Health

Health

“Different Folks, Different Stroke”

Written By : Dr T C Chauhan, Voorhees, NJ, USA, (MD, FACG,, Gastroenterologist) 4th June, 2026 PREFACE: જાતસ્ય હી ધ્રુવો મ્રુત્યં ધ્રુવમ જન્મ મ્રુતસ્ત ચ . તસ્માત પરિહાર્ય અર્થ ન ત્વમ શોચિતમ્ અર્હસિ ।। (ભગવત્ ગીતા) Jatasya hi druvo mrutya, Druvum jamn mutrtastya chh,Tasmat apariharye arthe n tvum shochitum arhasy.(Bhagavt GEETA ) Everyone who is born is destined to die, Everyone who dies will reincarnate. Therefore men should not lament the inevitable (but work for what he can change)                This is a script form the well-respected old Hindu book called “Shreemad Bhagvat Geeta”- which is the compilation of verses recited by Lord Krishna to his disciple and friend Arjun on the battle-field of Kurkshetra.  Arjun was face with the dilemma of the war with his cousins who had defied all the justice and truth. This was more than 5000 years ago. Though we do not know about the rebirth, the first part sure is true – no human being has become immortal.              As a physician, we have utmost responsibility and privilege to attend to the most delicate and humbling moments of human life. We share the joy of new born, pleasure of recovery from long illness, excitement of successful outcome of a surgery, but we also are there to share the grief of death, disappointment of undesirable outcome of any procedure, and frustration of long incurable illnesses. And many a times we assume the role and responsibility beyond our own comprehension, and play the character beyond our chronologic age. We as a physician carry the burden on our shoulder to support the patient and family.            But let me remind you, no physician was born as a physician- we all attain this status by our education, training and experience that modified our mind and often heart. But our body is same as any other human body, we share same genetic pool which is 99.90 plus % identical to fellow human beings.  So we have same susceptibility to all the illness whether we learnt about or not, whether we know about it or not, whether we deal with patients with similar condition or not.             So when I was struck by STROKE on April 5th of 2009, the world spread like a crazy wind in people I knew, or more precisely in people who knew me. At 45, I was pretty active- I work 8 to 10 hours a day, I like to walk, hike and play tennis, go skiing every season, and just two years ago I ran Philadelphia’s Broad street run- a ten-mile race. I have no risk factor for cardiovascular disease- no blood pressure, no high cholesterol, no family history of heart disease; I do not smoke, I exercise as regular as my schedule permits.              So everyone I know was quite concerned, surprised and shocked too, rightfully. They all prayed for me and I am sure their goodwill and prayers helped me tremendously. Apart from the medical treatment I received, by the grace of God, I made marvelous recovery. They all were curious to know not only what happened to me, but later on all wanted to know what were the factors that contributed toward the better outcome. It was Mayur Shah, one of my good friend and well-wisher, who planted the seed to inspire me to write my encounter with Stroke. It seems like it is my moral obligation to write something for them. So I dedicate this book to them with sincere thanks and gratitude.                   In this book, I have included the account my illness and along with I have also included the illness that have struck my fellow physicians and physician friends.  Some had stroke, some were struck by other kind of catastrophic medical illness, but I like the name “Different Folks, Different Strokes”. We all are like other human being- walking, talking and working people. We also are someone’s son, daughter, husband or wife, or father or mother. For the word, we are physician or doctor- but from within we are also human beings. And we all know that too well, so that is what makes us humbler physician and better human being.             This book narrates the personal experiences of physicians when struck by medical emergency or hit by accident.  As many people asked me, “What do physicians do before dialing 911”, before help arrives and sometimes even after the paramedics are there how the decision making by physician changed the outcome in more positive  way.                The intention of the book is to communicate with other physicians to know how they made right decision in most critical moments for themselves.   I must add a disclaimer that it is not meant to guide or lead any person to take any particular action in case of catastrophic event affecting their health. Dr. Tushar Chauhan, MD , FACG

Health, Cover Story

હળદર : ભારતીય રસોડાનું સુવર્ણ ઔષધ – Turmeric – Extra Ordinary Ingredient for Health

