Spiritual

Related to Enlighten Souls, Places, Spiritual Stories etc

Tours & Travels, Spiritual

કચ્છ – ભુજ સ્થિત ઐતિહાસિક સંદર્ભ ધરાવતું ધોરાવાના શ્રી હનુમાન દાદાજીનું મંદિર

Author : Utpal Mehta –  ઉત્પલ મહેતા Date : 2nd March, 2026 ભુજ શહેરમાં દાખલ થતાં પહેલાં જ કુકમા ગામ આવે, તે પછી તરત જ આવતો ફલાય ઓવર બિ્રજ જ્યાં પુરો થાય ત્યાં ડાબી બાજુ કલા કેન્દ્ર ભુજોડી અને બિ્રજની તરત જ જમણી બાજુએ યુ-ટર્ન રૂપે વળાંક લેતાં જ આવતું એક સુંદર અને ઐતિહાસિક સંદર્ભ ધરાવતું હનુમાન દાદાજીનું ધોરાવાનું અદ્ભુત મંદિર સંકુલ સ્થાન ધરાવે છે. તે સાથે, આ પરિસરમાં મહાદેવજીનું મંદિર, ઉપરાંત  અહીં 12 જ્યોર્તિલિંગને પણ પ્રતિકાત્મકરૂપે સ્થાપવામાં આવ્યા છે તો વિઘ્ન હર્તા શ્રી ગણેશજી પણ અહીં મંદિરમાં શોભી રહયા છે.  આ જ સંકુલની શોભામાં અનેરી વૃધ્ધિ કરતી એવી થોડા સમય પહેલાં સ્થપાયેલ શ્રી હનુમાન દાદાજીની વિશાળ ઉંચી પ્રતિમા અને ભગવાન શ્રીરામજી, લક્ષ્મણજી, જાનકીજી અને દેવાધિદેવ મહાદેવજીની પ્રતિમાઓ દિવસે અલગ અને રાતની રોશનીમાં ઝળાહળા થતી અલગ જ અનુભુતિ કરાવે છે. મંદિરની પાછળ ઐતિહાસિક વાવ આવેલી છે જેનું પુરાતત્વ વિભાગ દ્વારા પુનઃઉત્થાન જરૂરી છે. તો તે સાથે, અહીં બાળકો અને વડિલો પણ આધ્યાત્મિકતા સાથે શાંતિ અને કુદરતને માણી શકે તે અર્થે સુંદર બગિચાનું પણ સર્જન કરાયું છે.                 તો દર્શક મિત્રો, જયારે પણ અર્વાચિન અને પ્રાચિનકાળના સમન્વયરૂપ એવા કચ્છના  જોવા અને માણવા જેવા અનેક ભવ્ય સ્થળો ધરાવતા વૈવિધ્ય સભર આ પ્રદેશના  પ્રવાસે જાઓ  ત્યારે શકય હોય તો આ સુંદર આધ્યાત્મિક સ્થળની અવશ્ય મુલાકાત લેવા અને કચ્છની શાંતિને અહીં વાસ્તવમાં માણ્યાનો અનુભવ મેળવવવા હાર્દિક શુભેચ્છા. કચ્છનાં પરદેશ વસતાં સેંકડો ભકતો એવા છે કે જેઓ જયારે વતન આવે, ત્યારે ભુજ ઉતર્યા બાદ પ્રથમ આ મંદિરના દર્શને જાય છે.  –  ઉત્પલ મહેતા

