્ષાનો હેલડો, દિકરી વસંતનો વાયરો; દિકરી વ્હાલનો દરિયો, દિકરી તલુસીનો ક્યારો. દિકરી લાગણીનો દિવડો, દિકરી એકાંતનો ડાયરો,દિકરી સુવિચારનો સથવારો, દિકરી મનનો મોતી ચારો;દિકરીનો સ્નેહ બધાથી ન્યારો, દિકરીનો ચહરો સૌથી પ્યારો;દિકરી સૌને ભુલાવે એવી, દિકરી પૃથ્વીલોકની દેવી. દિકરી વ્હાલનો દરિયો, દિકરી તલુસીનો ક્યારો.મિતા અને તુષાર ચૌહાણ.20મી ફેબ્રુઆરી, 2026વડોદરા

Adventure, Tours & Travels

तीन दिन तेंदुए के बीच – रोमांचक सत्य घटनांए – 1

Real Thrilling Incidents – Three Days Between Leopards Written By : Utpal Mehta (ઉત્પલ મહેતા) 6th May, 2026 रोमांच, बारिश और मौत से सामना प्रकृति, भय, रोमांच और जीवन के सबसे अविस्मरणीय अनुभवों की दास्तान भुमिका … नमस्कार मित्रों, मैं मूलतः गुजराती भाषी हूँ। हिंदी बोलने का अवसर जीवन में थोडा-बहुत मिला, क्योंकि मेरा अधिकांश समय मुंबई में बीता और हिंदी फ़िल्मों, टीवी धारावाहिकों तथा हिंदीभाषी मित्रों के बीच रहना हुआ। परंतु किसी भाषा को बोलना और उसी भाषा में प्रभावशाली लेखन करना — दोनों अलग बातें हैं। हिंदी लेखन में मेरी सीमाएँ हैं, किंतु प्रकृति, जंगल और रोमांच के प्रति जो लगाव है, वह बिल्कुल अलग बात है, कह शकते है की यह मेरा एक पेशन है। सो यह अनुभव, में प्रमाणिकता के साथ यहां प्रस्तुत करने कोशिश रहा हूँ। जब मैंने डिजिटल मैगज़ीन शुरू कीया, तब भाषा को लेकर कोई निश्चित योजना नहीं थी। लेकिन धीरे-धीरे महसूस हुआ कि ओर विषयों के साथ यदि प्रकृति और वन्यजीवन के ऐसे अनुभव केवल क्षेत्रीय भाषा तक रहे तो वह सीमित रह जाएँगे। भले ही मेरी हिंदी साहित्यिक न हो, पर यदि मेरी बात देश-विदेश के प्रकृति-प्रेमियों तक पहुँच शके, नई पीढ़ी को जंगल और प्रकृति के प्रति आकर्षित कर शके, तो यही, इस प्रयास की सबसे बड़ी सफलता होगी। यह वह समय है की जब मनुष्य को फिर से प्रकृति की ओर लौटने की आवश्यकता है। जंगल, प्रकृति केवल रोमांच नहीं देते, वे भीतर की थकान को धोते हैं, मन को शांत करते हैं और जीवन को नई ऊर्जा प्रदान करते हैं। यह अनुभव सिध्ध स्टेट्मेंट है, जीस की चर्चा फीर कभी। वन्यजीवन, एडवेंचर टूर और विशेष रूपसे गर्मीओं में हिमालय यात्राएँ — यह मेरा सबसे बड़ा शौक रहा है। हर यात्रा के बाद मैं स्वयं को भीतर से बदला हुआ महसूस करता हूँ। मेरे और मेरे जैसे ही लाइक माइन्डेड दोस्तों के कुछ रोमांचक – थ्रिलिंग अनुभव रहें है, मानता हुं पाठकों को यह जरूर पसंद आएगा, इन्हीं अनुभवों को अलग-अलग अध्यायों में आपके सामने रखने का यह प्रयास है। यह केवल यात्रा-वृत्तांत नहीं, बल्कि प्रकृति के बीच जीए गए वास्तविक क्षणों का दस्तावेज़ है। हर यात्रा के बाद ऐसा लगता है मानो भीतर कोई नई शक्ति जन्म ले चुकी हो। जहां ह्म कुदरत के ज्यादा करीब पहुंचा हुआ महेसुस कर पाए. इस श्रृंखला में वर्णित घटनाएँ पूर्णतः सत्य हैं। इनमें रोमांच अवश्य है, परंतु कहीं भी कल्पना का सहारा लेकर नाटकीय तत्व जोड़ने का प्रयास नहीं किया गया है। जो जैसा घटित हुआ, उसे उसी रूप में प्रस्तुत करने का प्रयास किया है। सामान्यत: प्रवास वर्णन आम विषय की अपेक्षा, विस्त्रुत होता है, वही उसकी मजा है। यह कहानी नहीं है। यह एक ऐसा अनुभव है, जहां खतरा, रोमांच, जंगल जिवनकी अनुभुति और भय एक ही रास्ते पर साथ-साथ चलते रहे है। मेरे वे मित्र, जिनकी वजह से यह यात्रा संभव हुई ;- मेरे कुछ आत्मिय मित्र वर्षों से इको-टूरिज़्म और वाइल्डलाइफ़ एडवेंचर से जुड़े हुए हैं। उनमें से एक हैं कर्णावती (अहमदाबाद) निवासी श्री मनिष वैद्य, और दूसरे हैं धरमपुर, वलसाड निवासी श्री परेश रावल, ग्रुप में जिन्हें सभी “पार्थ” नामसे ज्यादा जानते हैं। मनीषभाई एज्युकेशन से वकील हैं, पर्यावरण विशेषग्य हैं, और देश की कई एडवाइजरी