Written By : Utpal Mehta (ઉત્પલ મહેતા) – Produce 20th May, 2026 આયુર્વેદ, ચરક સંહિતા અને પ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરામાં વર્ણવાયેલ આરોગ્યદાયક અમૃત ભારતીય સંસ્કૃતિમાં ખોરાકને માત્ર પેટ ભરવાનું સાધન માનવામાં આવ્યું નથી, પરંતુ “આહાર એ જ ઔષધ” એવી દિવ્ય દૃષ્ટિ સાથે જોવામાં આવ્યો છે. આપણા ઋષિમુનિઓએ હજારો વર્ષોની તપશ્ચર્યા, પ્રકૃતિના અધ્યયન અને માનવ શરીરના ઊંડા નિરીક્ષણ બાદ જે જીવનપદ્ધતિ રચી, તેમાં ખોરાકને શરીર, મન અને આત્માના સંતુલનનું મુખ્ય સાધન માનવામાં આવ્યું. પરમાત્માની માનવજાત ઉપર એટલી અનંત કૃપા છે કે જો તેની ગણતરી કરવા જઈએ તો જીવનનું દરેક તત્વ ઇશ્વરકૃપા સમાન જણાય. વિશ્વના વિવિધ પ્રદેશોમાં ત્યાંના હવામાન, પ્રકૃતિ અને જીવનશૈલી પ્રમાણે જુદી જુદી ખોરાક પ્રણાલીઓ વિકસિત થઈ. પરંતુ જો આપણે માત્ર ભારતની જ વાત કરીએ, તો સ્વીકારવું પડે કે આપણી પરંપરાગત થાળી માત્ર ભોજન નથી — તે ઋષિઓએ માનવ આરોગ્યને ધ્યાનમાં રાખીને રચેલું જીવંત ઔષધશાસ્ત્ર છે. આજે આધુનિક જીવનશૈલીમાં આપણે તે જ્ઞાનથી દૂર જતા રહ્યા છીએ. પરિણામે, જે રોગો કદાચ પહેલાં દુર્લભ હતા, તે હવે સામાન્ય બનવા લાગ્યા છે. દુઃખની વાત એ છે કે દવાનો ભંડાર આપણા રસોડામાં હોવા છતાં આપણે તેની શોધ બહાર કરીએ છીએ. આવા જ દિવ્ય અને આશીર્વાદરૂપ ખાદ્ય પદાર્થોમાં એક અત્યંત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે — હળદર. હળદર : ભારતીય રસોડાનું ઔષધીય રત્ન ભારતીય રસોડામાં હળદર માત્ર રંગ અને સ્વાદ માટે ઉમેરાતી વસ્તુ નથી. આયુર્વેદમાં તેને “હરિદ્રા” તરીકે ઓળખવામાં આવે છે અને તેને શક્તિશાળી ઔષધિ માનવામાં આવી છે. પ્રાચીન ગ્રંથો જેમ કે:- – ચરક સંહિતા – સુશ્રુત સંહિતા – ધન્વંતરી નિઘંટુ – ભાવપ્રકાશ નિઘંટુ માં હળદરના ગુણોનું વિસ્તૃત વર્ણન જોવા મળે છે. આયુર્વેદ અનુસાર હળદર :- – કફ અને વાયુનો નાશ કરે છે – રક્ત શુદ્ધિકરણમાં મદદરૂપ છે – ચામડીના રોગોમાં લાભદાયક છે – સોજા અને દુખાવામાં રાહત આપે છે – ઘા ભરવામાં સહાયક છે – શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે ચરક સંહિતામાં હળદરને “વર્ણ્ય” એટલે કે કાંતિ વધારનાર અને “કુષ્ઠઘ્ન” એટલે કે ચામડીના રોગોને દૂર કરનાર ઔષધિ તરીકે ગણાવવામાં આવી છે. હળદર અને કરક્યુમિન : આરોગ્યનું વૈજ્ઞાનિક રહસ્ય હળદરનું મુખ્ય સક્રિય તત્વ છે — કરક્યુમિન (Curcumin). આ તત્વ જ હળદરને તેનું ઔષધીય મહત્ત્વ આપે છે. જ્યારે હું વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલ ‘અરહમ ઓર્ગેનિક સ્ટોર’ ના શ્રી ધીરેનભાઈને મળ્યો ત્યારે મને પ્રથમ વખત સમજાયું કે હળદરની પણ અનેક જાતો હોય છે અને દરેક પ્રદેશની હળદરના ગુણધર્મો અલગ હોઈ શકે. ધીરેનભાઈ આયુર્વેદ અને ઓર્ગેનિક ક્ષેત્ર સાથે ઊંડો સંબંધ ધરાવતા સંશોધનપ્રવૃત્તિ ધરાવતા વ્યક્તિ છે. વંશપરંપરાગત આયુર્વેદિક જ્ઞાન સાથે જોડાયેલા નિષ્ણાતો સાથે ચર્ચા-વિમર્શ કર્યા બાદ જ તેઓ કોઈ બાબતને સ્વીકારી અમલમાં મૂકે છે. તેમની સૌથી સારી બાબત એ લાગી કે —તેમનો શુદ્ધતા અને ઓરિજિનાલિટી પ્રત્યેનો આગ્રહ. તેમના જણાવ્યા પ્રમાણે સામાન્ય હળદરમાં આશરે ૨% થી ૪% સુધી કરક્યુમિન હોય છે, જ્યારે કેટલાક વિશિષ્ટ પ્રદેશોમાં ઉત્પન્ન થતી ઉચ્ચ ગુણવત્તાની હળદરમાં ૭% થી ૧૦% સુધી કરક્યુમિન જોવા મળે છે, જે અત્યંત ઉચ્ચ કક્ષાની ગુણવત્તા ગણાય. તેમના શબ્દોમાં સમજીએ તો આરોગ્ય માટે સૌથી અગત્યની બાબત છે — શુદ્ધતા. જે પ્રદેશ કોઈ વિશિષ્ટ પાક માટે જાણીતો હોય, ત્યાંની શુદ્ધ અને ઓર્ગેનિક પેદાશોનો ઉપયોગ કરવામાં આવે તો તેના સકારાત્મક આરોગ્યલાભ વધુ પ્રમાણમાં જોવા મળે છે. હળદરના અદભુત ઔષધીય ગુણો ૧. કુદરતી એન્ટીસેપ્ટિક હળદરને પ્રાચીન સમયથી જ કુદરતી એન્ટીસેપ્ટિક તરીકે ઉપયોગમાં લેવાઈ છે. જે શરીરની અંદર ના કે બહાર ના ઘા ઉપર ખુબજ ફાયદાકારક માનવામાં આવે છે. નાના ઘા, કપાઈ જવું, ચામડીના ચેપ અથવા ઇન્ફેક્શન જેવી પરિસ્થિતિમાં હળદર લાભદાયક માનવામાં આવે છે. ભારતમાં હજુ પણ ઘણા ગામડાઓમાં ઘા ઉપર હળદર લગાવવાની પરંપરા જીવંત છે. ૨. શક્તિશાળી એન્ટી-ઇન્ફ્લેમેટરી શરીરમાં અનેક રોગોના મૂળમાં સોજો રહેલો હોય છે. હળદરની એન્ટી-ઇન્ફ્લેમેટરી ક્ષમતા સાંધાના દુખાવા, આર્થરાઇટિસ, માસપેશીઓના સોજા જેવી પરિસ્થિતિમાં ઉપયોગી માનવામાં આવે છે. આધુનિક સંશોધનો પણ કરક્યુમિનને કુદરતી સોજો ઘટાડનાર તત્વ તરીકે સ્વીકારવા લાગ્યા છે. ૩. રક્ત શુદ્ધિકરણમાં મદદરૂપ આયુર્વેદ અનુસાર હળદર “રક્તશોધક” છે. તે શરીરમાં રહેલા કેટલાક ઝેરી તત્વોને બહાર કાઢવામાં અને રક્ત શુદ્ધ રાખવામાં મદદરૂપ માનવામાં આવે છે. ચામડી ઉપર કાંતિ અને સ્વચ્છતા જાળવવામાં પણ તેનો ફાળો માનવામાં આવે છે. ૪. યકૃત (લિવર) માટે લાભદાયક હળદર લિવરની કાર્યક્ષમતાને સહાય કરે છે એવી માન્યતા આયુર્વેદમાં પ્રાચીન સમયથી છે. તે પાચનક્રિયા સુધારવામાં અને શરીરમાંથી અનિચ્છનીય તત્વોને દૂર કરવામાં સહાયક બની શકે છે. ૫. વૃદ્ધાવસ્થાની પ્રક્રિયા ધીમી કરવામાં સહાયક:- શરીરમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસ અને સોજો વૃદ્ધત્વને ઝડપથી આગળ ધપાવે છે. હળદરના એન્ટીઓક્સિડન્ટ ગુણો કોષોને સુરક્ષા આપીને શરીરને લાંબા સમય સુધી સ્ફૂર્તિમય રાખવામાં મદદરૂપ બની શકે છે. આ કારણસર હળદરને “પ્રાકૃતિક એન્ટી-એજિંગ તત્વ” તરીકે પણ જોવામાં આવે છે. ૬. રોગપ્રતિકારક શક્તિમાં વધારો દૂધમાં હળદર ઉમેરી પીવાની ભારતીય પરંપરા માત્ર ઘરગથ્થુ ઉપચાર નથી. હળદરવાળું દૂધ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ માનવામાં આવે છે. સર્દી, ઉધરસ, થાક અને ઋતુપરિવર્તન દરમિયાન તેનો ઉપયોગ અનેક ઘરોમાં આજેય થાય છે. હળદર ગરમ તાસીર ધરાવે છે — પરંતુ કુદરતે તેનો પણ ઉપાય આપ્યો છે હળદર તાસીરથી ગરમ માનવામાં આવે છે. તેથી દરેક વ્યક્તિએ પોતાની પ્રકૃતિ અનુસાર તેનો ઉપયોગ સમજદારીથી અને  વિશેષજ્ઞની દેખરેખ હેથળ કરવો જોઈએ. ધીરેનભાઈના જણાવ્યા પ્રમાણે કુદરતે દરેક તત્વ સાથે તેનું સંતુલન પણ આપ્યું છે. યોગ્ય પ્રમાણ, યોગ્ય સંયોજન અને યોગ્ય પ્રકૃતિ અનુસાર જો હળદરનો ઉપયોગ થાય, તો તે ખરેખર ઇશ્વરના આશીર્વાદ સમાન બની શકે છે. આયુર્વેદ પણ કહે છે કે દરેક મનુષ્યની પ્રકૃતિ અલગ હોય છે — કોઈને એક વસ્તુ અત્યંત લાભદાયક હોય તો બીજી વ્યક્તિ માટે તેની માત્રા અથવા રીત બદલવાની જરૂર પડી શકે. તેથી પોતાના શરીરને સમજવું અને અનુકૂળ આહાર અપનાવવો અત્યંત જરૂરી છે. ભારતીય રસોડું : ભૂલાયેલ ઔષધાલય:- આજે જ્યારે વિશ્વ કુદરતી ઉપચાર તરફ પાછું વળી રહ્યું છે, ત્યારે અમેરિકા સહિત અનેક પશ્ચિમી દેશો પણ હળદરના ગુણોને વૈજ્ઞાનિક રીતે સ્વીકારી રહ્યા છે. કરક્યુમિન આધારિત અનેક પ્રોડક્ટ્સ, સપ્લિમેન્ટ્સ અને હેલ્થ ફોર્મ્યુલેશન્સ હવે વૈશ્વિક સ્તરે લોકપ્રિય બની રહ્યા છે. પરંતુ સત્ય એ છે કે જે ખજાનો દુનિયા આજે શોધી રહી છે, તે તો ભારતના રસોડામાં હજારો વર્ષોથી હાજર હતો અને છે, પણ આપણે તે સમજવા માં ઉણા ઉતર્યા. હળદર માત્ર મસાલો નથી. તે ભારતીય સંસ્કૃતિનું આરોગ્યવિજ્ઞાન છે. તે પ્રકૃતિ અને આયુર્વેદનું સંગમ છે. અને કદાચ તે માનવજાતને મળેલા પરમાત્માના અમૂલ્ય આશીર્વાદોમાંનું એક છે. જેઓ ઇચ્છે તેઓ શ્રી ધિરેનભાઈ મહેતાનો સીધો સંપર્ક કરી શકે : 97 12 69 95 40. #UtpalMehtaProducer

