લેખકનું નામ: Utpal Mehta

Utpal Mehta is a basically a Producer of Hindi Film & Television Programs. He has worked as a Producer, Associate Director, Director, Concept Writer, Story Writer, Script Writer, He is Host of a YouTube Programme, named: #UtpalMehtaShow, Number of categories falls under his credit. He is a voracious Reader, Gujarati Community have its foot print in more then 123 Countries, which inspired him to establish a single platform to unite this Globally Spread Community. So he Founded "Gujarati World Association" - GWA, (A Digital Platform), Thru which he wish to create a bridge between worldwide Gujarati Community. This Magazine is also one of the aspect of that mission.

Poems

સાવજ ગરજે ! – ચારણ-કન્યા

Written By : Zaverchand Meghani (National Poet) 14th May 2026         (1928 ગીરમાં તુલસીશ્યામની નજીક ચારણોનો એક નેસ છે. ત્યાંની હીરબાઇનામની એક ચૌદ વર્ષની ચારણ-કન્યાએ એકલીએ પોતાની વાછડીને મારનાર વિકરાળ સિંહને વાછડીનું માંસ ચાખવા ન દેતાં લાકડી વતી હાંકી મૂક્યો હતો. “તુલસીશ્યામથી બે ગાઉ ઝવેરચંદ મેઘાણી, દુલા કાગ વિગેરે … ખજૂરીને નેસડે હતા,ત્યાં રાડ થઇ. સાવજ ડણક્યો. હાકોટા થવા માંડ્યા. સાંજવેળા થઇ હતી. ખાડું-ધણ ઝૂંપડે આવતાં હતાં. તેમાંથી હીરબાઇ કરી એક ચારણ બાઇની વોછરડીને સાવજે પાદરમાં જ પાડી. બધાદોડ્યા.વીસેક જણ હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઇ ક્યારનીયે ત્યાં પહોંચી ગઇ હતી. મરેલી વાછરડી પર એ ચારણ-કન્યા ચડીને સાવજ સામે સોટો વીંઝતી હતી. સાવજ બે પગે સામો થઇ હોંકારા કરતો હતો. બાઇ સાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણી બાઇએ સાવજને ખાવા ન દીધી….એ વખતે ‘ચારણ-કન્યા’ ગીત મેઘાણી સાહેબ કાગળ-કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઊઠ્યું. આંખો લાલ ઘ્રમેલ ત્રાંબા જેવી થઇ ગઇ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડમાંડ પકડી રાખેલા.” – દુલા કાગ) સાવજ ગરજે !વનરાવનનો રાજા ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજેઐરાવતકુળનો અરિ ગરજેકડ્યપાતળિયો જોધ્ધો ગરજેમોં ફાડી માતેલો ગરજેજાણે કો જોગંદર ગરજેનાનો એવો સમદર ગરજે ! ક્યાં ક્યાં ગરજે?બાવળના જાળામાં ગરજેડુંગરના ગાળામાં ગરજેકણબીના ખેતરમાં ગરજેગામ તણા પાદરમાં ગરજેનદીઓની ભેખડમાં ગરજેગિરિઓની ગોહરમાં ગરજેઊગમણો આથમણો ગરજેઓરો ને આઘેરો ગરજે થર થર કાંપે !વાડામાં વાછડલાં કાંપેકૂબામાં બાળકડાં કાંપે મધરાતે પંખીડાં કાંપેઝાડતણાં પાંદડલાં કાંપેસૂતાં ને જાગંતાં કાંપેજડ ને ચેતન સૌ એ કાંપેઆંખ ઝબૂકે ! કેવી એની આંખ ઝબૂકે !વાદળમાંથી વીજ ઝબૂકેજોટે ઊગી બીજ ઝબૂકે જાણે બે અંગાર ઝબૂકેહીરાના શણગાર ઝબૂકે જોગંદરની ઝાળ ઝબૂકેવીર તણી ઝંઝાળ ઝબૂકે ટમટમતી બે જ્યોત ઝબૂકેસામે ઊભું મોત ઝબૂકે જડબાં ફાડે! ડુંગર જાણે ડાચા ફાડે!જોગી જાણે ગુફા ઉઘાડે!જમરાજાનું દ્વાર ઉઘાડે!પૃથ્વીનું પાતાળ ઉઘાડે!બરછી સરખા દાંત બતાવેલસ! લસ! કરતી જીભ ઝુલાવે. બહાદર ઊઠે! બડકંદાર બિરાદર ઊઠેફરસી લેતો ચારણ ઊઠેખડગ ખેંચતો આહીર ઊઠે બરછી ભાલે કાઠી ઊઠેઘરઘરમાંથી માટી ઊઠે ગોબો હાથ રબારી ઊઠેસોટો લઇ ઘરનારી ઊઠે ગાય તણા રખવાળો ઊઠેદૂધમલા ગોવાળો ઊઠેમૂછે વળ દેનારા ઊઠેખોંખારો ખાનારા ઊઠે માનું દૂધ પીનારા ઊઠેજાણે આભ મિનારા ઊઠે ઊભો રે’જે !ત્રાડ પડી કે ઊભો રે’જે!ગીરના કુત્તા ઊભો રે’જે!કાયર દુત્તા ઊભો રે’જે!પેટભરા ! તું ઊભો રે’જે!ભૂખમરા ! તું ઊભો રે’જે! ચોર-લૂંટારા ઊભો રે’જે!ગા-ગોઝારા ઊભો રે’જે! ચારણ—કન્યા !ચૌદ વરસની ચારણ કન્યાચૂંદડિયાળી ચારણ કન્યાશ્વેતસુંવાળી ચારણ-કન્યાબાળી ભોળી ચારણ-કન્યાલાલ હીંગોળી ચારણ-કન્યાઝાડ ચડંતી ચારણ-કન્યાપહાડ ઘુમંતી ચારણ—કન્યાજોબનવંતી ચારણ-કન્યાઆગ-ઝરંતી ચારણ-કન્યાનેસ-નિવાસી ચારણ-કન્યાજગદંબા-શી ચારણ-કન્યાડાંગ ઉઠાવે ચારણ-કન્યાત્રાડ ગજાવે ચારણ-કન્યાહાથ હિલોળી ચારણ-કન્યાપાછળ દોડી ચારણ-કન્યા ભયથી ભાગ્યો;સિંહણ, તારો ભડવીર ભાગ્યોરણ મેલીને કાયર ભાગ્યોડુંગરનો રમનારો ભાગ્યોહાથીનો હણનારો ભાગ્યોજોગીનાથ જટાળો ભાગ્યોમોટો વીર મૂછાળો ભાગ્યોનર થઇ તું નારીથી ભાગ્યોનાનકડી છોડીથી ભાગ્યો! રાષ્ટ્રીય શાયરઝવેરચંદ મેઘાણી.માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશ માટે ગૌરવરુપ અદ્ભુત સર્જન, આવા વાસ્ત્વમાં, જેને દેવી પુત્ર કહેવા જ પડે, તેવા સમર્થ સર્જકને શત શત પ્રણામ. #UtpalMehtaProducer

Photo Story, Motivational, Spiritual

મનુષ્ય કન્યાની સંવેદનશીલતાને અચરજભરી નજરે જોઇ રહેલ મુક શ્વાન માતા

મૂક પ્રાણીની આંખોમાં છલકાતી કૃતજ્ઞતા માનવતાની એવી તસ્વીર, જે પાષાણ હૃદયને પણ ભીની કરી દે… કળિયુગના આ ઝડપી અને સંવેદનહીન બની રહેલા સમયમાં, જ્યાં માણસ માણસની પીડા સમજવાનું કે અનુભવવાનું પણ જાણે કે ભુલી ગયો છે, ત્યાં કોઈ એક સંવેદનશીલ આત્મા જ્યારે મૂક પ્રાણીની વેદનાને પોતાની વેદના સમજી આગળ આવે, ત્યારે માનવતા હજુ જીવંત છે તેવો વિશ્વાસ ફરી જન્મે છે.  આવી જ એક હૃદયસ્પર્શી અને શબ્દાતીત ઘટના વડોદરાની ધરતી પર સર્જાઈ ગઈ. આ એક એવી તસ્વીર કથા છે, જે લાખો શબ્દો કરતાં પણ ઘણું કહી જાય છે,  હૃદયમાં ઉંડે ઉતરી જાય છે. ન્યુ વી.આઈ.પી. રોડ, વડોદરા ખાતે રહેતી કોમ્પ્યુટર એન્જિનિયર કુમારી દેવર્ષી ગાંધી માટે તે માત્ર એક ગલુડિયું નહોતું… તે કોઇ એક પીડાતું રિબાતુ જીવન હતું.  રસ્તા પર ઢસડાઈને ચાલતું, પાછળના બંને પગ કચડાઈ જતા અસહ્ય પીડા સહન કરતું તે નિર્દોષ ગલુડિયું, કદાચ પોતાની વેદના વ્યક્ત પણ કરી શકતું નહોતું. પરંતુ વેદનાની ભાષા માત્ર શબ્દોમાં નથી હોતી… તે આંખોમાં, હલનચલનમાં અને નિઃશબ્દ ચીસોમાં વસતી હોય છે, અને હદયથી જીવનાર આત્મા તે સમજી શકે છે, તે આ ઘટના જોતા લાગે કે નિ:શંક છે. દેવર્ષીનું હૃદય આ દ્રશ્ય જોઈ હચમચી ઉઠ્યું. સતત એક જ વિચાર તેને અંદરથી કચડી રહ્યો હતો — “આ નિર્દોષ જીવને થોડી રાહત કેવી રીતે આપી શકાય?” આ વિચાર માત્ર ક્ષણિક દયા નહોતો, પરંતુ એક જીવંત સંવેદનાનો ઉદય હતો. અંતે, તેની કરુણાભીની લાગણીએ એક અનોખો માર્ગ શોધી કાઢ્યો. દેવર્ષીએ પોતાની મહેનત અને સર્જનાત્મકતાથી “વેસ્ટમાંથી બેસ્ટ”ના સિદ્ધાંત પર એક નાનકડી ચાલણગાડી તૈયાર કરી. અત્યંત કાળજીપૂર્વક પટ્ટાઓ વડે તે ગલુડિયાની કમર સાથે જોડવામાં આવી. જે ગલુડિયું સતત ઢસડાઈને ચાલતું હતું, તે હવે ફરી હલનચલન કરી શકતું બન્યું. તેને પીડામાંથી છુટકારો મળ્યો. કદાચ તેને માટે આ માત્ર ચાલણગાડી નહોતી… એ તો ફરી જીવવાના આશીર્વાદ હતા. પણ આ સમગ્ર દ્રશ્યમાં સૌથી વધારે હૃદય ચીરનાર ક્ષણ હતી — ગલુડિયાની માતાની આંખો… બાજુમાં અડીખમ ઉભેલી શ્વાન માતા, પોતાના સંતાનને મળેલી આ અનોખી રાહતને અચરજ, કરુણા, લાગણી અને અતી ઋણ સ્વીકારના ભાવ સાથે નિહાળી રહી હતી.  તેને જાણે કે કંઈક કહેવું હતું, પણ વાચા નહોતી, એટલે વગર શબ્દો એ પણ આંખોની ભાષા દ્વારા લાખો લાગણીઓ જાણે કે વ્યકત થઈ રહી હતી. માનવી ઘણીવાર લાગણીઓને શબ્દોથી વ્યક્ત કરવા છતાં, જે અભિવ્યક્ત નથી કરી શક્તો, તે પ્રાણીઓ માત્ર આંખો અને હાવભાવ દ્વારા વ્યકત કરી, સીધા આત્મા સુધી પહોંચાડી શકે છે. તેનો આ બોલતો પુરાવો છે. જો કોઈ વાંચક ખરેખર તે ભાષા સમજવા ઇચ્છે કે મૂક પ્રાણી પણ પ્રેમ, વેદના, ધિક્કાર, કરુણા અને આભાર સમજી શકે છે, કે કેવી રીતે વ્યક્ત કરી શકે છે, તો તે સમજવા આ શ્વાન માતાની આંખોમાં ઝાંખી કરી લેવી પૂરતી છે. ફોટો ઝૂમ કરીને જોતા જ તેની આંખોમાં છલકાતી લાચારી, આશ્ચર્ય અને નિઃશબ્દ કૃતજ્ઞતા હૃદયને અંદર સુધી હચમચાવી મૂકે તેવી સ્પષ્ટ લાગણી અનુભવાય છે, જાણે કે તે માતા નિઃશબ્દ કહી રહી હોય — “માણસોમાં હજુ ઈશ્વર જીવંત છે…” દેવર્ષી ગાંધીનું આ કાર્ય સાચા અર્થમાં ઈશ્વર આરાધના સમાન છે. પૂજાથી પણ મહાન આ સેવા છે, જેમાં કોઈ નિઃસહાય જીવની પીડા ઓછી થાય છે. ત્યારે ઈશ્વરને ત્યાં તેની વાસ્તવમાં નોંધ લેવાય છે.  કારણ કે ઈશ્વર કદાચ શબ્દોમાં નહીં, પરંતુ આવી સંવેદનાસભર હદય અને કરુણાભીની ક્ષણોમાં વસે છે. સમાજ આજે ભલે સંવેદનશૂન્ય બનતો જાય, પરંતુ દેવર્ષી જેવા લોકો માનવતાની છેલ્લી દીવાદાંડી સમાન છે — જે હજુ પણ દુનિયાને પ્રકાશ આપે છે. શત શત પ્રણામ દેવર્શી ગાંધી જેવી સંવેદનશીલ આત્માઓને… નમન એ મૂક આંખોના સામર્થ્યને, જે શબ્દો વિના પણ હૃદય સુધી પહોંચી શકે છે… સેલ્યુટ એવા કલાધરને જે… આવી અદભૂત ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરી શકયા છે, અને તે ક્ષણને અમર બનાવનાર એ ફોટોગ્રાફ્રર પણ એટલા જ અભિનંદનને પાત્ર છે, કારણ કે ઘણીવાર એક તસ્વીર, આખા સમાજને એ સંદેશ આપી જાય છે, જે હજારો ભાષણો પણ નથી આપી શકતા. આ માત્ર એક ફોટોગ્રાફ નથી… આ માનવતા અને સંવેદનાની જીવંત વ્યાખ્યા છે. આ તસ્વિર વાસ્તવમાં વર્લ્ડ ફોટોગ્રાફી એવોર્ડને પાત્ર છે #UtpalMehtaProducer

Health, Achievers, Bio Graphy, Cover Story

વડોદરા સ્થિત મુઠી ઉંચેરો માનવી એટલે“અરહમ ઓર્ગેનિક સ્ટોર” ના સ્થાપક શ્રી ધિરેનભાઇ મહેતા