कमिटियों, रिज़र्व फ़ॉरेस्ट, सेंचुरी और नेशनल पार्क्स से जुड़े रहे हैं। प्रकृति के प्रति उनके गहरे प्रेम ने उन्हें पर्यटन को केवल व्यवसाय नहीं, बल्कि जीवन का उद्देश्य बना ने प्रेरित किया। उनकी संस्था “लोरिस एसोसिएट्स” इको-टूरिज़्म क्षेत्र में विशेष कार्य करती है। इसी प्रकार, वलसाड, धरमपुर स्थित मित्र पार्थ ने “नेचर डिस्कवरी” नाम से संस्था बनाई है, जिसके अंतर्गत अनेक प्रकृति एवं जंगल यात्राओं का आयोजन किया जाता है। शुरुआत — यह घटना वर्ष 2018 के मानसून की है। मनीषभाई दक्षिण गुजरात में एक नए इको-टूरिज़्म स्पॉट की तलाश में थे। इसी सिलसिले में हमारे मित्र श्री योगेशभाइपाटील और राकेशभाइ पाटील ने हमें सोनगढ़ फ़ोर्ट आने आमंत्रित किया। उनका “कैल्स” नामक होटल महाराष्ट्र बॉर्डर के नजदीक, एक शांत और घने जंगल से घिरे क्षेत्रके नजदिक में स्थित है। जिवनमें एक बार अवश्य मुलाकात करने योग्य स्थल है, मोनसुनमें “कैल्स” होटेल के सौंदर्य को शब्दो में वर्णीत कर पाना मुश्किल है .   यह इलाका साधारण जंगल नहीं है। हम इस सर्च  के अंतर्गत, दक्षिण गुजरात के सोनगढ फोर्ट के पास में स्थित, घने जंगल की ट्रीप पर निकले, जंगल का, बारिश के दौरान का माहोल मुश्किल ओर जोखिम भरा होता है ।  मनीषभाई अहमदाबाद से आ रहे थे। किसी कारणवश उन्हें देरी हो गई, इसलिए वडोदरा से निकलने में भी हमें दो-तीन घंटे देर हो गई। हम शाम लगभग पाँच बजे मेरी मारुति कार से निकले। गुजरात के हाईवे, यदि सावधानी से ड्राइव किया जाए, तो किसी “लॉन्ग ड्राइव एक्सपीरियंस” से कम नहीं लगते। हम दक्षिण गुजरात के घने जंगलों की ओर निकल पड़े। कहो, जंगल हमें बुला रहा था… हम बड़ौदा से शाम करीब पांच बजे निकले। गुजरात के लंबे हाईवे पर धीमी बारिश के बीच सफर किसी फिल्मी दृश्य जैसा लग रहा था। कहीं चाय, कहीं कॉफी, कहीं सड़क किनारे नाश्ता… बिना जल्दबाजी के सफर आगे बढ़ रहा था। बरसात की मौसम में जंगल का वातावरण अत्यंत सुंदर होने के साथ-साथ खतरनाक भी होता है। कीचड़, फिसलन, अंधेरा, जंगली जानवर और अनिश्चित रास्ते — हर क्षण जोखिम से भरे होते हैं। में इस संदर्भ मे थोडा मूडी हुं, कहीं बार ऐसा हुआ है की सफर के दौरान अगर रास्ता जंगल से गुजरता हो तो में कार साइड मे खडी कर के कुछ देर वहीं बीता ने कोशिश करता हुं। कभी डर भी लगता है, उसे भगाने भी कोशिश करता हुं. मगर मुजे वह थ्रीलींग लगता है. जो लोग केवल सुरक्षित और आरामदायक पर्यटन पसंद करते हैं, वे जंगल प्रवास से दूर रहे। सीर्फ होटेल “कैल्स” अनुभव भी काफी है. उसके आसपास का सौंदर्य भी आपको अदभुत कुदरती अनुभव महेसुस कराएगा.      मित्र योगेशभाई पाटील और उनके छोटे भाई राकेश पाटील “कैल्स” को एक सुंदर होटल के रुप में सम्हाल रहे  है। इतना दूरस्थ इलाका होने के बावजूद वहाँ रहने और भोजन की उत्तम व्यवस्था है। आसपास तेंदुओं का दिखाई देना वहाँ आम बात मानी जाती है। यही क्षेत्र के बिलकुल नजदिक से महाराष्ट्र सीमा की शुरुआत भी

Poems

“જય જય ગરવી ગુજરાત”

જય જય ગરવી ગુજરાત !જય જય ગરવી ગુજરાત,દીપે અરૂણું પરભાત,ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્ય અંકીત;તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત –ઊંચી તુજ સુંદર જાત,જય જય ગરવી ગુજરાત. ઉત્તરમાં અંબા માત,પૂરવમાં કાળી માત,છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-છે સહાયમાં સાક્ષાતજય જય ગરવી ગુજરાત. નદી તાપી નર્મદા જોય,મહી ને બીજી પણ જોય.વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-સંપે સોયે સઉ જાત,જય જય ગરવી ગુજરાત. તે અણહિલવાડના રંગ,તે સિદ્ધ્રરાજ જયસિંગ.તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-જન ઘૂમે નર્મદા સાથ,જય જય ગરવી ગુજરાત. – કવિશ્રી નર્મદ

ટોચ પર સ્ક્રોલ કરો