Health, Motivational

પુરુષ માટે રડવું કોઈ શરમજનક બાબત નથી, રડવું એ માનવ શરીર અને મનની કુદરતી, વૈજ્ઞાનિક અને ઈશ્વરદત્ત પ્રક્રિયા છે. To Cry for a Man is Not a Shameful Matter.

Written By : Utpal Mehta (ઉત્પલ મહેતા) – Producer 18th May, 2026 ભારતીય સમાજના માનસમાં એક માન્યતા સદીઓથી ખુબજ ઉડે સુધી ઉતરી ગઈ છે કે — “પુરુષ કદી રડે નહી.” રડવું એટલે નબળાઈ, લાગણીશીલતા એટલે કમજોરી, અને આંખોમાં આંસુ આવી જાય તો જાણે પુરુષત્વ ઉપર પ્રશ્નચિહ્ન લાગી જાય — આવી માનસિકતા આજે પણ અનેક ઘરોમાં જીવંત છે. પરંતુ આધુનિક મનોવિજ્ઞાન, ન્યુરોસાયન્સ અને હૃદયરોગવિજ્ઞાનના વૈશ્વિક સંશોધનો એકદમ વિપરીત દિશામાં ઇશારો કરે છે. રડવું કોઈ શરમજનક બાબત નથી, રડવું એ માનવ શરીર અને મનની કુદરતી, વૈજ્ઞાનિક અને ઈશ્વરદત્ત પ્રક્રિયા છે. ભાવનાત્મક બનવું કે તેને સાચવી રાખવી તે જ આપણી સાચી પ્રાકૃતિક ઓળખ છે. કદાચ કોઈ તમને મુર્ખ ગણે તો ભલે ઘણે, દરેક ને જીવનના કોઈ તબકકે સાચી ભાવનાત્મકતાની ખોટ સાલે છે, પણ ત્યારે ખુબ મોડું થઈ ચુકયું હોય છે. કદાચ કોઈ અત્યંત સંવેદનશીલ પરિસ્થિતિ માં તમને રડવું આવી જતું હોય અને તમે પુરુષ હો તો પણ તે તમારી નબળાઈ નથી, સમાજે એક એવી રોગિષ્ટ માનસિકતા ફેલાવી છે કે પુરુષ કદી રડે નહીં, સ્ત્રી માટે રડવું એ સમાજે સ્વિકારેલ વાસ્તવિકતા છે, પણ આ એક ગંભીર ભૂલ છે, તમારા સંતાનને કયારેય એવું ના શિખવાડશો કે પુરુષ માટે તે કાયરતા છે, કારણ સમાજ જેને કાયરતા માને છે તે એક અત્યંત કુદરતી બાબત છે અને ખુલ્લા દિલનું એક રુદન તે પુરુષને કેટલાય રોગમાંથી બચાવી શકે છે. લાગણીશીલ,  સંવેદનશીલ કે ભાવનાશીલ હોવું તે કુદરતે મનુષ્ય ને આપેલ એક અમુલ્ય બક્ષિસ છે જે કોઈ ના સમજી શકે તે તેમની સંકુચિત કે સિમીત માનસિકતા છે એ તમારો પ્રશ્ન કે નબળાઈ નથી, માટે સરળ બનવું એ માનસિક અને શારીરિક સ્વાસ્થ્યના હિતમાં છે, શકય છે કે કદાચ એવી સરળતા કોઈ વ્યક્તિને આરોગ્યલક્ષી ભયંકર પરિસ્થિતિમાં થી ઉગારી ફરી પુનઃસ્થાપિત કરી શકે. જેમ વરસાદ પછી વાતાવરણ હળવું બને છે, તેમ હૃદયમાં વર્ષોથી દબાયેલી પીડા, તણાવ, ભય અને લાગણીઓ આંસુઓ દ્વારા બહાર આવે ત્યારે મન અને મગજ બંનેને રાહત મળે છે. મનુષ્ય જ્યારે દિલથી રડે છે ત્યારે માત્ર ભાવનાઓ જ વ્યક્ત નથી થતી, પરંતુ શરીરમાં જમા થયેલા તણાવના રસાયણો પણ ધીમે ધીમે બહાર નીકળવા લાગે છે. વિશ્વભરના મનોવિજ્ઞાનીઓનું કહેવું છે કે લાંબા સમય સુધી લાગણીઓને દબાવી રાખનાર વ્યક્તિઓમાં ડિપ્રેશન, ઊંચું બ્લડ પ્રેશર, હૃદયરોગ, ચિંતાજનક માનસિક સ્થિતિ અને અનિદ્રા જેવી સમસ્યાઓ વધુ જોવા મળે છે. ખાસ કરીને પુરુષો સમાજના દબાણને કારણે “હું મજબૂત છું” એવો દેખાવ કરતા હોય, પરંતુ અંદરથી એકલતા, ભય, નિરાશા અને માનસિક થાક અનુભવતા હોઇ શકે. રડવું એ મનની સફાઈ છે. જેમ આંખમાં પડેલો કણ આંસુ દ્વારા બહાર નીકળી જાય છે, તેમ મનમાં ધરબાયેલું દુઃખ પણ આંસુઓ સાથે ધીમે ધીમે ઓસરવા લાગે છે. અમેરિકન બાયોકેમિસ્ટ ડૉ. વિલિયમ ફ્રેના સંશોધનો અનુસાર ભાવનાત્મક આંસુઓમાં તણાવ વધારતા કેટલાક હોર્મોન્સ અને ઝેરી રસાયણોના અંશ જોવા મળે છે. એટલે ભાવુક બનીને રડી લેવાથી શરીર અને મગજ ઉપરનું દબાણ ઓછું થવામાં