Written By : Utpal Mehta (ઉત્પલ મહેતા) 10th May, 2026 ભારતની ધરતીને “બહુ રત્ના વસુંધરા” કહેવાય છે. આ વાક્ય માત્ર એક અલંકારિક અભિવ્યક્તિ નથી, પરંતુ એ આપણા સમાજમાં વસતા એવા અણમોલ માનવો માટે વપરાતું સચોટ વર્ણન છે, જેઓ પોતાના કાર્ય, વિચાર અને માનવતાથી સમાજમાં આશાનો દીવો પ્રગટાવતા રહે છે. આજના સમયમાં, જ્યાં મોટાભાગના લોકો જીવનને માત્ર સ્વહિત અને આર્થિક લાભના દૃષ્ટિકોણથી જોતા થયા છે, ત્યાં પણ કેટલીક વ્યક્તિઓ એવી હોય છે જેઓ પોતાના હૃદયની વિશાળતા, સેવા ભાવના અને સંવેદનશીલતાથી માનવતાને જીવંત રાખે છે. આવી જ એક પ્રેરણાદાયી વ્યક્તિ છે વડોદરા સ્થિત “અરહમ ઓર્ગેનિક સ્ટોર”ના સ્થાપક શ્રી ધિરેનભાઈ મહેતા. શ્રી ધિરેનભાઈ મહેતા મૂળ કચ્છ-ભુજના વતની છે. જીવનના સંઘર્ષોને પાર કરીને તેઓ વર્ષોથી વડોદરામાં સ્થાયી થયા અને પોતાની મહેનત, અનુભવ તથા સંશોધનાત્મક દૃષ્ટિથી સફળતાનો માર્ગ બનાવ્યો. તેઓ માત્ર વ્યવસાયી નથી, પરંતુ જીવનને ઊંડાણપૂર્વક સમજતા, માનવ સ્વભાવનું અધ્યયન કરનાર અને સમાજની જરૂરિયાતોને અનુભવનાર વ્યક્તિત્વ છે. તેમનો વ્યવસાયિક અને વૈજ્ઞાનિક અનુભવ અત્યંત વૈવિધ્યસભર રહ્યો છે. તેઓ એરોસ્પેસ, ઇલેક્ટ્રોનિક્સ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તથા આરોગ્યલક્ષી ક્ષેત્ર સાથે સંકળાયેલા રહ્યા છે. પરંતુ તેમની સૌથી વિશેષ અને પ્રેરણાદાયી બાબત એ છે કે તેઓ કોઈપણ વ્યક્તિની ખામીઓ કરતાં તેની સકારાત્મકતાઓને વધુ મહત્વ આપે છે. કોઈની ટીકા કરવાની જગ્યાએ તે વ્યક્તિ માં રહેલી સારી બાબતોને ગ્રહણ કરવાની તેમની આદત, તેમના વ્યક્તિત્વને વધુ ઉન્નત બનાવે છે. તેમની પાસે કોઈ વ્યક્તિ પોતાની સમસ્યા લઈને જાય અને તેઓ તેને મદદ કરવાનો પ્રયત્ન ન કરે, એવું ભાગ્યે જ બને. તેમના માટે માણસ પહેલા અને વ્યવસાય પછી આવે છે. તેમની અંદર રહેલી આ માનવતાની ભાવના જ તેમને સામાન્ય વ્યવસાયીઓથી અલગ બનાવે છે. કોરોના મહામારીના અતિ કઠિન સમયમાં, જ્યારે સમગ્ર માનવજાત ભય અને અનિશ્ચિતતામાં જીવતી હતી, ત્યારે શ્રી ધિરેનભાઈએ સેવા અને કરુણાનો માર્ગ પસંદ કર્યો. ખાસ કરીને જૈન સાધુ-સાધ્વીજીઓ માટે યોગ્ય ખાદ્ય પદાર્થો અને કુદરતી ઔષધીય સામગ્રી પહોંચાડવાની જરૂરિયાત અનુભવી. આ સેવા કાર્ય દરમિયાન તેમને એક મહત્વપૂર્ણ સત્ય સમજાયું — કે રસાયણિક ખાતરોથી ઉગાડવામાં આવતા ખાદ્ય પદાર્થોની તુલનામાં સજીવ ખેતી દ્વારા ઉત્પાદિત અનાજ, મસાલા અને ખોરાક શરીરને વધુ આરોગ્યપ્રદ અને સુરક્ષિત બનાવે છે. આ વિચાર માત્ર વિચાર બની રહ્યો નહીં; પણ તેમણે તેને જીવનમાં ઉતારવાનો નિશ્ચય કર્યો. ત્યારબાદ શરૂ થયો એક ઊંડો સંશોધનપ્રવાસ. કયા પ્રદેશમાં કઈ વસ્તુ શ્રેષ્ઠ ગુણવત્તાની મળે છે? કઈ જમીન અને વાતાવરણમાં ઉત્પાદિત સામગ્રી સૌથી વધુ પ્રાકૃતિક ગુણધર્મો ધરાવે છે? આવા અનેક પ્રશ્નોના જવાબ શોધવામાં તેમણે પોતાને સમર્પિત કર્યા. તેમનું માનવું છે કે કોઈપણ ખાદ્ય સામગ્રી તેની મૂળ ભૂમિમાંથી મેળવવામાં આવે તો તેની ગુણવત્તા અને ઔષધીય તત્ત્વો વધુ સારી રીતે જળવાઈ રહે છે. કોરોના કાળ દરમિયાન તેમણે આ ક્ષેત્રે ખૂબ જ ઊંડાણપૂર્વક કાર્ય કર્યું અને પછી વિચાર કર્યો કે આ જ્ઞાન માત્ર પોતાની પાસે જ શા માટે રાખવું? સમાજના આરોગ્ય માટે તેનો વ્યાપક ઉપયોગ કેમ ન કરવો? આ વિચારમાંથી જ જન્મ થયો વડોદરા, અકોટા ખાતે સયાજી હોલની બાજુમાં આવેલ “અરહમ ઓર્ગેનિક સ્ટોર”નો. આજે આ સ્ટોર માત્ર એક દુકાન નથી, પરંતુ આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ દોરી જતું એક વિશ્વાસપાત્ર કેન્દ્ર બની ગયું છે. અહીં દેશના વિવિધ પ્રદેશોમાંથી લાવવામાં આવેલી લગભગ હજારેકથી વધુ ઓરિજિનલ અને ગુણવત્તાસભર ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ છે. શ્રી ધિરેનભાઈ આરોગ્ય અને આયુર્વેદ વિષયક અનેક રસપ્રદ તથ્યો રજૂ કરે છે. ઉદાહરણ તરીકે તેઓ જણાવે છે કે સામાન્ય હળદરમાં ૨ થી ૪ ટકા સુધી કર્ક્યુમિન હોય છે, જ્યારે વિશેષ પ્રદેશોમાંથી મેળવવામાં આવેલી ઉચ્ચ ગુણવત્તાની હળદરમાં ૭ થી ૧૦ ટકા સુધી કર્ક્યુમિન મળી શકે છે. આ તત્ત્વ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને વિવિધ રોગોમાં નોંધપાત્ર સ્તરે ઉપયોગી સાબિત થઈ શકે છે. તેઓ કહે છે કે જ્યારે ઉત્તમ ગુણવત્તાની હળદરને દેશી ગાયના શુદ્ધ ઘી સાથે યોગ્ય રીતે ઇન્ફ્યુઝ કરવામાં આવે, ત્યારે તેના વધુ સારા પરિણામો જોવા મળે છે. જોકે તેઓ આ બાબતમાં ગેરસમજ  ફેલાવતા નથી. તેઓ સ્પષ્ટપણે માનતા હોવાને કારણે ઈમાનદારીપુર્વક કહે છે કે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ હોય છે, માટે ઔષધિની અસર પણ દરેક વ્યક્તિ એ અલગ અલગ હોઇ શકે, આરોગ્ય અને ઔષધિની અસરમાં શરીરની આંતરિક સ્થિતિ કે પ્રક્રતિ પણ એટલી જ અગત્યની છે. છતાં, આપણા ઋષિ-મુનિઓએ આપેલું આયુર્વેદિક જ્ઞાન અત્યંત મૂલ્યવાન છે અને તેને અવગણવું યોગ્ય નથી. તેમનું માનવું છે કે જો સમાજ રસાયણમુક્ત ખોરાક તરફ વળે, તો લોકોના આરોગ્યમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે, બાળકોમાં સારો શારીરિક વિકાસ થાય અને માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ સકારાત્મક અસર પડે. ખરેખર, “જેટલો શુદ્ધ ખોરાક, એટલું વધુ તંદુરસ્ત શરીર” — આ વિચારને તેમણે માત્ર શબ્દોમાં જ નહીં, પરંતુ પોતાના કાર્ય દ્વારા પણ જીવંત બનાવ્યો છે. તેઓએ વિવિધ ગંભીર રોગોમાં ઓર્ગેનિક પદાર્થોના ઉપયોગથી સકારાત્મક પરિણામો મેળવવાના પ્રયાસો કર્યા છે અને મેળવ્યા છે, આ ક્ષેત્રે તેમનું સંશોધન આજે પણ સતત ચાલુ છે. દેશના વિવિધ પ્રદેશોમાંથી મૂળ અને ગુણવત્તાસભર પ્રોડક્ટ્સ શોધી, તેને લોકો સુધી પહોંચાડવાની તેમની ભાવના માત્ર વ્યવસાયિક નથી, પરંતુ એક પ્રકારની સામાજિક સેવા છે. તેઓ લોકોના આરોગ્ય માટે કાર્ય કરી રહ્યા છે અને કદાચ આ જ કારણ છે કે તેઓ માત્ર નફો નહીં, પરંતુ લોકોના આશીર્વાદ પણ કમાઈ રહ્યા છે. આજે જ્યારે આરોગ્ય સંદર્ભ સમસ્યાઓ દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે સમાજે માત્ર દવાઓ પાછળ ખર્ચ વધારવાને બદલે ખોરાકની શુદ્ધતા અને જીવનશૈલીની ગુણવત્તા અંગે વધુ જાગૃત થવાની જરૂર છે. શ્રી ધિરેનભાઈ મહેતા જેવા લોકો સમાજ માટે પ્રેરણાસ્ત્રોત છે. તેઓ આપણને યાદ અપાવે છે કે સાચી સફળતા માત્ર સંપત્તિમાં નથી, પરંતુ સમાજને આપેલી સકારાત્મક દિશામાં છે. અંતે એટલું જ કહી શકાય કે, જો સમાજ આરોગ્યપ્રદ અને રસાયણમુક્ત જીવન તરફ આગળ વધવા ઇચ્છે, તો આવા પ્રયાસોને સમજવા, અપનાવવા અને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. કારણ કે સારા આરોગ્યથી મોટું કોઈ ધન નથી. જેઓ ઇચ્છે તેઓ શ્રી ધિરેનભાઈ મહેતાનો સીધો સંપર્ક કરી શકે : 97 12 69 95 40. #UtpalMehtaProducer

