લેખકનું નામ: Utpal Mehta

Utpal Mehta is a basically a Producer of Hindi Film & Television Programs. He has worked as a Producer, Associate Director, Director, Concept Writer, Story Writer, Script Writer, He is Host of a YouTube Programme, named: #UtpalMehtaShow, Number of categories falls under his credit. He is a voracious Reader, Gujarati Community have its foot print in more then 123 Countries, which inspired him to establish a single platform to unite this Globally Spread Community. So he Founded "Gujarati World Association" - GWA, (A Digital Platform), Thru which he wish to create a bridge between worldwide Gujarati Community. This Magazine is also one of the aspect of that mission.

Tours & Travels, Cover Story

BHUTAN TOUR – A PLACE OF BEYOND IMAGINATION

“THE HAPPY TOUR ENDS FROM HAPPINESS KINGDOM BHUTAN”BHUTAN BELIEVES!! “LORIS ASSOCIATES” MEANS A RENOWNED NAME IN THE FIELD OF FAMILY, ECO AND ADVENTUROUS TOURISM. THE ORGANIZER MR. MANISH VAIDYA, IS GOES WITHOUT SAYING AS A – PRESTIGIOUS NAME IN THE FIELD. Dear Friends, Season Greetings from LORIS NATURE EXPLORERS!!! LORIS believes in Eco-Tourism as “A responsible tourism to natural areas, creating awareness for conserving nature and improving the benefit of the local community”. Welcome to Bhutan. With LORIS, we have organised a Bhutan tour for 9 years. Bhutan is a carbon-negative country and is known for its Gross National Happiness (GNH) index. The country’s holistic approach to development considers its citizens’ spiritual, physical, and social well-being. Package cost Rs. 38,500/- per person, Ex Bagdogra Airport (Group tours) We announce the Bhutan Culture and Nature tour in May. Book your seat with 25% advance payment before 10th Feb and get a Rs. 500/- discount on the tour package. No hidden charges, 25% more payment in March, 2026 25% More payment in advance in April, 2026 The rest of the balance in the first week of May 2026. Date: (1) 24th to 31st March, 2026 (2) 27th April to 04th May, 2026 Total – 7 Nights 8 days Tour In Bhutan, night stays and Hotels: Phuntsholing –1 Night: Meto Pema Hotel / Hotel Lhaki / or SimilarThimphu – 2 Nights: Hotel Peaceful Resort / Hotel Santi Deva or Similar Punakha – 1 Night: Punatshangchu Cottages / Hotel Channan or Similar Paro – 2 Nights: Gonju Boutique / Hotel Centre Point or Similar Gurumara – 1 Night: Swadagar Resort or Similar. Package including: 1) Transportation: By road from Bagdogra to Bagdogra, Tempo Traveller, and in the Bhutan part, Toyota Coaster 2) All visa and immigration formalities 3) SDF Fees (Each day Rs. 1200/- paid to the Bhutanese Government) 4) Mineral water – 1000 ml per day. 5) Accommodation is in a 3-star hotel with a MAP meal Plan (dinner and breakfast). 6) English & Hindi speaking govt-authorised escort/guide. Package exuding 1) All Monument / Museum fees or entry fees at the sightseeing 2) Lunch expenses 3) Another expense that is not mentioned. NB: (1) Indian Tourists travelling to Bhutan must require a travel permit for entry. (2) Indian tourists can produce a passport or a Voter ID to receive a permit (3) If you book a flight ticket, our vehicle will be waiting to go to Bhutan in the afternoon. (4) If you book a flight ticket from Ahmedabad to Bagdogra, you will book it in such a way that we reach around 3.00 pm on the first day. (5) If you book a flight ticket from Bagdogra to Ahmedabad, you will book it after 4.00 pm on the 8th day. (6) If we book a railway ticket, please take our advice. Most welcome to a happy and carbon-free country. Thanks & Regards – Manish Vaidya Must listen if you think Bhutan trip, click the YouTube link https://www.youtube.com/watch?v=7Lc_dlVrg5M&feature=youtu.be&fbclid=IwAR3MrdpXGz-e9D-NipoDA7J3zrjaUHY4M3YAKZzlEHDXqJS6AtXyEBftV-o https://www.youtube.com/@tvworldgujarat

Tours & Travels, Spiritual

દિવ્યાત્મા શ્રી નીમ કરૌરી બાબાજી – ભારત – એક આધ્યાત્મિક ધરોહર – Baba Neem Karori jee