Spiritual

અણસ્તુ – જીનાલય

Author : Utpal Mehta (ઉત્પલ મહેતા) 2nd April, 2026 મહારાજા સયાજીરાવ શાસિત વડોદરા સ્ટેટના સમયથી જાણિતું તેવું કરજણ તાલુકામાં અણસ્તુ ગામ આવેલું છે.         આ અણસ્તુ ગામ ખાતે લગભગ સંવત   1850 માં એક સુંદર જીનાલયનું નિર્માણ કરાયું હતું. સમયાંતરે જીનાલય જર્જરિત થવા લાગ્યું. જીર્ણ થઇ રહેલ જીનાલયમાં બિરાજતા તિર્થાધિરાજ શ્રી શંખેશ્વર પશ્ર્વનાથ પ્રભુના આ સ્થાનની થઇ રહેલ સ્થિતી જોઇ ભાવિક ભકતો દ્રવિત થવા લાગ્યાં. દરેક ભકતને કુદરતી જ પ્રરણા થવા લાગી કે જીનાલયનો જિર્ણોધ્ધાર જરૂરી છે.         એ જ અરસામાં પુજ્યપાદ કલિકુંડ તિર્થોધ્ધારક શ્રીમદ આચાર્ય વિજય રાજેન્દ્રસુરીશ્વરજી મહારાજ સાહેબના ત્યાં પગલા થયાં, જેઓશ્રીની પ્રરણાથી ત્યાં આ જીનાલાયના જીણોધ્ર્ધારના પુનિત કાર્યનો અને ત્યાં ભવ્ય તીર્થના નિમાાણનો નિર્ણય લેવામાં આવ્યો.         કરજણ ગામથી 4 કિ.મિ.ના અંતરે પાદરા જતા મુખ્ય  રોડ ઉપર અણસ્તુ ગામાના પાદરે વિશાળ જમીન સંપાદિત કરવામાં આવી અને તે સ્થાન ઉપર આજના ભવ્ય  નુતન જીનાલયનું નિર્માણ કરવામાં આવ્યું.         પ.પૂ.સાધુ, સાધ્વીજી અને ભગવંતો માટે વિશાળ ઉપશ્રયો, યાત્રિકોની સુવિધા અર્થે આધુનિક સુવિધાથી સુસજજ સુંદર અને સ્વચ્છતાપુર્ણ ધર્મશાળા, ભોજનશાળા, ભાતાઘર સુવિધાજનક કાર્યાલયનું નિર્માણ કરાયું.         આ જીનાલય ખાતે તીર્થાધિરાજ શ્રી શંખેશ્વર પાશ્ર્વનાથ પ્રભુજીની 31” ની અલૌકિક  પ્રતિમાનું સ્થાપન કરી તેને બિરાજમાન કરાઇ.         આ પ્રસંગ પુજ્યપાદ ગુરૂ ભગવંતોની નિશ્રામાં સંવત 2049 મહાસુદ 6 ને શુક્રવાર, તા.19 – 1- 1993 ના મંગલમય શુભ દિને પ્રભુજીની દિવ્ય પ્રતિમા ત્યાં બિરાજમાન કરી પધરાવવામાં આવી.         આ શુભદિને પ્રાણ પ્રતિષ્ઠા અને અંજન શલાકાના દિવ્ય પ્રસંગે દેશભરમાંથી હજારોની સંખ્યામાં ભકતો પધાર્યા અને અતી હર્ષ અને ઉલ્લાસ સહ આ પ્રસંગ ઉજવાયો.  જીન શાસનની શોભામાં ચારચાંદ લાગી ગયા, અણસ્તુ નગરમાં જાણે કે ચોથો આરો વર્તાયો. અણસ્તુ સહિત આજુબાજુના ગામના નગરજનો પણ તન,મન અને ધન સહિત પુર્ણ ઉત્સાહ અને શ્રધ્ધા સાથે સૌ મોટી સંખ્યામાં આ પ્રસંગમાં જોડાયા.         આ તીર્થના નુતનકરણ અને સંપન્ન થયેલ ભવ્ય તીર્થના નિર્માણ અને સંપુર્ણ આયોજનમાં પુજ્યપાદ કલિકુંડ તિર્થોધ્ધારક શ્રીમદ આચાર્ય વિજય રાજેન્દ્રસુરીશ્વરજી મહારાજ સાહેબ, તેઓશ્રીનો શિષ્ય સમુદાય અને પૂ. સાધ્વીજી ભગવંતોનું અવિસ્મરણિય અને હદયપુર્વકનું યોગદાન અને માર્ગદર્શન રહયું જેણે આ નિર્માણકાર્યને સુયોગ્યરીતે સંપન્ન કરવામાં ખુબ જ અગત્યનો ભાગ ભજવ્યો અને આજે આ તીર્થ દેશ વિદેશમાં એક આગવી જ નામના ધરાવતું ભવ્ય તીર્થ બની રહયું.         આ તીર્થની પેઢીનો વહિવટ પણ પ્રમાણિક અને ખરેખર અનુમોદનિય છે. પ્રમુખ, મંત્રીઓ અને સર્વે ટ્રસ્ટીઓની તન, મન, ધન સાથે પ્રાપ્ત થઇ રહેલ સેવા એ આ તીર્થના  જયજયકારમાં અનેરા પ્રાણ પુર્યા છે.  

ટોચ પર સ્ક્રોલ કરો