Poems

“દિકરી વ્હાલનો દરિયો, દિકરી તલુસીનો ક્યારો.”

Author : Dr. T. C. Chauhan, South Jersey, USA દિકરી એટલે……….દિકરી વ્હાલનો દરિયો, દિકરી તલુસીનો ક્યારો. દિકરી સંસારનો કંસાર, દિકરી કંસારની મિઠાશ,દિકરી સાગરનો ઘુઘવાટ, દિકરી દુનિયાનો કિનારો;દિકરી સાગરનો પમરાટ, દિકરી હાસ્યનો ગલગોટો,દિકરી મહેકતો મોગરો, દિકરી સહ્યાબો ગુલાબ; દિકરી વ્હાલનો દરિયો, દિકરી તલુસીનો ક્યારો. દિકરી પંખીનું ઊડાણ, દિકરી હંસની નજાકત,દિકરી કળાયેલ મોરલો, દિકરી કોયલનો ટહુકો;દિકરી શિયાળોનું તાપણું, દિકરી ભર તડકાનો છાંયડો,દિકરી વર્ષાનો હેલડો, દિકરી વસંતનો વાયરો; દિકરી વ્હાલનો દરિયો, દિકરી તલુસીનો ક્યારો. દિકરી લાગણીનો દિવડો, દિકરી એકાંતનો ડાયરો,દિકરી સુવિચારનો સથવારો, દિકરી મનનો મોતી ચારો;દિકરીનો સ્નેહ બધાથી ન્યારો, દિકરીનો ચહરો સૌથી પ્યારો;દિકરી સૌને ભુલાવે એવી, દિકરી પૃથ્વીલોકની દેવી. દિકરી વ્હાલનો દરિયો, દિકરી તલુસીનો ક્યારો.મિતા અને તુષાર ચૌહાણ.20મી ફેબ્રુઆરી, 2026વડોદરા