Author : Utpal Mehta –  ઉત્પલ મહેતા Date : 30th April, 2026 વિશ્વ વિખ્યાત દિવ્યાત્મા મહાયોગી શ્રી નીમ કરૌરી બાબાજી, બહું ઓછા લોકોને એ ખ્યાલ હ્શે કે તેઓની આદી તપઃસ્થલી એટલે કે મુળ તપોભૂમિ, એ ગુજરાતના વવાણિયા ગામમાં સ્થાન ધરાવે છે. ભારત એ તપોભૂમિ કે આધ્યાત્મિક ભુમિ તરીકે વિશ્વ પ્રસિદ્ધ છે. આ દેશના વિવિધ સ્થળો,  હિંદુ સંસ્કૃતિની વિવિધ આશ્ચર્યજનક અને ગહન બાબતોને આજે પણ સાચવી રહયાં છે. તેમાનું એક અભૂતપૂર્વ સ્થળ એટલે ગુજરાતના મોરબી – માળીયા રોડ ઉપર, મોરબીથી કચ્છ જવાના રસ્તે, ડાબી બાજુએ, ૩૯ કિમી અંદર આવેલ વર્ષો જુના બંદર “નવલખી” નજીક સ્થિત વવાણિયા ગામ (https://goo.gl/maps/YMWx4gZoeBUvKDsDA). આ ગામ સ્વયં એક તપોભૂમિ છે. આશ્ચર્યકારક બાબત એ છે કે અહીં સેંકડો મહાન યોગીઓ, સંતો, તપસ્વીઓ  તપશ્ચર્યા કરી ગયા, તેમ છતાં બહુ ઓછા લોકો આ ભૂમિની વિશિષ્ટતાથી પરિચિત છે. આ સ્થળ, શ્રીમદ્‌ રાજચંદ્ર, મા રામબાઇ, બાપા સિતારામ, દિવ્યાત્મા પૂ. શ્રી નીમ કરૌરી બાબાજી જેવાં અતિ ઉચ્ચ કોટિના સિદ્ધાત્માઓના પાવન પગલાં અને તપશ્ચર્યાથી સમૃદ્ધ છે. (પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજી,  આ આર્ટિકલના લેખક શ્રી ઉત્પલ રસિક મહેતાના દાદીના મામા થાય, તે પરમ સદ્ભાગ્ય છે.) વરસો પહેલાં અહીં વવાણિયા ગામમાં પ્રવેશ કરતાં જ પાદરમાં “મા રામબાઇ આશ્રમ” ની સામે શ્રી હનુમાન દાદાજીના એક નાના મંદિરના દર્શન થતા હ્તા. અમે પ્રથમવાર વવાણિયા ગયા તેની પણ એક રસપ્રદ કથા છે. જે ભવિશ્યમાં વર્ણવીશું. હવે મુળ વાત ઉપર આવું, વલસાડ પાસે આવેલ જાણિતી રિયાસત ધરમપુરના રાજવી ફેમિલીના જમાઇ અને ટુરિઝમ સાથે સંકળાયેલ શ્રી પરેશભાઇ રાવલ, તેઓ મારા સ્કુલ કાલીન મિત્ર થાય, તેઓ મારા જીવનમાં શ્રી નીમ કરોરી બાબાજીની બાબતમાં બે વાર નિમિત્ત બન્યા. જે સ્વયં એક ગહન રહસ્ય છે. 20 વર્ષ પહેલાં એકવાર તેઓ મને પીળુ પુંઠું ધરાવતી નાની હિન્દી પુસ્તિકા “કૈંચીધામ કે દિવ્ય સંત બાબા નીમ કરોરીજી”  આપી ગયેલ, જે માત્ર કુતુહલ ખાતર વાંચી મેં તેમને પરત કરેલ અને તે વાત પણ વિસરાઇ ગઇ હતી. અમારું વર્ષમાં જયારે શકય બને ત્યારે અવાર નવાર એક બીજાને ત્યાં રોકાવું સામાન્ય બાબત રહી છે, અને કોઇ નિમિત્ત વગર પણ જઇને રોકાવું ગમે તેવો નાતો રહયો છે. વર્ષો પહેલા,  લગભગ 2018માં પરેશભાઇ અને તેમના પત્નિ હેમકુંવર બા મારે ઘરે 1 – 2 દિવસ રોકાયેલ. તે દરમ્યાન, અમારે દેવાસની તેમની ગુરૂ પરંપરામાં આવતા શિષ્ય, કે જેઓ વડોદરા, નિઝામપુરા રહેતા. તે ડો.ઉપેન્દ્રભાઇ ભટ્ટ સાહેબને મળવા જવાનું થયું. જેઓ હોમિયોપથી અને આયુર્વેદ બંનેમાં વિધ્વતા ધરાવતા અને હોમિયોપથી હોસ્પિટલમાં પ્રોફેસર તરીકે સેવા આપતા એક સજ્જન વ્યકિત લાગ્યા.  શરૂઆતમાં જ થોડી ઘણી ચર્ચા બાદ તેઓ વાસ્તવમાં કોઇપણ જાતના દેખાડા કે અહંમ વગરના એક ઉચ્ચ કોટીના અતી સરળ સાધક કહી શકાય તેવો મારો પ્રમાણિક અભિપ્રાય સર્જાયો, કારણ તેઓ જાતે સ્વયંનું અનુભવ સિધ્ધ જ્ઞાન બતાવવા જરાય ઉત્સુક ના લાગ્યા, જયારે પુછો ત્યારે જરૂર પુરતો જવાબ આપે. આધ્યાત્મિક વાતોમાં બે – અઢી કલાક કયાં નિકળી ગયા તે ખ્યાલ જ ના રહયો,  ધીરેધીરે તેઓને લાગ્યું કે મારા પ્રશ્નો પાછળ આધ્યાત્મિક ભુખ સિવાય કોઇ હેતુ નહોતો, વાસ્તવમાં આધ્યાત્મિક બાબતમાં હું આંતરિક રીતે ભાગ્યે જ કોઇથી પ્રભાવિત થયો હોઇશ તેમાં ભટ્ટ સાહેબને એક ચોકકસ વ્યકિત ઘણી શકાય. હું અને ભટ્ટ સાહેબ વાતોમાં તલ્લિન હતા, તે દરમ્યાન થોડી ખામોશી બાદ અચાનક તેમને શું પ્રેરણા થઇ કે તેમણે મને જણાવ્યું