મદદ મળે છે. રડ્યા પછી ઘણા લોકોને “હળવાશ” અનુભવાય છે — આ માત્ર લાગણી નથી, પણ વૈજ્ઞાનિક રીતે પણ સાચી બાબત છે. આધુનિક ન્યુરોસાયન્સ એવું પણ કહે છે કે રડતી વખતે શરીરમાં ‘ઓક્સિટોસિન’ અને ‘એન્ડોર્ફિન’ જેવા “ફીલ-ગુડ” રસાયણો સક્રિય થાય છે, જે માનસિક શાંતિ, આંતરિક રાહત અને ભાવનાત્મક સંતુલન જાળવવામાં મદદરૂપ બને છે. એટલે ક્યારેક દિલ ખોલીને રડી લેવું એ દવા જેટલું અસરકારક બની શકે છે. સમાજમાં “પુરુષ રડે નહીં” જેવી માન્યતા કારણે અસંખ્ય પુરુષો પોતાના દુઃખને અંદર જ દફનાવી દે છે. પરંતુ દબાયેલું દુઃખ ક્યારેય નાશ પામતું નથી; તે ચિંતા, ગુસ્સો, નિરાશા અથવા શારીરિક બીમારીઓના રૂપમાં બહાર આવે છે. ઘણા માનસિક આરોગ્ય નિષ્ણાતો એવું માને છે કે પુરુષોમાં વધતા ડિપ્રેશન અને આત્મહત્યાના કેટલાક કારણોમાં લાગણીઓને દબાવી રાખવાની સામાજિક પ્રથા પણ જવાબદાર હોઇ શકે છે. અલબત એ સાચું છે કે પુરુષ માટે રડવું અઘરું હોય છે. વિશ્વપ્રસિદ્ધ નર્તકી અને અભિનેત્રી Isadora Duncan વિશે એક પ્રસંગ જાણિતો છે, એક પત્રકારે પૂછ્યું કે “તમને જીવનસાથી તરીકે કેવા પુરુષ ગમે?” ત્યારે તેમણે એવો અર્થસભર જવાબ આપ્યો હતો કે — “જે પુરુષ સરળતાથી રડી શકે, કારણ તે વધુ માનવીય, સંવેદનશીલ, મજબુત, સમર્થ અને માનસિકરીતે વાસ્તવમાં શક્તિશાળી  હોય એટલે જ તે સમાજની પરવા વગર રડી શકે, સામાજના દંભી આવરણ નીચે દબાયેલો કે – માન્યતાથી ડરતો પુરુષ ક્યારેય રડી શકે નહીં” આ કથનની ઐતિહાસિક પુષ્ટિ સર્વત્ર ઉપલબ્ધ નથી, છતાં તેની પાછળનો ભાવ અત્યંત ઊંડો છે — લાગણીઓ વ્યક્ત કરી શકનાર વ્યક્તિ અંદરથી વધુ જીવંત, સમર્થ, પ્રામાણિક અને સંવેદનશીલ હોય છે. અહીં એક મહત્વની બાબત સમજવાની છે કે રડવું એટલે નબળાઈ નહીં. પોતાની લાગણીઓને સ્વીકારી શકવું એ આંતરિક શક્તિનું લક્ષણ છે. જે પુરુષ પોતાના દુઃખને ઓળખી શકે, જરૂર પડે ત્યારે આંસુ વહાવી શકે, અને ફરીથી ઊભો રહી શકે — તે માનસિક રીતે વધુ સ્વસ્થ અને પરિપક્વ કહેવાય. ભારતીય સંસ્કૃતિએ કરુણા, ભાવુકતા અને હૃદયની નરમાઈને કદી નકારી નથી. ભગવાન શ્રીરામથી લઈને શ્રીકૃષ્ણ સુધી, મહાભારતના વીરોથી લઈને આધુનિક યુગના અનેક મહાન પુરુષો સુધી — તેઓ દ્વારા લાગણીઓ વ્યક્ત કરવી તેને માનવત્વનો ભાગ માનવામાં આવી છે. આજે સમયનો તકાજો છે કે આપણે બાળકોને ખાસ કરીને દીકરાઓને એવું ના શીખવીએ કે “છોકરાઓ કદી રડે નહીં.” તેના બદલે તેમને શીખવવું જોઈએ કે — “લાગણીઓ વ્યક્ત કરવી સ્વાભાવિક છે.” “દુઃખ થાય ત્યારે વાત કરવી અને રડી લેવું સ્વસ્થ માનસિક જીવનનો ભાગ છે.” કારણ કે અંતે આંસુઓ માનવતાની ભાષા છે. રડવાથી માણસ નાનો નથી બનતો; ઘણી વાર તે વધુ હળવો, વધુ સ્વસ્થ અને વધુ માનવીય બની જાય છે અ‍ત્રે એક બાબત ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે જે પુરુષ રડી શકે તે વાસ્ત્વમાં અંદર થી વધુ મજબુત, સમર્થ હોય છે, કારણ લગુતાગ્રંથીથી પિડાતો પુરુષ રડી શકતો નથી, જે આંતરિક નબળાઇની નિશાની છે. એ સામર્થય કે સાચા પૌરુશ્ત્વની નિશાની નથી માટે જેમ દિલ થી હસવું અનિવાર્ય છે, તેટલું જ જરુર પડે ત્યારે દિલ થી રડી શકવું પણ અ‍નિવાર્ય છે. માટે સંકોચ અને ગેરમાન્યતાનો ત્યાગ જરુરી છે. #UtpalMehtaProducer