Adventure, Tours & Travels

तीन दिन तेंदुए के बीच – रोमांचक सत्य घटनांए – 1

Real Thrilling Incidents – Three Days Between Leopards Written By : Utpal Mehta (ઉત્પલ મહેતા) 6th May, 2026 रोमांच, बारिश और मौत से सामना प्रकृति, भय, रोमांच और जीवन के सबसे अविस्मरणीय अनुभवों की दास्तान भुमिका … नमस्कार मित्रों, मैं मूलतः गुजराती भाषी हूँ। हिंदी बोलने का अवसर जीवन में थोडा-बहुत मिला, क्योंकि मेरा अधिकांश समय मुंबई में बीता और हिंदी फ़िल्मों, टीवी धारावाहिकों तथा हिंदीभाषी मित्रों के बीच रहना हुआ। परंतु किसी भाषा को बोलना और उसी भाषा में प्रभावशाली लेखन करना — दोनों अलग बातें हैं। हिंदी लेखन में मेरी सीमाएँ हैं, किंतु प्रकृति, जंगल और रोमांच के प्रति जो लगाव है, वह बिल्कुल अलग बात है, कह शकते है की यह मेरा एक पेशन है। सो यह अनुभव, में प्रमाणिकता के साथ यहां प्रस्तुत करने कोशिश रहा हूँ। जब मैंने डिजिटल मैगज़ीन शुरू कीया, तब भाषा को लेकर कोई निश्चित योजना नहीं थी। लेकिन धीरे-धीरे महसूस हुआ कि ओर विषयों के साथ यदि प्रकृति और वन्यजीवन के ऐसे अनुभव केवल क्षेत्रीय भाषा तक रहे तो वह सीमित रह जाएँगे। भले ही मेरी हिंदी साहित्यिक न हो, पर यदि मेरी बात देश-विदेश के प्रकृति-प्रेमियों तक पहुँच शके, नई पीढ़ी को जंगल और प्रकृति के प्रति आकर्षित कर शके, तो यही, इस प्रयास की सबसे बड़ी सफलता होगी। यह वह समय है की जब मनुष्य को फिर से प्रकृति की ओर लौटने की आवश्यकता है। जंगल, प्रकृति केवल रोमांच नहीं देते, वे भीतर की थकान को धोते हैं, मन को शांत करते हैं और जीवन को नई ऊर्जा प्रदान करते हैं। यह अनुभव सिध्ध स्टेट्मेंट है, जीस की चर्चा फीर कभी। वन्यजीवन, एडवेंचर टूर और विशेष रूपसे गर्मीओं में हिमालय यात्राएँ — यह मेरा सबसे बड़ा शौक रहा है। हर यात्रा के बाद मैं स्वयं को भीतर से बदला हुआ महसूस करता हूँ। मेरे और मेरे जैसे ही लाइक माइन्डेड दोस्तों के कुछ रोमांचक – थ्रिलिंग अनुभव रहें है, मानता हुं पाठकों को यह जरूर पसंद आएगा, इन्हीं अनुभवों को अलग-अलग अध्यायों में आपके सामने रखने का यह प्रयास है। यह केवल यात्रा-वृत्तांत नहीं, बल्कि प्रकृति के बीच जीए गए वास्तविक क्षणों का दस्तावेज़ है। हर यात्रा के बाद ऐसा लगता है मानो भीतर कोई नई शक्ति जन्म ले चुकी हो। जहां ह्म कुदरत के ज्यादा करीब पहुंचा हुआ महेसुस कर पाए. इस श्रृंखला में वर्णित घटनाएँ पूर्णतः सत्य हैं। इनमें रोमांच अवश्य है, परंतु कहीं भी कल्पना का सहारा लेकर नाटकीय तत्व जोड़ने का प्रयास नहीं किया गया है। जो जैसा घटित हुआ, उसे उसी रूप में प्रस्तुत करने का प्रयास किया है। सामान्यत: प्रवास वर्णन आम विषय की अपेक्षा, विस्त्रुत होता है, वही उसकी मजा है। यह कहानी नहीं है। यह एक ऐसा अनुभव है, जहां खतरा, रोमांच, जंगल जिवनकी अनुभुति और भय एक ही रास्ते पर साथ-साथ चलते रहे है। मेरे वे मित्र, जिनकी वजह से यह यात्रा संभव हुई ;- मेरे कुछ आत्मिय मित्र वर्षों से इको-टूरिज़्म और वाइल्डलाइफ़ एडवेंचर से जुड़े हुए हैं। उनमें से एक हैं कर्णावती (अहमदाबाद) निवासी श्री मनिष वैद्य, और दूसरे हैं धरमपुर, वलसाड निवासी श्री परेश रावल, ग्रुप में जिन्हें सभी “पार्थ” नामसे ज्यादा जानते हैं। मनीषभाई एज्युकेशन से वकील हैं, पर्यावरण विशेषग्य हैं, और देश की कई एडवाइजरी कमिटियों, रिज़र्व फ़ॉरेस्ट, सेंचुरी और नेशनल पार्क्स से जुड़े रहे हैं। प्रकृति के प्रति उनके गहरे प्रेम ने उन्हें पर्यटन को केवल व्यवसाय नहीं, बल्कि जीवन का उद्देश्य बना ने प्रेरित किया। उनकी संस्था “लोरिस एसोसिएट्स” इको-टूरिज़्म क्षेत्र में विशेष कार्य करती है। इसी प्रकार, वलसाड, धरमपुर स्थित मित्र पार्थ ने “नेचर डिस्कवरी” नाम से संस्था बनाई है, जिसके अंतर्गत अनेक प्रकृति एवं जंगल यात्राओं का आयोजन किया जाता है। शुरुआत — यह घटना वर्ष 2018 के मानसून की है। मनीषभाई दक्षिण गुजरात में एक नए इको-टूरिज़्म स्पॉट की तलाश में थे। इसी सिलसिले में हमारे मित्र श्री योगेशभाइपाटील और राकेशभाइ पाटील ने हमें सोनगढ़ फ़ोर्ट आने आमंत्रित किया। उनका “कैल्स” नामक होटल महाराष्ट्र बॉर्डर के नजदीक, एक शांत और घने जंगल से घिरे क्षेत्रके नजदिक में स्थित है। जिवनमें एक बार अवश्य मुलाकात करने योग्य स्थल है, मोनसुनमें “कैल्स” होटेल के सौंदर्य को शब्दो में वर्णीत कर पाना मुश्किल है .   यह इलाका साधारण जंगल नहीं है। हम इस सर्च  के अंतर्गत, दक्षिण गुजरात के सोनगढ फोर्ट के पास में स्थित, घने जंगल की ट्रीप पर निकले, जंगल का, बारिश के दौरान का माहोल मुश्किल ओर जोखिम भरा होता है ।  मनीषभाई अहमदाबाद से आ रहे थे। किसी कारणवश उन्हें देरी हो गई, इसलिए वडोदरा से निकलने में भी हमें दो-तीन घंटे देर हो गई। हम शाम लगभग पाँच बजे मेरी मारुति कार से निकले। गुजरात के हाईवे, यदि सावधानी से ड्राइव किया जाए, तो किसी “लॉन्ग ड्राइव एक्सपीरियंस” से कम नहीं लगते। हम दक्षिण गुजरात के घने जंगलों की ओर निकल पड़े। कहो, जंगल हमें बुला रहा था… हम बड़ौदा से शाम करीब पांच बजे निकले। गुजरात के लंबे हाईवे पर धीमी बारिश के बीच सफर किसी फिल्मी दृश्य जैसा लग रहा था। कहीं चाय, कहीं कॉफी, कहीं सड़क किनारे नाश्ता… बिना जल्दबाजी के सफर आगे बढ़ रहा था। बरसात की मौसम में जंगल का वातावरण अत्यंत सुंदर होने के साथ-साथ खतरनाक भी होता है। कीचड़, फिसलन, अंधेरा, जंगली जानवर और अनिश्चित रास्ते — हर क्षण जोखिम से भरे होते हैं। में इस संदर्भ मे थोडा मूडी हुं, कहीं बार ऐसा हुआ है की सफर के दौरान अगर रास्ता जंगल से गुजरता हो तो में कार साइड मे खडी कर के कुछ देर वहीं बीता ने कोशिश करता हुं। कभी डर भी लगता है, उसे भगाने भी कोशिश करता हुं. मगर मुजे वह थ्रीलींग लगता है. जो लोग केवल सुरक्षित और आरामदायक पर्यटन पसंद करते हैं, वे जंगल प्रवास से दूर रहे। सीर्फ होटेल “कैल्स” अनुभव भी काफी है. उसके आसपास का सौंदर्य भी आपको अदभुत कुदरती अनुभव महेसुस कराएगा.      मित्र योगेशभाई पाटील और उनके छोटे भाई राकेश पाटील “कैल्स” को एक सुंदर होटल के रुप में सम्हाल रहे  है। इतना दूरस्थ इलाका होने के बावजूद वहाँ रहने और भोजन की उत्तम व्यवस्था है। आसपास तेंदुओं का दिखाई देना वहाँ आम बात मानी जाती है। यही क्षेत्र के बिलकुल नजदिक से महाराष्ट्र सीमा की शुरुआत भी

Poems

“જય જય ગરવી ગુજરાત”

જય જય ગરવી ગુજરાત !જય જય ગરવી ગુજરાત,દીપે અરૂણું પરભાત,ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્ય અંકીત;તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત –ઊંચી તુજ સુંદર જાત,જય જય ગરવી ગુજરાત. ઉત્તરમાં અંબા માત,પૂરવમાં કાળી માત,છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-છે સહાયમાં સાક્ષાતજય જય ગરવી ગુજરાત. નદી તાપી નર્મદા જોય,મહી ને બીજી પણ જોય.વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-સંપે સોયે સઉ જાત,જય જય ગરવી ગુજરાત. તે અણહિલવાડના રંગ,તે સિદ્ધ્રરાજ જયસિંગ.તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-જન ઘૂમે નર્મદા સાથ,જય જય ગરવી ગુજરાત. – કવિશ્રી નર્મદ