કે “થોભો, હું એક પુસ્તક તમને વાંચવા આપુ છું”, તેમ કહી તેઓએ તેમના ઘરના ઉપરના માળેથી “અલૌકિક યથાર્થ” નામનું શ્રી નીમ કરોરી બાબા ઉપરનું પુસ્તક લાવી મને આપ્યું. હું વિચારમાં પડી ગયો કે આજ નામના સંતની એક નાની પુસ્તિકા પરેશભાઇએ મને આજથી બરોબર પંદર વર્ષ પહેલા આપેલ, જે મેં ઔપચારિકરીતે વાંચી તેમને પરત કરેલ, આજે ફરીથી પરેશભાઇના જ નિમિત દ્વારા એજ સંતનું મોટું પુસ્તક એક સાધક મને આપી રહયા છે શું આ યોગાનુંયોગ હોઇ શકે ? ના, જરૂર કોઇ સંકેત હોઇ શકે. અને મેં તે પુસ્તક અભ્યાસના ભાવ સાથે હાથમાં લીધું. તેમની સાથેની ચર્ચાના વિશિષ્ટ અનુભવો ફરી કયારેક અલગ લેખમાં લઇશું.             તે પછી, બીજા દિવસે  મેં 423 પાનાનું તે પુસ્તક વાંચવાનું શરૂં કર્યુ અને જોતજોતામાં તે બે દિવસમાં કેવી રીતે વંચાઇ ગયું તે ખ્યાલ જ ના રહયો.               તે પુસ્તકમાં એક ઉલ્લેખ આવ્યો, કે યુ.પી. ના એક સિધ્ધ સંત બાળપણમાં બાબાજીને  પ્રેરણા આપે છે કે “ગુજરાત કે સૌરાષ્ટ્ર મે સ્થિત ‘બબાનિયા’ જાઓ ઓર વહાં તપસ્યા કરો”. હું સ્તબ્ધ રહી ગયો, સૌરાષ્ટ્રથી હું ઘણે અંશે પરિચીત છું છતાં “બબાનિયા” નામ કેમ મારી જાણમાં નથી તેનું આશ્ચર્ય થયું, તે રાત્રે જ મેં વિવિધ લોકોને ફોન લગાડી તે વિશે પુછયું, પણ કોઇને “બબાનિયા” નામના સ્થળ હોવાની ખબર જ નહોંતી. મેં ગુગલમાં સર્ચ કરવાનું શરૂ કર્યું, અને એક ઠેકાણે મને “બવાનિયા” જોવા મળ્યું, મને લાગ્યું કે કયાંક ભાષા નું કન્ફયુઝન લાગે છે વધુ સર્ચ કરતાં “વવાણિયા” નામ સામે આવ્યું અને હું ખુશ થઇ ગયો કારણ મારા દાદીના મામા એટલે કે કૃપાળુ દેવ – શ્રીમદ્ રાજચંદ્રજીએ વવાણિયા ખાતે તપસ્યા કરેલ તે મેં મારા પિતાજી પાસેથી સાંભળેલ.             બીજે જ દિવસે હું મધર ને જાણ કરી વવાણિયા જવા નિકળી ગયો, મનમાં ગજબની ઉત્કંઠા અને રોમાંચ હતો. તે યાત્રા કેવી રહી તે ફરી અલગ લેખ માં લઇશું. આ રીતે એક દિવસ રાજકોટ રોકાઇ બીજે દિવસે જ્યારે વવાણિયા પહોંચ્યો અને ગામમાં પ્રવેશ કરતાં જ પાદરમાં આવેલ “મા રામબાઇ આશ્રમ” ના મહંત પુ.શ્રી પ્રભુદાસજીને મળતા તેઓએ ખુબજ પ્રેમથી સત્કાર્યા, તેઓએ જણાવ્યું કે “હા એ વાત સાચી છે કે શ્રી નીમ કરોરી બાબાજી એ અહીં જ સાધના કરેલ”, તેટલું કહેતા તેઓ કાર્યાલયમાંથી મને બહાર ઓટલા ઉપર લઇ આવ્યા અને સામે ની દિશામાં આંગળી લંબાવતા તેમણે જણાવ્યું કે “આ સામે દેખાય છે તે શ્રી હનુમાન દાદાજીના નાના મંદિરની સ્થાપ્ના શ્રી નીમ કરૌરી બાબાજીના સ્વ કરકમલ દ્વારા થયેલ”, અમને મંદિરની સામે જ આવેલ અને શ્રી નીમ કરૌરી બાબાજી દ્વારા સ્થાપિત શ્રી હનુમાન દાદાજીના એક નાના મંદિરના દુરથી દર્શન કરાવ્યા.  ત્યારે મારા રોમાંચનો પાર ના રહયો, કારણ જે હજી બે દિવસ પહેલાં જ હું પુસ્તકમાં વાંચી ને આવ્યો હતો તે સ્થળ અત્યારે મારી નજર સામે હતું. ત્યારે જાણે કે એક અદ્ભૂત રોમાંચ રોમ રોમમાં વ્યાપી ગયો. આ મંદિરની સ્થાપના, એક નાની દેરી રૂપે માત્ર ૧૩ વર્ષની ઉંમરે સ્વયં પ.પૂ.શ્રી નીમ કરૌરી બાબાજીને સ્વ હસ્તે  થયેલ, જે ખૂબ જ મહત્વની બાબત છે.  જ્યાં હનુમાન દાદાજી ની એક નાની દેરી હતી તેમાં ભગવાન શ્રી હનુમાન દાદાજી ના ચરણોમાં શ્રી નીમ કરોરી બાબાજીનો ફોટો સ્થાપિત કરાયેલ હતો, જે અહીં  બાબાજી એ કરેલ સાધનાની સત્યતાની ગવાહી આપતો હતો, આજે તો અહીં ઉપર જણાવ્યું તેમ આવા મહાયોગી દિવ્યાત્મા દ્વારા નિર્માણ પામેલ એક નાનકડી દેરી, અમદાવાદ સ્થિત આર્કિટેક શ્રી વિશાલ ભાવસારની શ્રદ્ધા, અદ્‌ભુત કાર્ય નિષ્ઠા, અને ટ્રસ્ટી મંડ્ળની મહેનત ને