Health, Achievers, Bio Graphy, Cover Story

વડોદરા સ્થિત મુઠી ઉંચેરો માનવી એટલે“અરહમ ઓર્ગેનિક સ્ટોર” ના સ્થાપક શ્રી ધિરેનભાઇ મહેતા

Written By : Utpal Mehta (ઉત્પલ મહેતા) 10th May, 2026 ભારતની ધરતીને “બહુ રત્ના વસુંધરા” કહેવાય છે. આ વાક્ય માત્ર એક અલંકારિક અભિવ્યક્તિ નથી, પરંતુ એ આપણા સમાજમાં વસતા એવા અણમોલ માનવો માટે વપરાતું સચોટ વર્ણન છે, જેઓ પોતાના કાર્ય, વિચાર અને માનવતાથી સમાજમાં આશાનો દીવો પ્રગટાવતા રહે છે. આજના સમયમાં, જ્યાં મોટાભાગના લોકો જીવનને માત્ર સ્વહિત અને આર્થિક લાભના દૃષ્ટિકોણથી જોતા થયા છે, ત્યાં પણ કેટલીક વ્યક્તિઓ એવી હોય છે જેઓ પોતાના હૃદયની વિશાળતા, સેવા ભાવના અને સંવેદનશીલતાથી માનવતાને જીવંત રાખે છે. આવી જ એક પ્રેરણાદાયી વ્યક્તિ છે વડોદરા સ્થિત “અરહમ ઓર્ગેનિક સ્ટોર”ના સ્થાપક શ્રી ધિરેનભાઈ મહેતા. શ્રી ધિરેનભાઈ મહેતા મૂળ કચ્છ-ભુજના વતની છે. જીવનના સંઘર્ષોને પાર કરીને તેઓ વર્ષોથી વડોદરામાં સ્થાયી થયા અને પોતાની મહેનત, અનુભવ તથા સંશોધનાત્મક દૃષ્ટિથી સફળતાનો માર્ગ બનાવ્યો. તેઓ માત્ર વ્યવસાયી નથી, પરંતુ જીવનને ઊંડાણપૂર્વક સમજતા, માનવ સ્વભાવનું અધ્યયન કરનાર અને સમાજની જરૂરિયાતોને અનુભવનાર વ્યક્તિત્વ છે. તેમનો વ્યવસાયિક અને વૈજ્ઞાનિક અનુભવ અત્યંત વૈવિધ્યસભર રહ્યો છે. તેઓ એરોસ્પેસ, ઇલેક્ટ્રોનિક્સ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તથા આરોગ્યલક્ષી ક્ષેત્ર સાથે સંકળાયેલા રહ્યા છે. પરંતુ તેમની સૌથી વિશેષ અને પ્રેરણાદાયી બાબત એ છે કે તેઓ કોઈપણ વ્યક્તિની ખામીઓ કરતાં તેની સકારાત્મકતાઓને વધુ મહત્વ આપે છે. કોઈની ટીકા કરવાની જગ્યાએ તે વ્યક્તિ માં રહેલી સારી બાબતોને ગ્રહણ કરવાની તેમની આદત, તેમના વ્યક્તિત્વને વધુ ઉન્નત બનાવે છે. તેમની પાસે કોઈ વ્યક્તિ પોતાની સમસ્યા લઈને જાય અને તેઓ તેને મદદ કરવાનો પ્રયત્ન ન કરે, એવું ભાગ્યે જ બને. તેમના માટે માણસ પહેલા અને વ્યવસાય પછી આવે છે. તેમની અંદર રહેલી આ માનવતાની ભાવના જ તેમને સામાન્ય વ્યવસાયીઓથી અલગ બનાવે છે. કોરોના મહામારીના અતિ કઠિન સમયમાં, જ્યારે સમગ્ર માનવજાત ભય અને અનિશ્ચિતતામાં જીવતી હતી, ત્યારે શ્રી ધિરેનભાઈએ સેવા અને કરુણાનો માર્ગ પસંદ કર્યો. ખાસ કરીને જૈન સાધુ-સાધ્વીજીઓ માટે યોગ્ય ખાદ્ય પદાર્થો અને કુદરતી ઔષધીય સામગ્રી પહોંચાડવાની જરૂરિયાત અનુભવી. આ સેવા કાર્ય દરમિયાન તેમને એક મહત્વપૂર્ણ સત્ય સમજાયું — કે રસાયણિક ખાતરોથી ઉગાડવામાં આવતા ખાદ્ય પદાર્થોની તુલનામાં સજીવ ખેતી દ્વારા ઉત્પાદિત અનાજ, મસાલા અને ખોરાક શરીરને વધુ આરોગ્યપ્રદ અને સુરક્ષિત બનાવે છે. આ વિચાર માત્ર વિચાર બની રહ્યો નહીં; પણ તેમણે તેને જીવનમાં ઉતારવાનો નિશ્ચય કર્યો. ત્યારબાદ શરૂ થયો એક ઊંડો સંશોધનપ્રવાસ. કયા પ્રદેશમાં કઈ વસ્તુ શ્રેષ્ઠ ગુણવત્તાની મળે છે? કઈ જમીન અને વાતાવરણમાં ઉત્પાદિત સામગ્રી સૌથી વધુ પ્રાકૃતિક ગુણધર્મો ધરાવે છે? આવા અનેક પ્રશ્નોના જવાબ શોધવામાં તેમણે પોતાને સમર્પિત કર્યા. તેમનું માનવું છે કે કોઈપણ ખાદ્ય સામગ્રી તેની મૂળ ભૂમિમાંથી મેળવવામાં આવે તો તેની ગુણવત્તા અને ઔષધીય તત્ત્વો વધુ સારી રીતે જળવાઈ રહે છે. કોરોના કાળ દરમિયાન તેમણે આ ક્ષેત્રે ખૂબ જ ઊંડાણપૂર્વક કાર્ય કર્યું અને પછી વિચાર કર્યો કે આ જ્ઞાન માત્ર પોતાની પાસે જ શા માટે રાખવું? સમાજના આરોગ્ય માટે તેનો વ્યાપક ઉપયોગ કેમ ન કરવો? આ વિચારમાંથી જ જન્મ થયો વડોદરા, અકોટા ખાતે સયાજી હોલની બાજુમાં આવેલ “અરહમ ઓર્ગેનિક સ્ટોર”નો. આજે આ સ્ટોર માત્ર એક દુકાન નથી, પરંતુ આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ દોરી જતું એક વિશ્વાસપાત્ર કેન્દ્ર બની ગયું છે. અહીં દેશના વિવિધ પ્રદેશોમાંથી લાવવામાં આવેલી લગભગ હજારેકથી વધુ ઓરિજિનલ અને ગુણવત્તાસભર ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ છે. શ્રી ધિરેનભાઈ આરોગ્ય અને આયુર્વેદ વિષયક અનેક રસપ્રદ તથ્યો રજૂ કરે છે. ઉદાહરણ તરીકે તેઓ જણાવે છે કે સામાન્ય હળદરમાં ૨ થી ૪ ટકા સુધી કર્ક્યુમિન હોય છે, જ્યારે વિશેષ પ્રદેશોમાંથી મેળવવામાં આવેલી ઉચ્ચ ગુણવત્તાની હળદરમાં ૭ થી ૧૦ ટકા સુધી કર્ક્યુમિન મળી શકે છે. આ તત્ત્વ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને વિવિધ રોગોમાં નોંધપાત્ર સ્તરે ઉપયોગી સાબિત થઈ શકે છે. તેઓ કહે છે કે જ્યારે ઉત્તમ ગુણવત્તાની હળદરને દેશી ગાયના શુદ્ધ ઘી સાથે યોગ્ય રીતે ઇન્ફ્યુઝ કરવામાં આવે, ત્યારે તેના વધુ સારા પરિણામો જોવા મળે છે. જોકે તેઓ આ બાબતમાં ગેરસમજ  ફેલાવતા નથી. તેઓ સ્પષ્ટપણે માનતા હોવાને કારણે ઈમાનદારીપુર્વક કહે છે કે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ હોય છે, માટે ઔષધિની અસર પણ દરેક વ્યક્તિ એ અલગ અલગ હોઇ શકે, આરોગ્ય અને ઔષધિની અસરમાં શરીરની આંતરિક સ્થિતિ કે પ્રક્રતિ પણ એટલી જ અગત્યની છે. છતાં, આપણા ઋષિ-મુનિઓએ આપેલું આયુર્વેદિક જ્ઞાન અત્યંત મૂલ્યવાન છે અને તેને અવગણવું યોગ્ય નથી. તેમનું માનવું છે કે જો સમાજ રસાયણમુક્ત ખોરાક તરફ વળે, તો લોકોના આરોગ્યમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે, બાળકોમાં સારો શારીરિક વિકાસ થાય અને માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ સકારાત્મક અસર પડે. ખરેખર, “જેટલો શુદ્ધ ખોરાક, એટલું વધુ તંદુરસ્ત શરીર” — આ વિચારને તેમણે માત્ર શબ્દોમાં જ નહીં, પરંતુ પોતાના કાર્ય દ્વારા પણ જીવંત બનાવ્યો છે. તેઓએ વિવિધ ગંભીર રોગોમાં ઓર્ગેનિક પદાર્થોના ઉપયોગથી સકારાત્મક પરિણામો મેળવવાના પ્રયાસો કર્યા છે અને મેળવ્યા છે, આ ક્ષેત્રે તેમનું સંશોધન આજે પણ સતત ચાલુ છે. દેશના વિવિધ પ્રદેશોમાંથી મૂળ અને ગુણવત્તાસભર પ્રોડક્ટ્સ શોધી, તેને લોકો સુધી પહોંચાડવાની તેમની ભાવના માત્ર વ્યવસાયિક નથી, પરંતુ એક પ્રકારની સામાજિક સેવા છે. તેઓ લોકોના આરોગ્ય માટે કાર્ય કરી રહ્યા છે અને કદાચ આ જ કારણ છે કે તેઓ માત્ર નફો નહીં, પરંતુ લોકોના આશીર્વાદ પણ કમાઈ રહ્યા છે. આજે જ્યારે આરોગ્ય સંદર્ભ સમસ્યાઓ દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે સમાજે માત્ર દવાઓ પાછળ ખર્ચ વધારવાને બદલે ખોરાકની શુદ્ધતા અને જીવનશૈલીની ગુણવત્તા અંગે વધુ જાગૃત થવાની જરૂર છે. શ્રી ધિરેનભાઈ મહેતા જેવા લોકો સમાજ માટે પ્રેરણાસ્ત્રોત છે. તેઓ આપણને યાદ અપાવે છે કે સાચી સફળતા માત્ર સંપત્તિમાં નથી, પરંતુ સમાજને આપેલી સકારાત્મક દિશામાં છે. અંતે એટલું જ કહી શકાય કે, જો સમાજ આરોગ્યપ્રદ અને રસાયણમુક્ત જીવન તરફ આગળ વધવા ઇચ્છે, તો આવા પ્રયાસોને સમજવા, અપનાવવા અને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. કારણ કે સારા આરોગ્યથી મોટું કોઈ ધન નથી. જેઓ ઇચ્છે તેઓ શ્રી ધિરેનભાઈ મહેતાનો સીધો સંપર્ક કરી શકે : 97 12 69 95 40. #UtpalMehtaProducer