Tours & Travels, Cover Story

BHUTAN TOUR – A PLACE OF BEYOND IMAGINATION

“THE HAPPY TOUR ENDS FROM HAPPINESS KINGDOM BHUTAN”BHUTAN BELIEVES!! “LORIS ASSOCIATES” MEANS A RENOWNED NAME IN THE FIELD OF FAMILY, ECO AND ADVENTUROUS TOURISM. THE ORGANIZER MR. MANISH VAIDYA, IS GOES WITHOUT SAYING AS A – PRESTIGIOUS NAME IN THE FIELD. Dear Friends, Season Greetings from LORIS NATURE EXPLORERS!!! LORIS believes in Eco-Tourism as “A responsible tourism to natural areas, creating awareness for conserving nature and improving the benefit of the local community”. Welcome to Bhutan. With LORIS, we have organised a Bhutan tour for 9 years. Bhutan is a carbon-negative country and is known for its Gross National Happiness (GNH) index. The country’s holistic approach to development considers its citizens’ spiritual, physical, and social well-being. Package cost Rs. 38,500/- per person, Ex Bagdogra Airport (Group tours) We announce the Bhutan Culture and Nature tour in May. Book your seat with 25% advance payment before 10th Feb and get a Rs. 500/- discount on the tour package. No hidden charges, 25% more payment in March, 2026 25% More payment in advance in April, 2026 The rest of the balance in the first week of May 2026. Date: (1) 24th to 31st March, 2026 (2) 27th April to 04th May, 2026 Total – 7 Nights 8 days Tour In Bhutan, night stays and Hotels: Phuntsholing –1 Night: Meto Pema Hotel / Hotel Lhaki / or SimilarThimphu – 2 Nights: Hotel Peaceful Resort / Hotel Santi Deva or Similar Punakha – 1 Night: Punatshangchu Cottages / Hotel Channan or Similar Paro – 2 Nights: Gonju Boutique / Hotel Centre Point or Similar Gurumara – 1 Night: Swadagar Resort or Similar. Package including: 1) Transportation: By road from Bagdogra to Bagdogra, Tempo Traveller, and in the Bhutan part, Toyota Coaster 2) All visa and immigration formalities 3) SDF Fees (Each day Rs. 1200/- paid to the Bhutanese Government) 4) Mineral water – 1000 ml per day. 5) Accommodation is in a 3-star hotel with a MAP meal Plan (dinner and breakfast). 6) English & Hindi speaking govt-authorised escort/guide. Package exuding 1) All Monument / Museum fees or entry fees at the sightseeing 2) Lunch expenses 3) Another expense that is not mentioned. NB: (1) Indian Tourists travelling to Bhutan must require a travel permit for entry. (2) Indian tourists can produce a passport or a Voter ID to receive a permit (3) If you book a flight ticket, our vehicle will be waiting to go to Bhutan in the afternoon. (4) If you book a flight ticket from Ahmedabad to Bagdogra, you will book it in such a way that we reach around 3.00 pm on the first day. (5) If you book a flight ticket from Bagdogra to Ahmedabad, you will book it after 4.00 pm on the 8th day. (6) If we book a railway ticket, please take our advice. Most welcome to a happy and carbon-free country. Thanks & Regards – Manish Vaidya Must listen if you think Bhutan trip, click the YouTube link https://www.youtube.com/watch?v=7Lc_dlVrg5M&feature=youtu.be&fbclid=IwAR3MrdpXGz-e9D-NipoDA7J3zrjaUHY4M3YAKZzlEHDXqJS6AtXyEBftV-o https://www.youtube.com/@tvworldgujarat

Tours & Travels, Spiritual

દિવ્યાત્મા શ્રી નીમ કરૌરી બાબાજી – ભારત – એક આધ્યાત્મિક ધરોહર – Baba Neem Karori jee

Author : Utpal Mehta –  ઉત્પલ મહેતા Date : 30th April, 2026 વિશ્વ વિખ્યાત દિવ્યાત્મા મહાયોગી શ્રી નીમ કરૌરી બાબાજી, બહું ઓછા લોકોને એ ખ્યાલ હ્શે કે તેઓની આદી તપઃસ્થલી એટલે કે મુળ તપોભૂમિ, એ ગુજરાતના વવાણિયા ગામમાં સ્થાન ધરાવે છે. ભારત એ તપોભૂમિ કે આધ્યાત્મિક ભુમિ તરીકે વિશ્વ પ્રસિદ્ધ છે. આ દેશના વિવિધ સ્થળો,  હિંદુ સંસ્કૃતિની વિવિધ આશ્ચર્યજનક અને ગહન બાબતોને આજે પણ સાચવી રહયાં છે. તેમાનું એક અભૂતપૂર્વ સ્થળ એટલે ગુજરાતના મોરબી – માળીયા રોડ ઉપર, મોરબીથી કચ્છ જવાના રસ્તે, ડાબી બાજુએ, ૩૯ કિમી અંદર આવેલ વર્ષો જુના બંદર “નવલખી” નજીક સ્થિત વવાણિયા ગામ (https://goo.gl/maps/YMWx4gZoeBUvKDsDA). આ ગામ સ્વયં એક તપોભૂમિ છે. આશ્ચર્યકારક બાબત એ છે કે અહીં સેંકડો મહાન યોગીઓ, સંતો, તપસ્વીઓ  તપશ્ચર્યા કરી ગયા, તેમ છતાં બહુ ઓછા લોકો આ ભૂમિની વિશિષ્ટતાથી પરિચિત છે. આ સ્થળ, શ્રીમદ્‌ રાજચંદ્ર, મા રામબાઇ, બાપા સિતારામ, દિવ્યાત્મા પૂ. શ્રી નીમ કરૌરી બાબાજી જેવાં અતિ ઉચ્ચ કોટિના સિદ્ધાત્માઓના પાવન પગલાં અને તપશ્ચર્યાથી સમૃદ્ધ છે. (પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજી,  આ આર્ટિકલના લેખક શ્રી ઉત્પલ રસિક મહેતાના દાદીના મામા થાય, તે પરમ સદ્ભાગ્ય છે.) વરસો પહેલાં અહીં વવાણિયા ગામમાં પ્રવેશ કરતાં જ પાદરમાં “મા રામબાઇ આશ્રમ” ની સામે શ્રી હનુમાન દાદાજીના એક નાના મંદિરના દર્શન થતા હ્તા. અમે પ્રથમવાર વવાણિયા ગયા તેની પણ એક રસપ્રદ કથા છે. જે ભવિશ્યમાં વર્ણવીશું. હવે મુળ વાત ઉપર આવું, વલસાડ પાસે આવેલ જાણિતી રિયાસત ધરમપુરના રાજવી ફેમિલીના જમાઇ અને ટુરિઝમ સાથે સંકળાયેલ શ્રી પરેશભાઇ રાવલ, તેઓ મારા સ્કુલ કાલીન મિત્ર થાય, તેઓ મારા જીવનમાં શ્રી નીમ કરોરી બાબાજીની બાબતમાં બે વાર નિમિત્ત બન્યા. જે સ્વયં એક ગહન રહસ્ય છે. 20 વર્ષ પહેલાં એકવાર તેઓ મને પીળુ પુંઠું ધરાવતી નાની હિન્દી પુસ્તિકા “કૈંચીધામ કે દિવ્ય સંત બાબા નીમ કરોરીજી”  આપી ગયેલ, જે માત્ર કુતુહલ ખાતર વાંચી મેં તેમને પરત કરેલ અને તે વાત પણ વિસરાઇ ગઇ હતી. અમારું વર્ષમાં જયારે શકય બને ત્યારે અવાર નવાર એક બીજાને ત્યાં રોકાવું સામાન્ય બાબત રહી છે, અને કોઇ નિમિત્ત વગર પણ જઇને રોકાવું ગમે તેવો નાતો રહયો છે. વર્ષો પહેલા,  લગભગ 2018માં પરેશભાઇ અને તેમના પત્નિ હેમકુંવર બા મારે ઘરે 1 – 2 દિવસ રોકાયેલ. તે દરમ્યાન, અમારે દેવાસની તેમની ગુરૂ પરંપરામાં આવતા શિષ્ય, કે જેઓ વડોદરા, નિઝામપુરા રહેતા. તે ડો.ઉપેન્દ્રભાઇ ભટ્ટ સાહેબને મળવા જવાનું થયું. જેઓ હોમિયોપથી અને આયુર્વેદ બંનેમાં વિધ્વતા ધરાવતા અને હોમિયોપથી હોસ્પિટલમાં પ્રોફેસર તરીકે સેવા આપતા એક સજ્જન વ્યકિત લાગ્યા.  શરૂઆતમાં જ થોડી ઘણી ચર્ચા બાદ તેઓ વાસ્તવમાં કોઇપણ જાતના દેખાડા કે અહંમ વગરના એક ઉચ્ચ કોટીના અતી સરળ સાધક કહી શકાય તેવો મારો પ્રમાણિક અભિપ્રાય સર્જાયો, કારણ તેઓ જાતે સ્વયંનું અનુભવ સિધ્ધ જ્ઞાન બતાવવા જરાય ઉત્સુક ના લાગ્યા, જયારે પુછો ત્યારે જરૂર પુરતો જવાબ આપે. આધ્યાત્મિક વાતોમાં બે – અઢી કલાક કયાં નિકળી ગયા તે ખ્યાલ જ ના રહયો,  ધીરેધીરે તેઓને લાગ્યું કે મારા પ્રશ્નો પાછળ આધ્યાત્મિક ભુખ સિવાય કોઇ હેતુ નહોતો, વાસ્તવમાં આધ્યાત્મિક બાબતમાં હું આંતરિક રીતે ભાગ્યે જ કોઇથી પ્રભાવિત થયો હોઇશ તેમાં ભટ્ટ સાહેબને એક ચોકકસ વ્યકિત ઘણી શકાય. હું અને ભટ્ટ સાહેબ વાતોમાં તલ્લિન હતા, તે દરમ્યાન થોડી ખામોશી બાદ અચાનક તેમને શું પ્રેરણા થઇ કે તેમણે મને જણાવ્યું કે “થોભો, હું એક પુસ્તક તમને વાંચવા આપુ છું”, તેમ કહી તેઓએ તેમના ઘરના ઉપરના માળેથી “અલૌકિક યથાર્થ” નામનું શ્રી નીમ કરોરી બાબા ઉપરનું પુસ્તક લાવી મને આપ્યું. હું વિચારમાં પડી ગયો કે આજ નામના સંતની એક નાની પુસ્તિકા પરેશભાઇએ મને આજથી બરોબર પંદર વર્ષ પહેલા આપેલ, જે મેં ઔપચારિકરીતે વાંચી તેમને પરત કરેલ, આજે ફરીથી પરેશભાઇના જ નિમિત દ્વારા એજ સંતનું મોટું પુસ્તક એક સાધક મને આપી રહયા છે શું આ યોગાનુંયોગ હોઇ શકે ? ના, જરૂર કોઇ સંકેત હોઇ શકે. અને મેં તે પુસ્તક અભ્યાસના ભાવ સાથે હાથમાં લીધું. તેમની સાથેની ચર્ચાના વિશિષ્ટ અનુભવો ફરી કયારેક અલગ લેખમાં લઇશું.             તે પછી, બીજા દિવસે  મેં 423 પાનાનું તે પુસ્તક વાંચવાનું શરૂં કર્યુ અને જોતજોતામાં તે બે દિવસમાં કેવી રીતે વંચાઇ ગયું તે ખ્યાલ જ ના રહયો.               તે પુસ્તકમાં એક ઉલ્લેખ આવ્યો, કે યુ.પી. ના એક સિધ્ધ સંત બાળપણમાં બાબાજીને  પ્રેરણા આપે છે કે “ગુજરાત કે સૌરાષ્ટ્ર મે સ્થિત ‘બબાનિયા’ જાઓ ઓર વહાં તપસ્યા કરો”. હું સ્તબ્ધ રહી ગયો, સૌરાષ્ટ્રથી હું ઘણે અંશે પરિચીત છું છતાં “બબાનિયા” નામ કેમ મારી જાણમાં નથી તેનું આશ્ચર્ય થયું, તે રાત્રે જ મેં વિવિધ લોકોને ફોન લગાડી તે વિશે પુછયું, પણ કોઇને “બબાનિયા” નામના સ્થળ હોવાની ખબર જ નહોંતી. મેં ગુગલમાં સર્ચ કરવાનું શરૂ કર્યું, અને એક ઠેકાણે મને “બવાનિયા” જોવા મળ્યું, મને લાગ્યું કે કયાંક ભાષા નું કન્ફયુઝન લાગે છે વધુ સર્ચ કરતાં “વવાણિયા” નામ સામે આવ્યું અને હું ખુશ થઇ ગયો કારણ મારા દાદીના મામા એટલે કે કૃપાળુ દેવ – શ્રીમદ્ રાજચંદ્રજીએ વવાણિયા ખાતે તપસ્યા કરેલ તે મેં મારા પિતાજી પાસેથી સાંભળેલ.             બીજે જ દિવસે હું મધર ને જાણ કરી વવાણિયા જવા નિકળી ગયો, મનમાં ગજબની ઉત્કંઠા અને રોમાંચ હતો. તે યાત્રા કેવી રહી તે ફરી અલગ લેખ માં લઇશું. આ રીતે એક દિવસ રાજકોટ રોકાઇ બીજે દિવસે જ્યારે વવાણિયા પહોંચ્યો અને ગામમાં પ્રવેશ કરતાં જ પાદરમાં આવેલ “મા રામબાઇ આશ્રમ” ના મહંત પુ.શ્રી પ્રભુદાસજીને મળતા તેઓએ ખુબજ પ્રેમથી સત્કાર્યા, તેઓએ જણાવ્યું કે “હા એ વાત સાચી છે કે શ્રી નીમ કરોરી બાબાજી એ અહીં જ સાધના કરેલ”, તેટલું કહેતા તેઓ કાર્યાલયમાંથી મને બહાર ઓટલા ઉપર લઇ આવ્યા અને સામે ની દિશામાં આંગળી લંબાવતા તેમણે જણાવ્યું કે “આ સામે દેખાય છે તે શ્રી હનુમાન દાદાજીના નાના મંદિરની સ્થાપ્ના શ્રી નીમ કરૌરી બાબાજીના સ્વ કરકમલ દ્વારા થયેલ”, અમને મંદિરની સામે જ આવેલ અને શ્રી નીમ કરૌરી બાબાજી દ્વારા સ્થાપિત શ્રી હનુમાન દાદાજીના એક નાના મંદિરના દુરથી દર્શન કરાવ્યા.  ત્યારે મારા રોમાંચનો પાર ના રહયો, કારણ જે હજી બે દિવસ પહેલાં જ હું પુસ્તકમાં વાંચી ને આવ્યો હતો તે સ્થળ અત્યારે મારી નજર સામે હતું. ત્યારે જાણે કે એક અદ્ભૂત રોમાંચ રોમ રોમમાં વ્યાપી ગયો. આ મંદિરની સ્થાપના, એક નાની દેરી રૂપે માત્ર ૧૩ વર્ષની ઉંમરે સ્વયં પ.પૂ.શ્રી નીમ કરૌરી બાબાજીને સ્વ હસ્તે  થયેલ, જે ખૂબ જ મહત્વની બાબત છે.  જ્યાં હનુમાન દાદાજી ની એક નાની દેરી હતી તેમાં ભગવાન શ્રી હનુમાન દાદાજી ના ચરણોમાં શ્રી નીમ કરોરી બાબાજીનો ફોટો સ્થાપિત કરાયેલ હતો, જે અહીં  બાબાજી એ કરેલ સાધનાની સત્યતાની ગવાહી આપતો હતો, આજે તો અહીં ઉપર જણાવ્યું તેમ આવા મહાયોગી દિવ્યાત્મા દ્વારા નિર્માણ પામેલ એક નાનકડી દેરી, અમદાવાદ સ્થિત આર્કિટેક શ્રી વિશાલ ભાવસારની શ્રદ્ધા, અદ્‌ભુત કાર્ય નિષ્ઠા, અને ટ્રસ્ટી મંડ્ળની મહેનત ને