Health

બાળકોમાં પ્રવર્તતી એક માનસિક સમસ્યા વિષયક એક અગત્યની જાહેરાત

Author : Utpal Mehta (ઉત્પલ મહેતા) 21st April, 2026 મિત્રો, અગત્યની જાહેરાત અમે આવી રહયાં છીંએ બાળકોમાં પ્રવર્તતી એક માનસિક સમસ્યા વિષયક માહિતી લઇને. જે મુખ્યત્વે બાળકોમાં જોવા મળતી સમસ્યા છે,   જેમાં બાળક માતા-પિતા અને શિક્ષક ની મુંઝવણનો ભોગ બને છે, કારણ માતા-પિતા અને શિક્ષકને મોટેભાગે એ ખ્યાલ નથી આવતો કે સ્લો લર્નર બાળક એ તેની નબળાઇ નથી પણ તે એક માનસિક સમસ્યા ધરાવે છે,  જે યોગ્ય પધ્ધતિ અને થેરાપી થી ઠીક થઇ શકે છે, પરંતું યોગ્ય જાગૃતિના અભાવે કાં તો બાળક બધાની વારંવારની ટકોર કે સરખામણીને કારણે સતત તાણ અનુભવતું થઇ જાય છે કાં નાનપણથી જ લઘુતા ગ્રંથીનો શિકાર બની જાય છે. શહેરોમાં કે નગરોમાં બધી વ્યવસ્થા સરળતાથી મળી શકતી હોવાથી હજી કંઇક જાગૃતિ  છે, પરંતું રાજ્ય કે દેશના કેટલાંય અંતરીયાળ કે દુર સુદુરના સ્થળોએ જ્યાં ઇન્ટરનેટ કે માહિતી ના સરળ આદાન પ્રદાનની મુશ્કેલી હોય ત્યાં આ બાબત જાગૃતિ ખુબ જ ઓછી છે,  યાદ રહે અહીં આપણે “મેન્ટલી સ્પેશિયલી ડિસેબલ્ડ ચાઇલ્ડ”ની વાત નથી કરતાં  આ માત્ર અને માત્ર ઠીક થઇ શકતી વિવિધ માનસિક સમસ્યા ધરાવતાં બાળકોની જ વાત કરીએ છીંએ.  આમ, સેંકડે અંદાજીત 9 % (ટકા) બાળકોમાં જોવા મળતી આ માનસિક સમસ્યા છે કે જે બાબતે સમાજમાં જોઇએ તેટલી જાગૃકતાનો અભાવ છે,  તે સંદર્ભ અમે ટુંકમાં સમયમાં ગુજરાતી સહિત વિવિધ ભાષાઓમાં આ વિષયક અગત્યની માહિતી પુરી પાડતી “ડિજીટલ પુસ્તિકા” લાવી રહયાં છીંએ, આશા છે કે તે માતા-પિતા, શિક્ષકો અને આ સમસ્યા સામે ઝઝુમતાં બાળકો ને ઉપયોગી બની રહેશે. સમાજને અભ્યાસકીય હેતુથી ઉપયોગી થાય તે અર્થે પ્રકાશિત થઇ રહેલ આ ઇ-પુસ્તિકા છે. જેને આ “ઓનલાઇન મેગેજીન” ઉપરથી ડાઉનલોડ કરી શકાશે, માટે તમામ માતા-પિતા, શિક્ષકો અને ન્યુ કપલને આ મેગેજીન સતત જોતા રહેવા વિનંતી. ઇ-બુક અપલોડ થતાંની સાથે જો આપ સબસ્ક્રાઇબર હશો તો આપને લગભગ નોટીફિકેશન થી તરત જાણ થઈ જશે. સર્વે  સુખીના ભવતુઃ  સર્વે સન્તુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુઃ મા કશ્ચિદ્ ભાગ્ભવેત્ઃ ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ અસ્તુ…ધન્યવાદ…

Tours & Travels

વડોદરાના પસ્ચિમ છેડે સેવાસીમાં આવેલ ‘વિધ્યાધર વાવ’