Health

બાળકોમાં પ્રવર્તતી એક માનસિક સમસ્યા વિષયક એક અગત્યની જાહેરાત

Author : Utpal Mehta (ઉત્પલ મહેતા) 21st April, 2026 મિત્રો, અગત્યની જાહેરાત અમે આવી રહયાં છીંએ બાળકોમાં પ્રવર્તતી એક માનસિક સમસ્યા વિષયક માહિતી લઇને. જે મુખ્યત્વે બાળકોમાં જોવા મળતી સમસ્યા છે,   જેમાં બાળક માતા-પિતા અને શિક્ષક ની મુંઝવણનો ભોગ બને છે, કારણ માતા-પિતા અને શિક્ષકને મોટેભાગે એ ખ્યાલ નથી આવતો કે સ્લો લર્નર બાળક એ તેની નબળાઇ નથી પણ તે એક માનસિક સમસ્યા ધરાવે છે,  જે યોગ્ય પધ્ધતિ અને થેરાપી થી ઠીક થઇ શકે છે, પરંતું યોગ્ય જાગૃતિના અભાવે કાં તો બાળક બધાની વારંવારની ટકોર કે સરખામણીને કારણે સતત તાણ અનુભવતું થઇ જાય છે કાં નાનપણથી જ લઘુતા ગ્રંથીનો શિકાર બની જાય છે. શહેરોમાં કે નગરોમાં બધી વ્યવસ્થા સરળતાથી મળી શકતી હોવાથી હજી કંઇક જાગૃતિ  છે, પરંતું રાજ્ય કે દેશના કેટલાંય અંતરીયાળ કે દુર સુદુરના સ્થળોએ જ્યાં ઇન્ટરનેટ કે માહિતી ના સરળ આદાન પ્રદાનની મુશ્કેલી હોય ત્યાં આ બાબત જાગૃતિ ખુબ જ ઓછી છે,  યાદ રહે અહીં આપણે “મેન્ટલી સ્પેશિયલી ડિસેબલ્ડ ચાઇલ્ડ”ની વાત નથી કરતાં  આ માત્ર અને માત્ર ઠીક થઇ શકતી વિવિધ માનસિક સમસ્યા ધરાવતાં બાળકોની જ વાત કરીએ છીંએ.  આમ, સેંકડે અંદાજીત 9 % (ટકા) બાળકોમાં જોવા મળતી આ માનસિક સમસ્યા છે કે જે બાબતે સમાજમાં જોઇએ તેટલી જાગૃકતાનો અભાવ છે,  તે સંદર્ભ અમે ટુંકમાં સમયમાં ગુજરાતી સહિત વિવિધ ભાષાઓમાં આ વિષયક અગત્યની માહિતી પુરી પાડતી “ડિજીટલ પુસ્તિકા” લાવી રહયાં છીંએ, આશા છે કે તે માતા-પિતા, શિક્ષકો અને આ સમસ્યા સામે ઝઝુમતાં બાળકો ને ઉપયોગી બની રહેશે. સમાજને અભ્યાસકીય હેતુથી ઉપયોગી થાય તે અર્થે પ્રકાશિત થઇ રહેલ આ ઇ-પુસ્તિકા છે. જેને આ “ઓનલાઇન મેગેજીન” ઉપરથી ડાઉનલોડ કરી શકાશે, માટે તમામ માતા-પિતા, શિક્ષકો અને ન્યુ કપલને આ મેગેજીન સતત જોતા રહેવા વિનંતી. ઇ-બુક અપલોડ થતાંની સાથે જો આપ સબસ્ક્રાઇબર હશો તો આપને લગભગ નોટીફિકેશન થી તરત જાણ થઈ જશે. સર્વે  સુખીના ભવતુઃ  સર્વે સન્તુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુઃ મા કશ્ચિદ્ ભાગ્ભવેત્ઃ ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ અસ્તુ…ધન્યવાદ…

ટોચ પર સ્ક્રોલ કરો