Health

બાળકોમાં પ્રવર્તતી એક માનસિક સમસ્યા વિષયક એક અગત્યની જાહેરાત

Author : Utpal Mehta (ઉત્પલ મહેતા) 21st April, 2026 મિત્રો, અગત્યની જાહેરાત અમે આવી રહયાં છીંએ બાળકોમાં પ્રવર્તતી એક માનસિક સમસ્યા વિષયક માહિતી લઇને. જે મુખ્યત્વે બાળકોમાં જોવા મળતી સમસ્યા છે,   જેમાં બાળક માતા-પિતા અને શિક્ષક ની મુંઝવણનો ભોગ બને છે, કારણ માતા-પિતા અને શિક્ષકને મોટેભાગે એ ખ્યાલ નથી આવતો કે સ્લો લર્નર બાળક એ તેની નબળાઇ નથી પણ તે એક માનસિક સમસ્યા ધરાવે છે,  જે યોગ્ય પધ્ધતિ અને થેરાપી થી ઠીક થઇ શકે છે, પરંતું યોગ્ય જાગૃતિના અભાવે કાં તો બાળક બધાની વારંવારની ટકોર કે સરખામણીને કારણે સતત તાણ અનુભવતું થઇ જાય છે કાં નાનપણથી જ લઘુતા ગ્રંથીનો શિકાર બની જાય છે. શહેરોમાં કે નગરોમાં બધી વ્યવસ્થા સરળતાથી મળી શકતી હોવાથી હજી કંઇક જાગૃતિ  છે, પરંતું રાજ્ય કે દેશના કેટલાંય અંતરીયાળ કે દુર સુદુરના સ્થળોએ જ્યાં ઇન્ટરનેટ કે માહિતી ના સરળ આદાન પ્રદાનની મુશ્કેલી હોય ત્યાં આ બાબત જાગૃતિ ખુબ જ ઓછી છે,  યાદ રહે અહીં આપણે “મેન્ટલી સ્પેશિયલી ડિસેબલ્ડ ચાઇલ્ડ”ની વાત નથી કરતાં  આ માત્ર અને માત્ર ઠીક થઇ શકતી વિવિધ માનસિક સમસ્યા ધરાવતાં બાળકોની જ વાત કરીએ છીંએ.  આમ, સેંકડે અંદાજીત 9 % (ટકા) બાળકોમાં જોવા મળતી આ માનસિક સમસ્યા છે કે જે બાબતે સમાજમાં જોઇએ તેટલી જાગૃકતાનો અભાવ છે,  તે સંદર્ભ અમે ટુંકમાં સમયમાં ગુજરાતી સહિત વિવિધ ભાષાઓમાં આ વિષયક અગત્યની માહિતી પુરી પાડતી “ડિજીટલ પુસ્તિકા” લાવી રહયાં છીંએ, આશા છે કે તે માતા-પિતા, શિક્ષકો અને આ સમસ્યા સામે ઝઝુમતાં બાળકો ને ઉપયોગી બની રહેશે. સમાજને અભ્યાસકીય હેતુથી ઉપયોગી થાય તે અર્થે પ્રકાશિત થઇ રહેલ આ ઇ-પુસ્તિકા છે. જેને આ “ઓનલાઇન મેગેજીન” ઉપરથી ડાઉનલોડ કરી શકાશે, માટે તમામ માતા-પિતા, શિક્ષકો અને ન્યુ કપલને આ મેગેજીન સતત જોતા રહેવા વિનંતી. ઇ-બુક અપલોડ થતાંની સાથે જો આપ સબસ્ક્રાઇબર હશો તો આપને લગભગ નોટીફિકેશન થી તરત જાણ થઈ જશે. સર્વે  સુખીના ભવતુઃ  સર્વે સન્તુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુઃ મા કશ્ચિદ્ ભાગ્ભવેત્ઃ ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ અસ્તુ…ધન્યવાદ…

Tours & Travels

વડોદરાના પસ્ચિમ છેડે સેવાસીમાં આવેલ ‘વિધ્યાધર વાવ’

Author : Utpal Mehta (ઉત્પલ મહેતા) 19th April, 2026 મિત્રો, આજે આપણે વિષય લઇ રહયાં છીંએ, પ્રવાસન. ગુજરાત જેમ સેંકડો બાબતોમાં વિવિધતાઓ ધરાવે છે તેમ જોવા લાયક સ્થળોના વૈવિધ્યથી પણ ગુજરાત સમૃધ્ધ છે. મિત્રો, ભારતમાં ગુજરાત એક એવો પ્રદેશ છે કે જે વિવિધ ભૌગોલિક બાબતોમાં સમુદ્ર, રણ, જંગલો, પહાડો, નદી કે ઝરણા થી માંડી 1600 કિ.મી.નો અદ્ભુત સમુદ્ર કિનારો ધરાવે છે. તો પોતાના ઉદરમાં તે ડાયનોસોરના વારસાને ધરબી બેઠો છે. કયારેક આ ક્ષેત્ર વિશાળકાય ડાયનોસોરના ધરતી ધ્રુજાવતા ડરામણા પગલાંથી ધમધમતો હશે તેવો અહેસાસ કરાવતા ઉતર ગુજરાતના રૈયોલી ખાતે સ્થિત પાર્કથી તે બાબતીની ગવાહી આપે છે. તો સામે પક્ષે તેનો ઐતિહાસિક વારસો પણ સુંદર છે, તેમાનું એક સ્થળ એટલે વડોદરાના પસ્ચિમ છેડે આવેલ સેવાસી ગામની વિધ્યાધર વાવ. આ વાવ ત્યાં અસ્પષ્ટરૂપે વાચ્ય લખાણ ઉપરથી લગભગ તે 540 વર્ષ પુરાણી હોવાનું જણાય છે, તે સાથે બુઝુર્ગો દ્વારા જે પેઢી દર પેઢી ચાલી આવતી માન્યતા પ્રમાણે તેની કેટલીક શાખાઓ પણ નીકળતી હતી અને જે દુર દુર સુધી ફેલાયેલી હતી. જમીનની અંદર સાત માળની ઉંડાઇ ધરાવતી આ વાવને ગુજરાતની ઐતિહાસિક ધરોહરમાં એક સ્થાન આપી તેની જાળવણી કરવી જરૂરી છે.  તેના સાત માળ અને તેની સાથે જોડાયેલ ભવ્ય કુવો આ વાવની ભવ્યતામાં ઉમેરો કરે છે. વડોદરા, ગુજરાતની સફરે આવનાર દરેક પ્રવાસીએ એકવાર આ વાવની મુલાકાત જાતે લેવા જેવી અને પોતાના સંતાનોને પણ આવા સ્થળોથી પરિચીત કરાવવા જેવું સ્થળ છે. વડોદરા રેલ્વે અને બસ સ્ટેશનથી તેનું અંતર લગભગ 10 કિમી. છે. કોઇ યુગમાં પાણીની જાળવણી કે ઉપલબ્ધિના સ્ત્રોત કેવા હતાં તે કલાસસરૂમની વચ્ચે બેસાડી સમજાવવાને બદલે જો નવી પેઢીને આવા સ્થળોનો પરિચય કરાવાય તો તેવું જ્ઞાન ચોકકસ કયારેક યથાર્થ સાબિત થાય.

ટોચ પર સ્ક્રોલ કરો