Author : Utpal Mehta (ઉત્પલ મહેતા) 19th April, 2026 મિત્રો, આજે આપણે વિષય લઇ રહયાં છીંએ, પ્રવાસન. ગુજરાત જેમ સેંકડો બાબતોમાં વિવિધતાઓ ધરાવે છે તેમ જોવા લાયક સ્થળોના વૈવિધ્યથી પણ ગુજરાત સમૃધ્ધ છે. મિત્રો, ભારતમાં ગુજરાત એક એવો પ્રદેશ છે કે જે વિવિધ ભૌગોલિક બાબતોમાં સમુદ્ર, રણ, જંગલો, પહાડો, નદી કે ઝરણા થી માંડી 1600 કિ.મી.નો અદ્ભુત સમુદ્ર કિનારો ધરાવે છે. તો પોતાના ઉદરમાં તે ડાયનોસોરના વારસાને ધરબી બેઠો છે. કયારેક આ ક્ષેત્ર વિશાળકાય ડાયનોસોરના ધરતી ધ્રુજાવતા ડરામણા પગલાંથી ધમધમતો હશે તેવો અહેસાસ કરાવતા ઉતર ગુજરાતના રૈયોલી ખાતે સ્થિત પાર્કથી તે બાબતીની ગવાહી આપે છે. તો સામે પક્ષે તેનો ઐતિહાસિક વારસો પણ સુંદર છે, તેમાનું એક સ્થળ એટલે વડોદરાના પસ્ચિમ છેડે આવેલ સેવાસી ગામની વિધ્યાધર વાવ. આ વાવ ત્યાં અસ્પષ્ટરૂપે વાચ્ય લખાણ ઉપરથી લગભગ તે 540 વર્ષ પુરાણી હોવાનું જણાય છે, તે સાથે બુઝુર્ગો દ્વારા જે પેઢી દર પેઢી ચાલી આવતી માન્યતા પ્રમાણે તેની કેટલીક શાખાઓ પણ નીકળતી હતી અને જે દુર દુર સુધી ફેલાયેલી હતી. જમીનની અંદર સાત માળની ઉંડાઇ ધરાવતી આ વાવને ગુજરાતની ઐતિહાસિક ધરોહરમાં એક સ્થાન આપી તેની જાળવણી કરવી જરૂરી છે.  તેના સાત માળ અને તેની સાથે જોડાયેલ ભવ્ય કુવો આ વાવની ભવ્યતામાં ઉમેરો કરે છે. વડોદરા, ગુજરાતની સફરે આવનાર દરેક પ્રવાસીએ એકવાર આ વાવની મુલાકાત જાતે લેવા જેવી અને પોતાના સંતાનોને પણ આવા સ્થળોથી પરિચીત કરાવવા જેવું સ્થળ છે. વડોદરા રેલ્વે અને બસ સ્ટેશનથી તેનું અંતર લગભગ 10 કિમી. છે. કોઇ યુગમાં પાણીની જાળવણી કે ઉપલબ્ધિના સ્ત્રોત કેવા હતાં તે કલાસસરૂમની વચ્ચે બેસાડી સમજાવવાને બદલે જો નવી પેઢીને આવા સ્થળોનો પરિચય કરાવાય તો તેવું જ્ઞાન ચોકકસ કયારેક યથાર્થ સાબિત થાય.

Motivational, Achievers, Bio Graphy

Rasik Mehta – A Legendary Gujarati Author

રસિક મહેતા (લેખક – પત્રકાર) સુપ્રસિદ્બ સાહિત્યકાર શ્રી રસિક મહેતા એ મૂળ કચ્છ – ભુજના વતની, ગર્ભશ્રીમંત કુટુંબમાં જન્મ. સિધ્ધહસ્ત, લેખક, અભૂતપૂર્વ શૈલીના ધાતા. બાળપણથી વાંચનનો ખૂબ જ શોખ. જેમાંથી લેખક થવાની પ્રેરણાએ જન્મ લીધો. જેને કારણે માત્ર નસિબના સહારે, સાહિત્ય ક્ષેત્રે કારકિર્દીના સ્વપ્ન સાથે, કચ્છ – ભુજથી ભાગ્ય અજમાવવા, ઘરેથી આપવામાં આવેલ માત્ર રૂપિયા એકસોની મૂડી સાથે કલકત્તા અને એક વર્ષ બાદ ત્યાંથી મુંબઇ પહોંચ્યા. તે દરમ્યાન, પ્રકાશન ક્ષેત્રે કોઇ સારા પુસ્તકથી શરૂઆત કરવા વિચારી રહેલ સંસ્થા “નવભારત સાહિત્ય મંદિર”ના સ્થાપક શ્રી ધનજીભાઇ શાહ સાથે તેઓ એક કોમન મિત્ર શ્રી જે.પી.શાહ દ્વારા પરિચયમાં આવ્યા. જયાં પ્રાથમિક વાતચીત બાદ કેટલીક શરતોને આધીન સંસ્થાએ શ્રી રસિક મહેતાને નવલકથા લખવાની ઓફર આપી. રસિક મહેતા તે તબક્કે પાછલાં એક વર્ષથી મુંબઇ ખાતે પોતાને સાહિત્ય ક્ષેત્રે ટકાવી રાખવા ફિલ્મ અને જનરલ પત્રકારિત્વ ક્ષેત્રે સતત ઝઝૂમી રહયા હતા પરંતુ તેમનું મૂળ સ્વપ્ન લેખક તરીકેની કારકિર્દી બનાવવાનું હતું, તેઓને આ ઓફર આશીર્વાદ સમાન લાગી એટલે તે તક ઝડપી લીધી, અને તે રીતે તેઓની પ્રથમ નવલકથા “પ્રણય પ્રકાશ”નું સર્જન થયું, તે સાથે ગુજરાતી સાહિત્ત્યક્ષેત્રે નિઃશંક એક નવા યુગનો ઉદય થયો. તેઓશ્રી દ્વારા લગભગ 135 ઉપરાંત પુસ્તકોનું સર્જન થયું, જેમાં નવલકથાઓ, ઐતિહાસિક કથાઓ, ટૂંકી વાર્તાઓ, જીવન ઝરમર, પ્રેરણાત્મક સાહિત્ય, સંશોધનાત્મક સાહિત્ય, બાળ સાહિત્ય, પૌરાણિક સાહિત્ય સહિત વિવિધ સર્જનો ન્યાય પામ્યા. આ સાહિત્ય સર્જન દ્વારા તેઓએ ગુજરાત રાજય સાહિત્ય અકાદમી દ્વારા અર્પણ કરાતા ચાર એવોર્ડ પ્રાપ્ત કર્યા, તદુપરાંત “કચ્છ શકિત”, “ગુજરાત ગૌરવ”, “સાહિત્ય રત્ન” સહિત સેંકડો એવોર્ડ પ્રાપ્ત કરી “ગુજરાત ગૌરવ” કહી શકાય તેટલી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી, તેઓનાં કેટલાંક પુસ્તકોનું હિન્દીમાં ભાષાંતર થયું, કેટલીક આંતરરાજ્ય શૈક્ષણિક સંસ્થાઓમાં તેમનાં કેટલાંક સર્જન ટેક્ષબુક તરીકે અને PhD ની રેફરન્સ બુક ના વિષય તરીકે સ્થાન પામ્યા. ગુજરાતમાં રાજકોટની એક સંસ્થા અને એક અમેરિકન સંસ્થાના સર્વે પ્રમાણે પ્રાદેશિક ભાષાઓમાં સૌથી લોકપ્રિય અને સૌથી વધુ વંચાતા લેખક તરીકેનું બિરુદ તેમણે પ્રાપ્ત કર્યુ. તેઓની મદદરૂપ થવાની નિસ્વાર્થ ભાવનાને કારણે કેટલાંક નવા લેખકોના ઉદયમાં તેઓ નિમિત્ત બન્યા. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (ગુજરાતી), ગુજરાત સમાચાર, સંદેશ, મુંબઇ સમાચાર (જન્મભૂમિ ગ્રુપ), ફૂલછાબ, કચ્છ મિત્ર, ચેતમછંદર, રાષ્ટ્રવાણી, ચિત્રલેખા, સ્વતંત્રયુગ, ચિત્રપ્રકાશ, આસપાસ, ફલેશ, ઇમેજ, સંકેત અને પિનાક સહિત નામી – અનામી સેંકડો અખબારો અને સામાયિકોમાં તેમની વાર્તાઓ અને કટારો વર્ષો સુધી લોકપ્રિયતાના વિવિધ શિખરો સર કરતી રહી. જેને કારણે દેશ-વિદેશથી પ્રસિદ્બ થતા ગુજરાતી અખબારોએ તેમના સર્જનની નોંધ લઇ અવારનવાર બિરદાવ્યા.

Tours & Travels, Spiritual

કચ્છ – ભુજ સ્થિત ઐતિહાસિક સંદર્ભ ધરાવતું ધોરાવાના શ્રી હનુમાન દાદાજીનું મંદિર

Author : Utpal Mehta –  ઉત્પલ મહેતા Date : 2nd March, 2026 ભુજ શહેરમાં દાખલ થતાં પહેલાં જ કુકમા ગામ આવે, તે પછી તરત જ આવતો ફલાય ઓવર બિ્રજ જ્યાં પુરો થાય ત્યાં ડાબી બાજુ કલા કેન્દ્ર ભુજોડી અને બિ્રજની તરત જ જમણી બાજુએ યુ-ટર્ન રૂપે વળાંક લેતાં જ આવતું એક સુંદર અને ઐતિહાસિક સંદર્ભ ધરાવતું હનુમાન દાદાજીનું ધોરાવાનું અદ્ભુત મંદિર સંકુલ સ્થાન ધરાવે છે. તે સાથે, આ પરિસરમાં મહાદેવજીનું મંદિર, ઉપરાંત  અહીં 12 જ્યોર્તિલિંગને પણ પ્રતિકાત્મકરૂપે સ્થાપવામાં આવ્યા છે તો વિઘ્ન હર્તા શ્રી ગણેશજી પણ અહીં મંદિરમાં શોભી રહયા છે.  આ જ સંકુલની શોભામાં અનેરી વૃધ્ધિ કરતી એવી થોડા સમય પહેલાં સ્થપાયેલ શ્રી હનુમાન દાદાજીની વિશાળ ઉંચી પ્રતિમા અને ભગવાન શ્રીરામજી, લક્ષ્મણજી, જાનકીજી અને દેવાધિદેવ મહાદેવજીની પ્રતિમાઓ દિવસે અલગ અને રાતની રોશનીમાં ઝળાહળા થતી અલગ જ અનુભુતિ કરાવે છે. મંદિરની પાછળ ઐતિહાસિક વાવ આવેલી છે જેનું પુરાતત્વ વિભાગ દ્વારા પુનઃઉત્થાન જરૂરી છે. તો તે સાથે, અહીં બાળકો અને વડિલો પણ આધ્યાત્મિકતા સાથે શાંતિ અને કુદરતને માણી શકે તે અર્થે સુંદર બગિચાનું પણ સર્જન કરાયું છે.                 તો દર્શક મિત્રો, જયારે પણ અર્વાચિન અને પ્રાચિનકાળના સમન્વયરૂપ એવા કચ્છના  જોવા અને માણવા જેવા અનેક ભવ્ય સ્થળો ધરાવતા વૈવિધ્ય સભર આ પ્રદેશના  પ્રવાસે જાઓ  ત્યારે શકય હોય તો આ સુંદર આધ્યાત્મિક સ્થળની અવશ્ય મુલાકાત લેવા અને કચ્છની શાંતિને અહીં વાસ્તવમાં માણ્યાનો અનુભવ મેળવવવા હાર્દિક શુભેચ્છા. કચ્છનાં પરદેશ વસતાં સેંકડો ભકતો એવા છે કે જેઓ જયારે વતન આવે, ત્યારે ભુજ ઉતર્યા બાદ પ્રથમ આ મંદિરના દર્શને જાય છે.  –  ઉત્પલ મહેતા

Spiritual

અણસ્તુ – જીનાલય

Author : Utpal Mehta (ઉત્પલ મહેતા) 2nd April, 2026 મહારાજા સયાજીરાવ શાસિત વડોદરા સ્ટેટના સમયથી જાણિતું તેવું કરજણ તાલુકામાં અણસ્તુ ગામ આવેલું છે.         આ અણસ્તુ ગામ ખાતે લગભગ સંવત   1850 માં એક સુંદર જીનાલયનું નિર્માણ કરાયું હતું. સમયાંતરે જીનાલય જર્જરિત થવા લાગ્યું. જીર્ણ થઇ રહેલ જીનાલયમાં બિરાજતા તિર્થાધિરાજ શ્રી શંખેશ્વર પશ્ર્વનાથ પ્રભુના આ સ્થાનની થઇ રહેલ સ્થિતી જોઇ ભાવિક ભકતો દ્રવિત થવા લાગ્યાં. દરેક ભકતને કુદરતી જ પ્રરણા થવા લાગી કે જીનાલયનો જિર્ણોધ્ધાર જરૂરી છે.         એ જ અરસામાં પુજ્યપાદ કલિકુંડ તિર્થોધ્ધારક શ્રીમદ આચાર્ય વિજય રાજેન્દ્રસુરીશ્વરજી મહારાજ સાહેબના ત્યાં પગલા થયાં, જેઓશ્રીની પ્રરણાથી ત્યાં આ જીનાલાયના જીણોધ્ર્ધારના પુનિત કાર્યનો અને ત્યાં ભવ્ય તીર્થના નિમાાણનો નિર્ણય લેવામાં આવ્યો.         કરજણ ગામથી 4 કિ.મિ.ના અંતરે પાદરા જતા મુખ્ય  રોડ ઉપર અણસ્તુ ગામાના પાદરે વિશાળ જમીન સંપાદિત કરવામાં આવી અને તે સ્થાન ઉપર આજના ભવ્ય  નુતન જીનાલયનું નિર્માણ કરવામાં આવ્યું.         પ.પૂ.સાધુ, સાધ્વીજી અને ભગવંતો માટે વિશાળ ઉપશ્રયો, યાત્રિકોની સુવિધા અર્થે આધુનિક સુવિધાથી સુસજજ સુંદર અને સ્વચ્છતાપુર્ણ ધર્મશાળા, ભોજનશાળા, ભાતાઘર સુવિધાજનક કાર્યાલયનું નિર્માણ કરાયું.         આ જીનાલય ખાતે તીર્થાધિરાજ શ્રી શંખેશ્વર પાશ્ર્વનાથ પ્રભુજીની 31” ની અલૌકિક  પ્રતિમાનું સ્થાપન કરી તેને બિરાજમાન કરાઇ.         આ પ્રસંગ પુજ્યપાદ ગુરૂ ભગવંતોની નિશ્રામાં સંવત 2049 મહાસુદ 6 ને શુક્રવાર, તા.19 – 1- 1993 ના મંગલમય શુભ દિને પ્રભુજીની દિવ્ય પ્રતિમા ત્યાં બિરાજમાન કરી પધરાવવામાં આવી.         આ શુભદિને પ્રાણ પ્રતિષ્ઠા અને અંજન શલાકાના દિવ્ય પ્રસંગે દેશભરમાંથી હજારોની સંખ્યામાં ભકતો પધાર્યા અને અતી હર્ષ અને ઉલ્લાસ સહ આ પ્રસંગ ઉજવાયો.  જીન શાસનની શોભામાં ચારચાંદ લાગી ગયા, અણસ્તુ નગરમાં જાણે કે ચોથો આરો વર્તાયો. અણસ્તુ સહિત આજુબાજુના ગામના નગરજનો પણ તન,મન અને ધન સહિત પુર્ણ ઉત્સાહ અને શ્રધ્ધા સાથે સૌ મોટી સંખ્યામાં આ પ્રસંગમાં જોડાયા.         આ તીર્થના નુતનકરણ અને સંપન્ન થયેલ ભવ્ય તીર્થના નિર્માણ અને સંપુર્ણ આયોજનમાં પુજ્યપાદ કલિકુંડ તિર્થોધ્ધારક શ્રીમદ આચાર્ય વિજય રાજેન્દ્રસુરીશ્વરજી મહારાજ સાહેબ, તેઓશ્રીનો શિષ્ય સમુદાય અને પૂ. સાધ્વીજી ભગવંતોનું અવિસ્મરણિય અને હદયપુર્વકનું યોગદાન અને માર્ગદર્શન રહયું જેણે આ નિર્માણકાર્યને સુયોગ્યરીતે સંપન્ન કરવામાં ખુબ જ અગત્યનો ભાગ ભજવ્યો અને આજે આ તીર્થ દેશ વિદેશમાં એક આગવી જ નામના ધરાવતું ભવ્ય તીર્થ બની રહયું.         આ તીર્થની પેઢીનો વહિવટ પણ પ્રમાણિક અને ખરેખર અનુમોદનિય છે. પ્રમુખ, મંત્રીઓ અને સર્વે ટ્રસ્ટીઓની તન, મન, ધન સાથે પ્રાપ્ત થઇ રહેલ સેવા એ આ તીર્થના  જયજયકારમાં અનેરા પ્રાણ પુર્યા છે.  

Tours & Travels, Cover Story

લાહોલ સ્પિતી ટુર

“લોરિસ ટુર ઓર્ગેનાઇઝર” એટલે 30 વર્ષ ઉપરાંતનો સફળ અનુભવ ધરાવતું ગુજરાતનું એક પ્રમાણભુત નામ. તેનાં પ્રમોટર એટલે મનિષ વૈધ. આ મનિષભાઇ વૈધ સાથે હિમાચલ પ્રદેશના લાહોલ સ્પિતી ટુરમાં જોડાવાનું થયું. તારીખ 4થી જુન, થી તારીખ 14મી જુન એમ 10 દિવસનો પ્રવાસ નક્કી થયો. સૌએ પોત પોતાની અનુકુળતા પ્રમાણે તા.4થી જુને સવારે 8.30 વાગ્યે ચંદિગઢ રેલ્વે સ્ટેશન ઉપર નક્કી કરેલ સ્થળે એકઠા થવું એવો રિપોર્રિંગ સમય નકકી થયો અને જોતજોતામાં એ દિવસ આવી પહોંચ્યો. સૌ લાહોલ સ્પિતીના વૈવિધ્ય વિષે થોડા ગણા પરિચિત હોઇ દરેકમાં તે સ્થળ માટેનો અનેરો આનંદ, ઉત્સાહ અને થ્રીલ અનુભવાઇ રહયાં હતા. લાહોલ સ્પિતી એ પાછલાં થોડા વર્ષોમાં જ પ્રસિધ્ધિ થયેલ અને વિકાસ પામી રહેલ સ્થળ છે, જે હજી પ્રવાસનના લિસ્ટમાં પાછલાં 4 – 5 વર્ષથી તાજું જ ઉમેરાયેલ હોઇ બહુ ધસારો નહીં હોવાને કારણે સવલતો પણ મર્યાદિત છે. તે માત્ર અદ્ભુત જ નહીં પણ જેને શબ્દાતીત કહી શકાય તેવું છે. આ સ્થળ હાઇ એલ્ટીટયુડ પર આવેલ હોઇ પાતળી હવા ધરાવતા આ સ્થળ સુધી પહોંચતા પ્રવાસીઓનું શરીર ટેવાતું જાય માટે મનિષભાઇએ મનાલી થી સ્પિતીને બદલે વાયા સિમલા ટુ સ્પિતી માર્ગ પસંદ કરેલ જે ધીરે ધીરે ઉંચાઇ પકડતો હોઇ યાત્રીના શરીરને પરિસ્થિતી સાથે તાલમેલ સાંધતા જવાનો કુદરતી સમય મળી રહે જે સૌએ અનુભવ્યું. ટુરનું આયોજન મર્યાદિત યાત્રીઓની સંખ્યામાં કરાયું હતું જેથી ટુર અને સર્વે યાત્રીઓને પુરતો ન્યાય આપી શકાય, જે સરવાળે અમને યોગ્ય લાગ્યું. ટુરમાં કુલ 13 યાત્રી અમદાવાદથી જેમાંથી એક યાત્રી ઓસ્ટ્રેલિયાથી આવી જોડાયા હતા અને 11 યાત્રી વડોદરાથી સામેલ હતાં. ટુરનાં એક વિક પહેલા મનિષભાઇએ અમદાવાદ ખાતે એક ગૃપ મિટિંગનું આયોજન કર્યું હતું, જે બેઝિક માહિતી આપવા માટે હતું કે સાથે શું લેવું, તબિયત સંદર્ભે શું કાળજી રાખવી. દવા સહિત કઇ કઇ વસ્તુઓ બર્ફિલા પહાડોના પ્રવાસ સમયે સાથે હોવી અનિવાર્ય ગણાય વિગિેરે બાબતો સામેલ હતી. પાતળી હવામાં જતા પહેલા આગોતરી તૈયારીરૂપે શારિરીક ક્ષમતા વધારવા શું તૈયારી કરવી જોઇએ એ તેઓએ 1 માસ અગાઉ જ સૌને વાકેફ કરી દીધા હતાં. તે મિટિંગ બાદ તે તમામ માહિતીથી વડોદરાના ગૃપને પણ સમયસર માહિતગાર કરવામાં આવ્યું અને કોઇને કોઇ પ્રશ્ન હોય તો પુછી લેવા જણાવાયું. આમ, જોતજોતામાં તા.4થી જુન આવી પહોંચી. મનિષભાઇ આગોતરી તૈયારી અર્થે અને છેલ્લી ઘડીએ કોઇ હેરાન – પરેશાન ના થાય માટે તા.3જીની ટ્રેઇનથી તેઓ ચંદીગઢ પહોંચી ગયા. તા.4થીએ વડોદરા ગૃપ સવારે 5 વાગ્યે વડોદરાથી નિકળી નક્કી થયા પ્રમાણે 8.30 સાબરમતી કે જ્યાંથી ટ્રેઇન ઉપડવાની હતી ત્યાં આવી પહોંચ્યું. બીજી તરફ અમદાવાદના એક યાત્રીનો પ્રવાસ અનિવાર્ય કારણોસર કેન્સલ થતા 12 યાત્રી પણ આવી ગયા અને થોડી જ વારમાં ટ્રેઇન સ્ટાર્ટ થઇ. સૌમાં અનેરો ઉમંગ હતો, ટ્રેઇનમાં સિટીંગ વ્યવસ્થા બરોબર ગોઠવાઇ ગઈ એટલે અન્યોન્યની ઓળખાણ પિછાણનો દોર શરૂ થયો, જે ખુબ જ જરૂરી હતો. ત્યારબાદ, રસ્તામાં બહારના બને તેટલા ઓછા ખોરાક પાણી લેવા પડે એટલે સૌ પોતપોતાને ત્યાંથી કાંઇક ને કાંઇક નાસ્તો તૈયાર કરીને લાવ્યા હતા જે સમય થતા સૌએ એક બીજા સાથે શેયર કરી ચાલુ ટ્રેઇને તે રીતે ભોજનનો આનંદ માણ્યો, જે ખુબ જ આનંદદાયક અને મીઠી યાદરૂપ બની રહયો. સાંજ પડતાં કેટલાંકે મનિષભાઇએ ગાઇડ કર્યા પ્રમાણે જયપુર ઓર્ડર બુક કરાવી દીધેલ તે આવી પહોંચતા તેની જયાફત માણી. રાત્રે લગભગ એક – દોઢ વાગ્યા સુધી આનંદ પ્રમોદ અને વાર્તાલાપ બાદ સૌ નિંદ્રાદેવીને ખોળે પોઢયા. કયારે સવાર પડી ગઇ અને ચંદીગઢ 8 વાગ્યે આવી ગયું તે ખબર જ ના પડી. મનિષભાઇની સુચના પ્રમાણે સૌ એલાર્મ રાખીને સુતા હોવાથી અડધો કલાક પહેલાં ઉઠી તૈયાર થઇ ઉતરવા ગોઠવાઇ ગયાં. ટ્રેઇન સ્ટેશને લાગતા જ અમે મનિષભાઇને પ્લેટફોર્મ ઉપર સ્વાગતમાં ઉભેલા જોતાં સૌને રાહત લાગી. નક્કી તો થયું હતું કે સ્ટેશનથી સીધા જ ફોર્સ ટ્રાવેલર પકડી સફર શરૂ કરી દેવી, પણ મનિષભાઇએ પોતા તરફથી સૌને ચા પાણી અને ફ્રેસ થવા સમય મળી રહે માટે સ્ટેશન નજીકની એક હોટલમાં યાત્રીઓ પાસેથી એકસ્ટ્રા ચાર્જ લીધા વગર 1 કલાકની વ્યવસ્થા ગોઠવી આપી જે સૌને ખુબ જ સવલત સભર અને રાહત દાયક લાગી. આમ, ત્યાંથી સૌની ખરી સફર લગભગ 9.30 વાગ્યે શરૂ થઇ. ચંદીગઢથી 80 કિ.મી.સુધી સૌને વાહનમાં એ.સી.ની જરૂરત રહી પણ પછી હિમાલયનો અહેસાસ શરૂ થયો અને એ.સી. બંધ કર્યા. સિમલા ક્રોસ કર્યા બાદ ઝરમર વર્ષાએ સફરને આહલાદક બનાવવાનું કાર્ય કર્યું અને અમે સાંજે લગભગ 8 કલાકના ડ્રાઇવ બાદ 6.30 વાગ્યે હાઇવે ઉપર જ નારકંડા નજીક બુક થયેલ એક સુંદર હોટલમાં અમારી પ્રથમ રાત્રી રોકાણ માટે બંને વાહનો થોભાવ્યા. હોટલના માણસોએ સામાન વાહનોમાંથી ઉતારી સૌની સુચના પ્રમાણે તેઓને ફાળવવામાં આવેલ રૂમમાં ગોઠવી દીધો. ત્યાર બાદ 1 કલાકનો વિરામ હતો અને ફ્રેસ થઇ સૌએ ડિનર માટે મેઈન હોલમાં રાત્રે 8.30 એ મળવું તેવું નક્કી કરી સૌ પોત પોતાના રૂમમાં આરામ ફરમાવવા પહોંચ્યા. રૂમની વિન્ડોના પડદા ખોલતા જ કુદરતના ભરપુર સૌંદર્યને માણતા સૌ આરામ ભુલી ગયા. રાત્રે નક્કી થયા પ્રમાણે સૌ ડાઇનિંગ હોલમાં આવી પહોંચ્યા, વાસ્તવમાં આવા અંતરિયાળ અને પહાડી પ્રદેશમાં પણ સૌને પિરસાયેલ વેજ પંજાબી ડિનર ખરેખર સ્વાદિષ્ટ અને સ્વચ્છતા સભર હતું જે બદલ સૌએ મનિષભાઇને અભિનંદન પાઠવ્યા અને સૌએ વાર્તા ગોષ્ઠિ કરતાં કરતાં ડિનર માણ્યું. ત્યારબાદ, ગૃપમાં સૌને એકઠા કરી મનિષભાઇએ બીજા દિવસનો ટ્રેક અને સ્ટ્રેટેજી સૌને સમજાવી અને સૌ બહાર ગાર્ડનમાં વોક લઇ પોત પોતાના રૂમમાં આરામ અર્થે પહોંચ્યા. બીજા દિવસે સવારે હેવી બ્રેકફાસ્ટ લઇ અમારી સફર ફરી ચાલુ થઇ. સૌની સ્નો માણવાની અને બર્ફિલા પહાડ જોવાની જાણે કે અદ્મ્ય ઇચ્છા વર્તાઇ આવતી હતી, પણ તેને હજુ ઘણીવાર હતી. તેવું અમારા વાહનના ડ્રાઇવરે જણાવ્યું, જે હજી યંગ હતો પણ આવા પહાડી રસ્તાઓનો અનુભવી અને સ્વભાવનો વાસ્તવમાં સારો હતો….. આ સંપુર્ણ પ્રવાસ વર્ણનને માણવા વૈશ્વિક ગુજરાતીઓ માટે તૈયાર થયેલ યુ ટયુબ ચેનલ (YouTube Channel) “ટી.વી.વલ્ર્ડ ગુજરાત” “TV World Gujarat” – Channel ની લીંક કિલક કરો … https://www.youtube.com/@tvworldgujarat આ ચેનલ ઉપર આપ આ પ્રવાસને લાઇવ માણી શકશો અને તે પછી આ સંપુર્ણ પ્રવાસ આ મેગેઝીનમાં હપ્તારૂપે તો જરૂર આપ વાંચી જ શકશો. આપના પ્રતિભાવ મેગેઝીન અને ચેનલના કોમેંટ બોક્ષમાં જણાવશો તો આનંદ થશે.

Motivational

“તમારો રોલ મોડેલ કોણ છે?”

“તમારો રોલ મોડેલ કોણ છે?”આ પ્રશ્ન ઘણી વાર ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે છે. આ પ્રશ્નના જવાબમાં સામાન્ય રીતે લોકો એવા વ્યક્તિનું નામ લે છે જેના દ્વારા તેઓ પ્રભાવિત થયા હોય, પરંતુ ખરેખર પ્રેરિત થયા હોય એવું જરૂરી નથી. રોલ મોડેલનો વિષય ખૂબ જ સંવેદનશીલ છે, અને કોઈ વ્યક્તિની જીવનયાત્રા જાણ્યા વગર તેને પોતાનો રોલ મોડેલ બનાવી દેવાની ભૂલ માણસને ભારે પડી શકે છે. રોલ મોડેલ કોણ છે તે એટલું મહત્વનું નથી, પરંતુ તે વ્યક્તિ તમારા માટે રોલ મોડેલ શા માટે છે તે વધુ મહત્વનું છે. માણસને જીવનના ઘણા પાસાઓ શીખવા માટે રોલ મોડેલની જરૂર પડી શકે છે, પરંતુ કોઈના વ્યક્તિત્વથી આકર્ષાઈને રોલ મોડેલ પસંદ કરવો યોગ્ય નથી. રોલ મોડેલ બનાવવા માટે વ્યક્તિના ગુણો મહત્વના હોય છે. આજના સમયમાં સામાન્ય લોકો કોઈ વ્યક્તિના સંઘર્ષ, મહેનત, ગુણો અને આચરણને ધ્યાનમાં લેવાને બદલે માત્ર તેના ભૌતિક સુખ અને સફળતાને જોઈને તેને પોતાનો આદર્શ બનાવી દે છે. કોઈ ખેલાડી, ફિલ્મ અભિનેતા કે અભિનેત્રી અથવા મોટા બિઝનેસમેનનું જીવનમૂલ્યો અને રોજિંદા આચરણને સમજ્યા વગર માત્ર તેમનું આંધળું અનુસરણ કરવું માણસને વિનાશના માર્ગ પર લઈ જઈ શકે છે. કોઈ વ્યક્તિએ જીવનમાં સફળતાની ઊંચાઈ સુધી પહોંચવા માટે કયા મૂલ્યો અપનાવ્યા છે તેનું મનન કર્યા વગર માત્ર તેની કારકિર્દીને જોઈને તેને રોલ મોડેલ બનાવીએ, અને જો તેનું જીવનચરિત્ર વિવાદો અને ખોટી નીતિઓથી ભરેલું હોય, તો કદાચ આપણે પણ તેના માર્ગે ચાલીને સફળતા મેળવી લઈએ, પરંતુ એવી સફળતા લાંબા સમય સુધી ટકી શકતી નથી. સામ, દામ, દંડ અને ભેદ જેવી રીતોથી મળેલી સફળતામાં અથવા તો પૈસા લાંબા સમય સુધી ટકતા નથી અથવા તો કીર્તિ ટકી શકતી નથી. રોલ મોડેલ માત્ર કારકિર્દી બનાવવા માટે નથી બનાવવાના; તેઓ આપણા ચારિત્ર્યનું ઘડતર કરવા માટે હોય છે. કોઈપણ ક્ષેત્રનો વ્યક્તિ બીજા કોઈપણ ક્ષેત્રના વ્યક્તિનો રોલ મોડેલ બની શકે છે. માણસે પોતાના રોલ મોડેલના જીવનમાંથી સિદ્ધાંતો, પરિશ્રમ અને ગુણોને પોતાના જીવનમાં ઉતારવા જોઈએ. સમયનો પ્રવાહ બદલાઈ રહ્યો છે. આજની યુવા પેઢી સોશિયલ મીડિયાના સમયમાં ઘણી બધી પર્સનાલિટીઓને ફોલો કરે છે, જેમાં કંઈ ખોટું નથી. ભૂલ ત્યાં થાય છે જ્યાં આજના છોકરા-છોકરીઓ એ લોકો જેવી ઝગમગતી જિંદગી જીવવા માટે ખોટા માર્ગો પસંદ કરે છે. છેલ્લા થોડા મહિનાઓમાં ભારતીય ફિલ્મ જગતમાં જે ઘટનાઓ બની છે તે આ વાતનો પુરાવો આપે છે. તે બતાવે છે કે આજના સમયમાં સાચા અર્થમાં રોલ મોડેલ કહી શકાય એવા લોકોની સંખ્યા ઘટતી જઈ રહી છે. જરૂરી નથી કે દરેક મહાન વ્યક્તિ રોલ મોડેલ બનવા માટે યોગ્ય હોય. અંગ્રેજીમાં એક કહેવત છે: “Go with the flow of time.” પરંતુ જ્યારે રોલ મોડેલ પસંદ કરવાની વાત આવે છે ત્યારે ઘણીવાર સમયના પ્રવાહના વિરુદ્ધ દિશામાં વિચારવું પડે છે. એવું નથી કે આજના સમયમાં સારા લોકો નથી કે જેમને રોલ મોડેલ બનાવી શકાય, પરંતુ ગુણવત્તાસભર વ્યક્તિઓની ઊણપ જરૂર છે. દસ-વીસ વર્ષ પહેલાં લોકોમાં આ ગુણવત્તા વધુ દેખાતી હતી, અને સો-બસો વર્ષ પહેલાં તો તેનું પ્રમાણ ઘણું વધારે હતું. તો શું એવું કોઈ નથી કે જે આ ધરતી પરના દરેક માણસ માટે રોલ મોડેલ બની શકે? આ પ્રશ્નનો જવાબ શોધવા માટે આપણે સમયની ગતિથી વિપરીત મુસાફરી કરીને ત્રેતા યુગ સુધી પહોંચવું પડે. ત્રેતા યુગમાં આ ધરતી પર માતા સીતા અને ભગવાન શ્રી રામ, જે લક્ષ્મી-નારાયણના અવતાર માનવામાં આવે છે, તેઓ આપણાં સૌ માટે શ્રેષ્ઠ રોલ મોડેલ છે. તેમણે પોતાના જીવનના દરેક ક્ષણે પોતાની ઈશ્વરીય શક્તિનો ઉપયોગ કર્યા વગર માનવજીવન માટે શ્રેષ્ઠ મૂલ્યોનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પિતા-પુત્ર, માતા-પુત્ર, ભાઈ-ભાઈ, પતિ-પત્ની, મિત્રતા, પારિવારિક અને સામાજિક સંબંધો, માન-મર્યાદા, કર્મનિષ્ઠા અને રાજકીય આચરણ—દરેક બાબતમાં ભગવાન શ્રી રામ અને માતા સીતાએ અનુસરવા યોગ્ય સિદ્ધાંતો આપ્યા છે. COVID-19 લોકડાઉન દરમિયાન સરકાર દ્વારા રામાયણનું પ્રસારણ કરવામાં આવ્યું હતું અને આપણે સૌએ તે જોયું પણ હતું. પરંતુ આપણે રામાયણના પ્રસંગોને આપણા જીવન સાથે કેટલા અંશે જોડ્યા? અને ભગવાનના ચરિત્રને અનુસરવાનો કેટલો પ્રયત્ન કર્યો? ભગવાન અને માતા સીતા ૧૦૦% પૂર્ણ હતા, પરંતુ આપણે તે પૂર્ણતાને છોડીને કેમ માત્ર ૨૦–૨૫% ગુણ ધરાવતા લોકોની પાછળ દોડી રહ્યા છીએ? આજે વિવિધ ક્ષેત્રોમાં સારા અને ગુણવાન લોકોની સંખ્યા બહુ ઓછી છે. રતન ટાટા, ભારતરત્ન સ્વ. અટલ બિહારી વાજપેયી, પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ, સાંસદ રાજ્યવર્ધનસિંહ રાઠોડ, મેરી કોમ, રાહુલ દ્રવિડ, એમ. એસ. ધોની, કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાન, રાફેલ ફાઇટર ભારત લાવનાર ગ્રુપ કેપ્ટન હરકીરત સિંહ અને પ્રથમ ભારતીય મહિલા ફાઇટર પાયલટ અવનિ ચતુર્વેદી જેવા ઘણા સારા અને ચરિત્રવાન લોકો છે, જેમને એક સામાન્ય માણસ પોતાના રોલ મોડેલ તરીકે પસંદ કરી શકે છે. આવા લોકોને અનુસરીને આપણે પોતાના જીવનનું ઘડતર કરી શકીએ છીએ. પરંતુ આપણો ધ્યેય હંમેશા ૧૦૦% પૂર્ણતા તરફ હોવો જોઈએ. ઈશ્વરનું અનુસરણ કરીને જ આ નશ્વર જીવનનો સાચો ઉદ્ધાર થઈ શકે છે. આપણા સામે અનેક ઉત્તમ વિકલ્પો છે, પરંતુ અંતમાં પસંદગી તો આપણને જ કરવી છે…

ટોચ પર સ્ક્રોલ કરો